Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહજાનંદ કોલેજમાં વિદ્યાર્થી પર હુમલાનો મામલો ગરમાયો:ABVPનું ઉગ્ર વિરોધ પ્રદર્શન અને તાળાબંધીની ચીમકી

    1 day ago

    શહેરની સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર થયેલા હુમલાને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે કેમ્પસ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેમ્પસમાં વધતી જતી ગુંડાગીરી અને સત્તાધિકારીઓની ઉદાસીનતા સામે વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. આ અંગે એબીવીપીના જિલ્લા સંયોજક ગૌરવ ચૌહાણએ જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલા કોલેજના એક વિદ્યાર્થીને ગ્રાઉન્ડમાં લઈ જઈને 10 જેટલા શખ્સો દ્વારા નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો, આ ઘટના અંગે કોલેજ સત્તાધીશોને જાણ કરવા છતાં તેમના દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી, જે ચાર દિવસ સુધી ચાલતી રહેતા આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા કેમ્પસ સામે મોટી સંખ્યામાં એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અંગે ધર્મરાજસિંહ ગોહિલ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોલેજ વહીવટીતંત્ર આ ઘટનાને ગંભીરતાથી લેવાને બદલે જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યું છે. કોલેજ કેમ્પસમાં મોબાઈલ ચેકિંગના નામે પૈસા ઉઘરાવતા સત્તાધીશોને વિદ્યાર્થીઓ પાસે રહેલા હથિયારો કેમ નથી દેખાતા, હુમલામાં સામેલ 10 શખ્સોમાંથી માત્ર 4 વિરુદ્ધ જ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જ્યારે બાકીના હજુ પણ મુક્ત છે આ તત્વોમાં કોલેજ બહારના અને અસામાજિક તત્વોનો સમાવેશ થાય છે.,વિદ્યાર્થીઓએ આશંકા વ્યક્ત કરી છે કે જો આવી રીતે બહારના લુખ્ખા તત્વો કેમ્પસમાં પ્રવેશતા રહેશે અને બહેન-દીકરીઓની છેડતી તથા વિદ્યાર્થીઓ પર હુમલા થતા રહેશે, તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે? ​ABVP ની મુખ્ય માંગણીઓ છે કે, ​ઘટનામાં સામેલ તમામ ગુનેગારો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, ​કોલેજ સત્તાધીશો આ મામલે પોતે ફરિયાદી બને અને પોતાની જવાબદારી સ્વીકારે., ​દોષિત વિદ્યાર્થીઓને ડિસમિસ કરવામાં આવે અને તેમને ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં પ્રવેશ ન મળે તેવું કડક પગલું લેવામાં આવે., ​કેમ્પસમાં બહારના અસામાજિક તત્વોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે.. કોલેજ સત્તાવાળાઓ દ્વારા 17 તારીખ સુધીમાં પગલાં લેવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે, પરંતુ વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને કેમ્પસ પર તાળાબંધી કરવામાં આવશે. આ મામલે હવે વિદ્યાર્થી પરિષદ પોલીસ અધિક્ષકને મળીને રજૂઆત કરશે...
    Click here to Read More
    Previous Article
    વાઘની પજવણી કરનારા બે પ્રવાસીઓ ઝડપાયા:​સક્કરબાગ ઝૂના પાંજરામાં વાઘના મોઢા પર ગમછો નાખી હેરાન કરનારા રાજકોટના બે શખ્સોની ધરપકડ:વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગની કાર્યવાહી.
    Next Article
    પાટણમાં 'જગન્નાથ પ્રકૃતિ વન'નું નિર્માણ શરૂ:જિલ્લા કલેક્ટરના હસ્તે વૃક્ષારોપણ સાથે શુભારંભ, જગન્નાથજીનું પૂજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment