Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આનંદ કુમારે શિક્ષકોને 'વિષયપ્રેમી બનાવો'નો સંદેશ આપ્યો:AI યુગમાં શિક્ષકની ભૂમિકા; પરિણામ નહીં, શીખવાનો પ્રેમ

    5 days ago

    રાજકોટમાં 21 માર્ચ, 2026ના રોજ RPJ હોટેલ ખાતે એક પ્રેરણાદાયક 'એજ્યુકેટર મીટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ અને સૌરાષ્ટ્રની 200થી વધુ શાળાઓના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ અને શિક્ષકો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે વિશ્વવિખ્યાત શિક્ષણવિદ અને 'સુપર 30'ના સ્થાપક આનંદ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના જીવનપ્રવાસ અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા વિશે પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યા. આનંદ કુમારે આજના AI અને ChatGPTના યુગમાં શિક્ષકની બદલાતી ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શિક્ષણને એક મિશન તરીકે અપનાવવું જોઈએ. આનંદ કુમારે પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વિદ્યાર્થીઓને વિષયપ્રેમી બનાવવા પર ભાર મૂક્યો. તેમના મતે, શીખવાનો પ્રેમ જ સાચી સફળતા છે. 'સુપર 30' દ્વારા તેમના યોગદાન વિશે વાત કરતા, તેમણે જણાવ્યું કે કેવી રીતે આ પહેલ દ્વારા આર્થિક રીતે પછાત પરંતુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નિઃશુલ્ક માર્ગદર્શન આપી IIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવવામાં મદદ મળી છે. 'સુપર 30'એ અનેક વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે, જ્યાં તેમને શિક્ષણ ઉપરાંત રહેવા-જમવાની વ્યવસ્થા સહિત સંપૂર્ણ સહાય પૂરી પાડવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન ખૂબ જ ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ અને પ્રશ્નોત્તરી સત્ર યોજાયા હતા. જેમાં "શીખવું વધુ મહત્વનું કે પરિણામ?" અને "વિદ્યાર્થીઓને માત્ર પરિણામકેન્દ્રિત બનાવવા કરતાં વિષયપ્રેમી કેવી રીતે બનાવવું?" જેવા મુદ્દાઓ પર વિચારવિમર્શ થયો. શિક્ષકોમાં વિષય પ્રત્યે રસ અને જિજ્ઞાસા વિકસાવવા માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મારવાડી યુનિવર્સિટી તરફથી ટ્રસ્ટી ધ્રુવ મારવાડી, પ્રોવોસ્ટ ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર પ્રોફ. નરેશ જાડેજા, તેમજ યુનિવર્સિટીના ડીન અને સિનિયર પ્રોફેસર્સ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ જેવા કે કૃષ્ણકાંત ધોળકિયા (ધોળકિયા સ્કૂલ્સ), ધવલ મોદી (મોદી સ્કૂલ્સ), જીમિલ પારીખ (મહાત્મા ગાંધી સ્કૂલ), પ્રવિણ ગોંડલિયા (તપન સ્કૂલ), લાલજી રાઠોડ (તપોવન સ્કૂલ), મૌલિક ડેલવાડિયા (બી.એમ. પટેલ સ્કૂલ, ધ્રોલ), દીપેન છોટાલા (ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ, ગોંડલ), આકાંક્ષા શ્રીવાસ્તવ (નારાયણા સ્કૂલ), મહેશ વડોદરિયા (સ્વામિનારાયણ ગુરુકુલ) અને મહેશભાઈ ગજેરા (ક્રિષ્ના સ્કૂલ) પણ આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનો તરીકે હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય યુવા ફેસ્ટિવલમાં મેડલ જીત્યા:'કલાઈ સારલ 2026' માં બે ગોલ્ડ, એક બ્રોન્ઝ મેડલ મેળવ્યા
    Next Article
    ઓબીસીનાં હક્ક માટે કોંગ્રેસે રાજકોટમાં 'QR કોડ' લોન્ચ કર્યો:53 ટકાને સંગઠિત કરવાનું લક્ષ્ય, ઋત્વિક મકવાણાએ CM બદલવાની શક્યતા વ્યક્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment