Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અલ્પેશ ચાવડા ભ્રષ્ટાચારનું હબ છે':જૂનાગઢમાં ગટરના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, ભાજપના કોર્પોરેટરનો ACB તપાસની માંગ સાથે કોન્ટ્રાક્ટર દ્વારા જીવલેણ હુમલાનો આરોપ

    12 hours ago

    જૂનાગઢ મહાનગરપાલિકામાં ચાલતા વિકાસકામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને અધિકારીઓની મિલીભગતનો ચોંકાવનારો ખુલાસો ખુદ સત્તાધારી પક્ષના કોર્પોરેટરે કર્યો છે. વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર હસમુખભાઈ મકવાણાએ વોટર વર્ક્સ શાખાના એન્જિનિયર અલ્પેશ ચાવડાને ભ્રષ્ટાચારનું ‘હબ’ ગણાવી, તેમની સંપત્તિની એસીબી તપાસ કરવાની માંગ સાથે ગંભીર આક્ષેપો કર્યા છે. અધિકારી અને કોન્ટ્રાક્ટરની દાદાગીરી કેવડાવાડી વિસ્તારમાં કરોડોના ખર્ચે ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામની ગુણવત્તા ચકાસવા ગયેલા કોર્પોરેટર અને પત્રકારો સાથે કોન્ટ્રાક્ટરોએ ગેરવર્તણૂક કરી ધમકી આપી હતી. કોર્પોરેટરનો આરોપ છે કે અધિકારી અલ્પેશ ચાવડાના પીઠબળને કારણે કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે. એટલું જ નહીં, આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા કોર્પોરેટર પર જીવલેણ હુમલો કરાવવાનો પ્રયાસ થયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. સ્થાનિકોની હાલાકી અને આરોગ્ય સાથે ચેડાં કેવડાવાડી વિસ્તારના 80 વર્ષીય વૃદ્ધ મોહમ્મદ અલી કાદરીએ હૃદયદ્રાવક વ્યથા ઠાલવતા જણાવ્યું કે: ગટરના ચેમ્બરનું કામ નબળું હોવાથી દૂષિત પાણી પીવાના પાણીના બોરમાં ભળી ગયું છે. પ્રદૂષિત પાણીને કારણે પરિવારના 4 સભ્યો ઝાડા-ઉલટીનો ભોગ બન્યા છે. કામ બાબતે રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર જયેશભાઈએ વૃદ્ધ સાથે અત્યંત અભદ્ર ભાષામાં વાત કરી "જે થાય તે કરી લેવા"ની ખુલ્લી ધમકી આપી હતી. તંત્ર સામે ઉઠતા સવાલો કોર્પોરેટર હસમુખભાઈએ અધિકારી અલ્પેશ ચાવડાની ડિગ્રી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. આક્ષેપ છે કે કાયદેસરની એન્જિનિયરિંગ ડિગ્રી ન હોવા છતાં તેમને વોટર વર્ક્સ જેવી મહત્વની શાખા સોંપવામાં આવી છે. નરસિંહ મહેતા તળાવ, પાણીની પાઈપલાઈન અને રસ્તાના કામોમાં પણ આ અધિકારીની સીધી ભાગીદારી હોવાના આક્ષેપ થયા છે. સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દેદારોએ પણ અગાઉ કામો નિયમ વિરુદ્ધ થતા હોવાનું સ્વીકાર્યું હોવા છતાં કમિશનર દ્વારા કોઈ કડક પગલાં લેવાયા નથી. એન્જિનિયરનો સંપર્ક કરતા મૌન ધારણ કર્યું જૂનાગઢમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ જ્યારે મીડિયાએ એન્જિનિયર અલ્પેશ ચાવડાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે મૌન સેવી મુલાકાત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. હવે જોવાનું એ રહે છે કે ભાજપના જ પ્રતિનિધિ દ્વારા ઉઠાવવામાં આવેલા આ ગંભીર મુદ્દે રાજ્ય સરકાર કે એસીબી કોઈ નિષ્પક્ષ તપાસ હાથ ધરે છે કે કેમ?
    Click here to Read More
    Previous Article
    ગુજરાત હાઈકોર્ટની 16 વર્ષીય સગીરાના 22 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી:મેડિકલ રિપોર્ટના આધારે કોર્ટે આદેશ કર્યો, સગીરાની મંજૂરી બાદ જ એબોર્શન કરવા કહ્યું
    Next Article
    બોટાદના સરવા ગામે મહિલાઓ વચ્ચે છૂટાહાથની મારામારી:દુકાન ભાડાનો વિવાદ, ભોગ બનનારે પાળિયાદ પોલીસ પર ગંભીર આક્ષેપો કરી LCBને તપાસ સોંપવા માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment