Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અપડેટ:યુદ્ધ અને AI: માણસોની લડાઈ હવે મશીનોના હાથમાં

    3 days ago

    કેવલ ઉમરેટિયા એ આઇ. આપણા માટે હવે નવું નથી. રોજબરોજનાં અનેક કામોમાં આપણે તેનો ઉપયોગ કરતા થઈ ગયા છીએ. હજુ તો થોડાં વર્ષો પહેલાંની વાત છે, જ્યારે એ. આઇ. હોલિવૂડની કોઇ સાય-ફાય ફિલ્મ જેવું લાગતું હતું. ત્યારે તેને માનવજાતના એક એવા વરદાન તરીકે રજૂ કરવામાં આવ્યું કે જે આપણી જિંદગીને વધુ આસાન અને સુરક્ષિત બનાવશે. પરંતુ છેલ્લા પંદરેક દિવસમાં જે ઘટનાઓ ઘટી છે, તેણે આ રૂપેરી કલ્પનાઓનાં મૂળિયાં હચમચાવી નાખ્યાં છે. જે એ. આઇ.ની મદદથી હું અને તમે ફોટો એડિટ કરીએ છીએ, જેની સાથે વાતો કરીએ છીએ તે જ એ. આઇ.નો ઉપયોગ હવે બોમ્બમારા માટે થઇ રહ્યો છે. જે ટેક્નોલોજી માણસને સુવિધા આપવા માટે બની હતી, તેનો ઉપયોગ હવે કેટલાક દેશો યુદ્ધના મેદાનમાં હુમલાના નિર્ણયો માટે કરી રહ્યા છે. હવે સવાલ એ નથી રહ્યો કે એ. આઇ. ભવિષ્યમાં શું કરી શકશે? સવાલ એ છે કે એ. આઇ. આજે, અત્યારે યુદ્ધના મેદાનમાં શું કરી રહ્યું છે? ઇરાનમાં શું થયું? 28 ફેબ્રુઆરી, 2026ની સવારે ઈરાનના મિનાબ શહેરમાં આવેલી ‘શજરા તૈયબા’ શાળામાં અચાનક મિસાઇલ હુમલો થયો. ઈરાની અધિકારીઓ મુજબ આ હુમલામાં 165 લોકોનાં મોત થયાં. તેમાં મોટા ભાગની 7થી 12 વર્ષની વિદ્યાર્થિનીઓ હતી. અમેરિકા અને ઇઝરાયેલે શરૂઆતમાં જણાવ્યું કે નિશાન નજીકનો સૈન્ય અડ્ડો હતો. ‘વોશિંગ્ટન પોસ્ટ’ના એક રિપોર્ટમાં દાવો થયો કે હુમલાના પહેલા 24 કલાકમાં 1,000થી વધુ લક્ષ્યો પર બોમ્બમારો કરવામાં આવ્યો અને તેમાં ‘એન્થ્રોપિક’ કંપનીના ‘Claude‘ (ક્લોડ) નામના એ. આઇ. મોડલનો ઉપયોગ થયો હતો. પેન્ટાગોને 200 મિલિયન ડોલરના કરાર હેઠળ પોતાના ગુપ્ત નેટવર્કમાં આ એ. આઇ. ગોઠવ્યું હતું. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી કે એ. આઇ. ના જૂના નકશા અને આઉટડેટેડ ડેટાને કારણે શાળાને ભૂલથી સૈન્ય લક્ષ્ય માની લેવામાં આવી હોઇ શકે છે, કારણ કે તે ઇમારત ભૂતકાળમાં એ સૈન્ય સંકુલનો જ એક ભાગ હતી. જોકે, કોઈ પણ સરકારે કે અન્ય કોઇએ સત્તાવાર રીતે એ વાતની પુષ્ટિ નથી કરી કે આ ચોક્કસ હુમલામાં એ. આઇ. ની સીધી ભૂલ હતી. આ ઘટનાએ એ ચર્ચાને વેગ આપ્યો છે જે અંગે નિષ્ણાતો લાંબા સમયથી ચેતવણી આપતા હતા કે જો એ. આઇ. ને કંટ્રોલ ન કર્યું તો માનવજાત માટે વિનાશક સાબિત થશે. એન્થ્રોપિક VS પેન્ટાગોન: નૈતિકતાની લડાઈ ઈરાન પર હુમલાઓ શરૂ થયા એ જ દિવસોમાં એ. આઇ. જગતમાં પણ એક મોટો વિવાદ ઊભો થયો. પેન્ટાગોન (અમેરિકી રક્ષા મંત્રાલય)એ જેની સાથે કરાર કર્યા હતા તે ક્લોડ એ. આઇ. બનાવનાર કંપની ‘એન્થ્રોપિક’એ કરારની શરતો ફરીથી નક્કી કરવાની માગ કરી. કંપનીએ બે સ્પષ્ટ મર્યાદાઓ મૂકી. પહેલી એ ક્લોડનો ઉપયોગ નાગરિકો પર સામૂહિક દેખરેખ માટે નહીં થાય અને બીજી એ કે માનવ હસ્તક્ષેપ વિના ચાલતાં ઓટોનોમસ હથિયારો ચલાવવા માટે પણ ક્લોડનો ઉપયોગ નહીં થાય. સામે પેન્ટાગોને માગ કરી કે સેનાને ‘તમામ કાયદેસરના હેતુઓ’ માટે એ. આઇ. નો ઉપયોગ કરવાની છૂટ મળવી જોઈએ. એન્થ્રોપિકે આ વાત માનવાનો ઇનકાર કરી દીધો. આ પછી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સરકારી એજન્સીઓને એન્થ્રોપિકની પ્રોડક્ટ્સનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપ્યો. ત્યાં સુધી કે કંપનીને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ગણાવી દીધી. આ ઘટનાના થોડા જ સમયમાં ઓપનએ. આઇ. (OpenAI) એ પેન્ટાગોન સાથે નવો કરાર કરી લીધો. જેનો ચોમેર વિરોધ શરૂ થયો. ખુદ ઓપનએઆઇના કર્મચારીઓ પણ આ નિર્ણયથી નારાજ હતા. ત્યાં સુધી કે એક સિનિયર મેમ્બરે રાજીનામું આપી દીધું. આ જ સમયગાળામાં ‘ચેટજીપીટી’ એપના અનઇન્સ્ટોલેશનમાં 295% વધારો નોંધાયો. જ્યારે ક્લોડ એપ સ્ટોર પર નંબર વન પર પહોંચી ગઈ. યુદ્ધના મેદાનમાં એ. આઇ. કેવી રીતે કામ કરે છે? ઘણા લોકો માને છે કે યુદ્ધમાં એ. આઇ. નો અર્થ હોલિવૂડ ફિલ્મોની જેમ બંદૂક લઈને ફરતા રોબોટ્સ છે, પણ અસલી ઉપયોગ અદૃશ્ય અલ્ગોરિધમ્સ અને ડેટા સિસ્ટમોમાં થઈ રહ્યો છે. એ. આઇ. નો ઉપયોગ અનેક અલગ-અલગ સ્તરો પર થઈ રહ્યો છે. સર્વેલાન્સ અને ઇન્ટેલિજન્સ: સેટેલાઇટ, ડ્રોન, રડાર અને સંચાર સિસ્ટમો દ્વારા દરરોજ લાખો ફોટા અને ડેટા એકત્ર થાય છે. આટલો વિશાળ ડેટા મનુષ્ય માટે તરત સમજવો લગભગ અશક્ય છે. આવી સ્થિતિમાં એ. આઇ. સિસ્ટમો આ તસવીરો અને વિડિીયોનું વિશ્લેષણ કરીને સંભવિત શંકાસ્પદ પ્રવૃત્તિઓ અથવા સૈન્ય લક્ષ્યો ઓળખવામાં મદદ કરે છે. ટાર્ગેટિંગ સિસ્ટમ્સ: કેટલાક રિપોર્ટ અને રિસર્ચમાં સામે આવ્યું છે કે ઇઝરાયેલ Lavender અને Gospel જેવી સિસ્ટમ્સ એ. આઇ.નો ઉપયોગ કરીને નક્કી કરે છે કે કોના પર હુમલો કરવો. આ સિસ્ટમ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ ડેટાનું વિશ્લેષણ કરીને સંભવિત લોકો અથવા સૈન્ય ઠેકાણાં ઓળખવામાં મદદ કરે છે. અમેરિકાનો પ્રોજેક્ટ મેવન એવો જ એક પ્રોજેક્ટ છે, જેમાં એ. આઇ. ડ્રોન અને સેટેલાઇટમાંથી મળતા વિડીયોમાં સંભવિત લક્ષ્યો ઓળખવામાં મદદ કરે છે. સૈન્ય વ્યૂહરચના અને નિર્ણય: એ. આઇ. યુદ્ધની વ્યૂહરચના બનાવવામાં પણ ઉપયોગી બની રહ્યું છે. કમ્પ્યૂટર એલ્ગોરિધમ લાખો સંભાવિત પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરીને સૂચન આપી શકે છે કે કઈ દિશાથી હુમલો કરવો વધુ અસરકારક રહેશે, કયા વિસ્તારમાં સૈનિકો મૂકવા અથવા કયાં હથિયારો અને સંસાધનોનો ક્યાં ઉપયોગ કરવો. ડ્રોન અને ઓટોનોમસ હથિયારો: એ. આઇ.-સંચાલિત ડ્રોન હવે માનવીય હસ્તક્ષેપ વિના ઉડાન ભરી શકે છે, લક્ષ્યને ઓળખી શકે છે અને હુમલો કરી શકે છે. આ સિવાય સેંકડો નાનાં ડ્રોન્સ દ્વારા એકસાથે તાલમેલથી હુમલો કરી શકે છે. આ કિલર રોબોટ્સની એ જ દુનિયા છે, જેના વિશે વૈજ્ઞાનિકો વર્ષોથી ચેતવણી આપી રહ્યા હતા. સાઇબર યુદ્ધ અને ડીપફેક: એ. આઇ.ની મદદથી સાઇબર હુમલા વધુ તેજ અને સચોટ બની ગયા છે. એ. આઇ. ડીપફેક અને ખોટી માહિતી ફેલાવવાનું કામ પણ સરળતાથી કરી આપે છે. યુદ્ધમાં હવે તેનું પણ ખૂબ મહત્ત્વ છે. શું હવે જીવન-મરણ મશીન નક્કી કરશે? આ ટેક્નોલોજીના સમર્થકોનો તર્ક છે કે યુદ્ધમાં એ. આઇ.ના ઉપયોગથી હુમલા વધુ ‘ચોક્કસ’ બની શકે છે, જેનાથી સામાન્ય નાગરિકોના જીવ બચાવી શકાય. સાથે માનવ સૈનિકોને જોખમમાં મૂકવા પડતા નથી. જોખમો તેના ફાયદાઓ કરતાં વધુ ભયાનક છે. જ્યારે એ. આઇ. સિસ્ટમ અપૂરતા કે જૂના ડેટા પર કામ કરે અને માનવીય દેખરેખ અપૂરતી હોય, ત્યારે ઈરાન જેવી દુર્ઘટના થવાનું જોખમ વધી જાય છે. યુદ્ધમાં એ. આઇ.ના ઉપયોગથી ગંભીર નૈતિક પ્રશ્નો ઊભા થાય છે. સૌથી પહેલો સવાલ જવાબદારીનો છે. જો એ. આઇ. ખોટું લક્ષ્ય ઓળખે અને નિર્દોષ લોકોના જીવ જાય, તો જવાબદાર કોણ? મશીન, કંપની કે બટન દબાવનાર સૈનિકની? બીજો મુદ્દો ડેટા અને પૂર્વગ્રહનો છે. એ. આઇ. એ જ માહિતી પર કામ કરે છે જે તેને આપવામાં આવે છે; જો ડેટા જૂનો કે ખોટો હોય તો નિર્ણય પણ ખોટો થઈ શકે. ત્રીજો ખતરો એ છે કે જ્યારે નિર્ણયો અત્યંત ઝડપથી લેવાય છે, ત્યારે માણસ મશીન પર આંધળો વિશ્વાસ કરવા લાગે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું માનવીય લાગણીઓ વિના ચાલતું સોફ્ટવેર નક્કી કરશે કે કોણ જીવશે અને કોણ મરશે? એ. આઇ. અંગેનો જે ડર ગઈકાલ સુધી માત્ર ભવિષ્યની કલ્પના હતો, તે આજે વર્તમાન બની ચૂક્યો છે. જે રીતે ભૂતકાળમાં પરમાણુ હથિયારો માટે આંતરરાષ્ટ્રીય સંધિઓ બની હતી, તેવી જ રીતે આજે ‘એ. આઇ. વેપન્સ’ માટે કડક નિયમોની જરૂર છે. એ. આઇ. શક્તિશાળી સાધન છે. તે કેન્સર સામે લડવામાં મદદ કરી શકે છે અને શાળાઓ પર નિશાન પણ સાધી શકે છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ સર્જન માટે કરવો કે વિનાશ માટે, તે સરકારોથી લઈને આપણા સૌના હાથમાં છે.
    Click here to Read More
    Previous Article
    વિસ્મય:સાયક્સ-પાઈકો સમજૂતીઃ જેણે વેરના વાવેતર આદરીને અંતહીન યુદ્ધોનો પાક ઉતાર્યો
    Next Article
    સફર:પર્થ જ્યાં 2 હજાર કિલોમીટર સુધી બીજું નગર નથી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment