Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ખાતે AAPએ કરી શાનદાર ઉજવણી:પંજાબની સ્થાનિક ચૂંટણીઓમાં AAPને મળેલી ભવ્ય જીતની ખુશીમાં ફટાકડા ફોડી, મોં મીઠું કરાવી ઉજવણી

    12 hours ago

    પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતાં સુરતમાં તેની ઉજવણી કરવામાં આવી હતી. પ્રદેશના પદાધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ તેમજ કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડીને આ જીતને વધાવી લીધી હતી. આ સાથે આમ આદમી પાર્ટી પ્રદેશના નેતાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. 1975 શહેરી સ્થાનિક સ્વરાજ્યની બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપપ્રમુખ રામ ધડુકે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાને લગભગ ચાર વર્ષ અને બે મહિના થયા છે અને વિધાનસભા ચૂંટણીના આશરે આઠ મહિના પહેલાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં પંજાબના લોકોએ કામની રાજનીતિ પર મહોર મારી છે. પંજાબમાં કુલ 1975 શહેરી સ્થાનિક સ્વરાજ્યની બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 8 મ્યુનિસિપલ કોર્પોરેશન, 75 મ્યુનિસિપલ કાઉન્સિલ અને 20 નગરપંચાયતોનો સમાવેશ થતો હતો. આમ આદમી પાર્ટીને હવે શહેરી વિસ્તારોમાં પણ જંગી સમર્થન મળ્યું આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 50 ટકાથી વધુ બેઠકો પર જીત મેળવી છે અને પહેલી વખત 5થી વધુ મેયર પણ આમ આદમી પાર્ટીના બનશે. તેમણે જણાવ્યું હતું કે ગામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પહેલાથી જ મજબૂત રહેલી આમ આદમી પાર્ટીને હવે શહેરી વિસ્તારોમાં પણ જંગી સમર્થન મળ્યું છે. બેલેટ પેપરથી યોજાયેલી શહેરી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 5 કોર્પોરેશનમાં પૂર્ણ બહુમત મળ્યું છે, જ્યારે ઇડી પાર્ટી સહિતના અનેક પક્ષોની મોટાભાગની બેઠકો પર જમાનત જપ્ત થઈ છે. પંજાબમાં 251 જેટલા અપક્ષ ઉમેદવારો જીત્યા હોવા છતાં કોંગ્રેસ, અકાલી દળ અને અન્ય પક્ષોની સરખામણીએ આમ આદમી પાર્ટીએ એકલેએ જ સૌથી મોટી સફળતા મેળવી છે. અગાઉની સરકારો 80 વર્ષમાં ન કરી શકી તે 4 વર્ષમાં કર્યું પ્રદેશ સંગઠન મંત્રી અને સ્થાનિક કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થા, સુરક્ષા, વિકાસ અને પ્રવાસન સહિતના ક્ષેત્રોમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ છેલ્લા ચાર વર્ષમાં જે કામ કર્યું છે તે અગાઉની સરકારો 80 વર્ષમાં પણ કરી શકી નથી. પંજાબના શહેરોમાં સારી સરકારી શાળાઓ, મહોલ્લા ક્લિનિકો, પ્રાઈવેટ સ્કૂલોની લૂંટ પર નિયંત્રણ અને લોકોને બે મહિનામાં 599 યુનિટ સુધી મફત વીજળી જેવી યોજનાઓના કારણે ગામડાઓની સાથે શહેરી વર્ગે પણ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શહેરીજનોને પણ પંજાબના લોકોની જેમ કામની રાજનીતિને પસંદ કરવાની અપીલ કરી તેમણે જણાવ્યું હતું કે લોકોમાં ઈવીએમ હેકિંગ અંગે શંકા હોવાથી પંજાબમાં બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હતી અને લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરવા બહાર આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આમ આદમી પાર્ટી હંમેશા ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતો, મજૂરો, શ્રમિકો અને મધ્યમ વર્ગના હક માટે લડતી આવી છે અને સુરત તેમજ ગુજરાતના શહેરીજનોને પણ પંજાબના લોકોની જેમ કામની રાજનીતિને પસંદ કરવાની અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબી મેયરની ઓચિંતી મુલાકાતથી તંત્રમાં દોડધામ:પાલિકા કચેરી અને સિવિલ હોસ્પિટલની કામગીરીનું નિરીક્ષણ કર્યું
    Next Article
    વલસાડના કપરાડામાં 5 વર્ષના બાળક પર કૂતરાનો હુમલો:ગળાના ભાગે બચકું ભર્યું, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment