Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ABVP દ્વારા તિરંગા યાત્રા યોજાઈ:110 મીટર ધ્વજ સાથે 200થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

    1 day ago

    જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા 20 ઓગસ્ટ, 2026ના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાના હેતુથી યોજાઈ હતી.આ યાત્રામાં આશરે 110 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે 200થી વધુ વિદ્યાર્થીઓ તેમજ ABVPના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. વિશાળ તિરંગા સાથે યોજાયેલી આ યાત્રા દ્વારા યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત આ તિરંગા યાત્રા જામનગરમાં રાષ્ટ્રપ્રેમ અને યુવા શક્તિના સંગમનું પ્રતીક બની હતી.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં રવિદાસજી મહારાજની 650મી જયંતીની ભવ્ય ઉજવણી:ભોલાવમાં રામજી મંદિરથી પાર્થનગર મંદિર સુધી કળશ યાત્રા યોજાઈ
    Next Article
    બોટાદ ભાજપનો ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ શરૂ:પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment