Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજકારણ ગરમાયું:એજ્યુકેશન ફેકલ્ટી ડીન કોંગ્રેસના ડૉ.બારોટની તમામ નિમણૂંકો ખોટી, વિજલન્સ - ACB તપાસ કરાવવા પ્રોફેસર ડો.મહેતાની માંગ

    2 days ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડો.નિદત્ત બારોટની લેક્ચરરથી લઈને પ્રિન્સિપાલ, ડીન અને અન્ય હોદ્દાઓ સુધીની તમામ નિમણૂંકો ખોટી રીતે થઈ હોવાનો આક્ષેપ અંગ્રેજી ભવનના વડા ડો.કમલ મહેતાએ રાજ્યના શિક્ષણ વિભાગ અને કુલપતિને 20 જૂનના રજૂઆત કરવામાં આવી છે. RTI હેઠળ પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ડૉ.બારોટની નિમણૂકમાં યુજીસીના નિયમો, લઘુત્તમ લાયકાતો અને ભરતી પ્રક્રિયાનો ગંભીર ભંગ થયાનો આક્ષેપ થયો છે. જોકે આ આક્ષેપોને ડૉ.બારોટે મનઘડંત ગણાવી ફગાવી દીધા છે અને તેમની બી. એડ. કોલેજના પ્રિન્સિપાલ તરીકેની નિમણૂક કાયદેસર થઈ હોવાનો વર્ષ 2011 નો NCTE (નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન) નો પત્ર જાહેર કર્યો છે. અરજીમાં કરાયેલા આક્ષેપો મુજબ, ડો. નિદત્ત બારોટની 2002માં ટી.એન.રાવ બી.એડ્. કોલેજમાં લેક્ચરર તરીકેની પ્રથમ નિમણૂક સમયે યુજીસીના રેગ્યુલેશન મુજબ નેટ પરીક્ષા પાસ કરેલી હોવી અનિવાર્ય હતી, જે લાયકાત તેઓ ધરાવતા ન હતા. આ ઉપરાંત 2006 અને 2009ના યુજીસીના સુધારેલા નિયમો મુજબ પ્રિન્સિપાલ તરીકે નિમણૂક મેળવવા માટે 15 વર્ષનો અનુભવ અને એસોસિએટ પ્રોફેસર જેવું ડેઝિગ્નેશન હોવું જરૂરી હતુ પરંતુ ડો. બારોટ આ માપદંડો પૂર્ણ કરતા ન હોવા છતાં નિમણૂકો મેળવી હોવાના આક્ષેપો છે. અરજીમાં સૌથી ગંભીર આક્ષેપ એ છે કે જે કોલેજોમાં ડો. બારોટે નિમણૂંક મેળવી. તે જ કોલેજોના ટ્રસ્ટમાં તેઓ અને તેમના પિતા ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવે છે. કાયદાની ભાષામાં ‘કોન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ બનતો હોવા છતાં તેઓ સવેતન નોકરી પર રહ્યા. આ સિવાય ઈન્સ્ટીટ્યુટ ઓફ લેગ્વેજ ટીચિંગ કોલેજ (જામનગર) નું રાજકોટ સ્થળાંતર અને તે પ્રક્રિયામાં રહેલી શંકાસ્પદ બાબતો પણ તપાસનો વિષય બની છે. આર.ટી.આઈ.માં પ્રાપ્ત દસ્તાવેજોમાં ચોંકાવનારી સમાનતા જોવા મળી છે. વિવિધ કોલેજોના નિમણૂંક હુકમો અને સર્ટિફિકેટોમાં વપરાયેલ ફોન્ટ, પેજ સેટ-અપ અને અંગ્રેજી ભાષાની ભૂલો એકસરખી જોવા મળે છે. જે સૂચવે છે કે આ તમામ દસ્તાવેજો એક જ સમયે અને એક જ સ્થળેથી ટાઈપ થયા હોઈ શકે છે. વધુમાં, હુકમો અને હાજર રિપોર્ટમાં ટ્રસ્ટીઓની સહીઓ મેચ ન થવી તે ફોર્જરીની આશંકા પણ જન્માવે છે. અરજીમાં સમગ્ર પ્રકરણને "કડીબદ્ધ મહાકૌભાંડ" ગણાવી ડૉ. બારોટ ઉપરાંત સંબંધિત ત્રણેય કોલેજો, ટ્રસ્ટો, ટ્રસ્ટીઓ અને તે સમયના જવાબદાર અધિકારીઓની પણ ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. જો જરૂર જણાય તો વિજિલન્સ અથવા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ તપાસ કરાવવા, નિયમવિરુદ્ધ ચૂકવાયેલા સરકારી પગાર અને ભથ્થાં વ્યાજ સહિત વસૂલવા તેમજ જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે. આ સાથે જ ડૉ. નિદત્ત બારોટને ડીન, પ્રિન્સિપાલ અને અન્ય સત્તામંડળોના હોદ્દાઓ પરથી તાત્કાલિક દૂર કરી તેમની તમામ નિમણૂંકો, ભરતી પ્રક્રિયા, નીતિગત નિર્ણયો, ગ્રેડ-પે, પીએચ.ડી. ગાઈડશિપ અને હાઈકોર્ટ સમક્ષ રજૂ કરાયેલા દાવાઓની પણ સઘન તપાસ હાથ ધરી યોગ્ય કાયદેસર પગલાં લેવા યુનિવર્સિટીને વિનંતી કરવામાં આવી છે. જ્યારે આ મામલે ડૉ.નિદત બારોટે જણાવ્યું હતું કે, જેમ પોતે ચોરી કરતા પકડાઈ ગયા અને પોતાના પેપર ખોટા હતા એ સાબિત થયું. જેથી તેને પોતાના પેપર પાછા ખેંચવા પડ્યા. તેને બીજા ઉપર આંગળી ઉઠાવવી જોઈએ નહીં. ડૉ.કમલ મહેતાને વર્ષ 2018 પ્રમાણે પ્રમોશન નહોતું મળતું. હવે વર્ષ 2010 પ્રમાણે પ્રમોશન લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેની સામે મેં લોકાયુક્તમાં ફરિયાદ કરી છે. આ બધાથી વ્યક્તિત થઈને મનઘડંત આરોપો કરે છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા હત્યા કેસ: બે સગા ભાઈ ઝડપાયા:કોટડા ગામે 25 જૂને થયેલી હત્યામાં પોલીસે ધરપકડ કરી
    Next Article
    સુરતથી કોકેઈન સાથે પકડાયેલો આરોપી બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન પણ જઈ આવ્યો:ટ્રોલી બેગનું રેગ્ઝીન ફાડીને સ્પેશિયલ ખાનામાં સંતાડ્યું હતું ડ્રગ્સ, તપાસમાં ઈન્ટરનેશનલ કનેક્શન ખુલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment