Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના ધારાસભ્યના નિવેદનથી ખુલાસો, સ્ટ્રેચર ખેંચવા સ્ટાફ પણ નથી: AAP:સિવિલ હોસ્પિટલની કથળી ગયેલી સ્થિતિ પર AAP નેતા પાયલ સાકરીયાએ ભાજપ સરકારને આડે હાથ લીધી

    1 week ago

    ગુજરાતમાં હોસ્પિટલોની કથળી ગયેલી પરિસ્થિતિ અંગે ખુદ ભાજપના જ સુરતના ધારાસભ્યએ વિધાનસભામાં પોતાની વેદના ઠાલવી હતી. વિકાસની મોટી મોટી વાતો અને વિકાસનો દુષ્પ્રચાર કરીને લોકોને છેતરવાના કામો કરતી ભાજપ સરકારના રાજમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જવા પૂરતો સ્ટાફ પણ નથી અને વાતો ‘હવાઈ કિલ્લા’ બાંધવાની કરે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના યુવા નેતા પાયલ સાકરિયાએ ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર ખેંચવા માટે માણસો નથી AAP યુવા નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, સુરતના મહિલા ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં કહ્યું કે સુરત સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર ખેંચવા માટે માણસો નથી. દર્દીઓના પરિવારજનો જ સ્ટ્રેચર ખેંચીને અંદર લઈ જાય છે અને બહાર લાવે છે. હાલ સુરતની સ્થિતિ એટલી કથળી ગઈ છે. આ બાબતે ઘણા લોકોએ અવાજ ઉઠાવ્યો છે, પરંતુ આ અવાજને ક્યાંકને ક્યાંક દબાવી દેવામાં આવે છે. કોઈ રીતે લોકો અવાજ ન ઉઠાવે તે માટે હંમેશા પ્રયાસો કરવામાં આવે છે. જો ખરેખર લોકોના વિકાસ માટે, આરોગ્ય માટે અને શિક્ષણ માટે પ્રયાસો કરવામાં આવ્યા હોત, તો આજે 30 વર્ષ પછી પણ ગુજરાતની આવી સ્થિતિ ન હોત. 30 વર્ષ પછી પણ આરોગ્ય સેવાઓ સુધારી શકાઈ નથી AAP નેતા પાયલ સાકરીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, જે સુરતમાં આરોગ્ય મંત્રી પોતે રહે છે, એ જ શહેરમાં સિવિલ હોસ્પિટલની આવી કથળી ગયેલી પરિસ્થિતિ હોય, તો આખા ગુજરાતની કેવી સ્થિતિ હશે? એવું નથી કે આરોગ્ય મંત્રીને આ બાબતે ખબર નથી. તેમને પણ ખબર છે કે ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા કથળી ગઈ છે. તેમણે પોતે પણ સારવાર લેવા માટે ગુજરાતની બહાર જવું પડે છે અને ત્યાંથી સારવાર લઈને પાછા આવે છે. એક તરફ સરકાર લોકો સમક્ષ આરોગ્ય સુવિધાઓની મોટી મોટી વાતો કરે છે અને વાહવાહી લૂંટે છે. તેમને આ પરિસ્થિતિ માટે જવાબદાર માનવા જોઈએ. આજે 30 વર્ષ પછી પણ જો આરોગ્ય સેવાઓ સુધારી શકાઈ નથી, અને આરોગ્ય મંત્રીને પોતે સારવાર માટે બહાર જવું પડે છે, તથા તેમની જ પાર્ટીના ધારાસભ્ય કહે છે કે, સિવિલ હોસ્પિટલની સ્થિતિ કથળી ગઈ છે, તો આથી વધુ શું કહી શકાય? શું ઘટના હતી? થોડા દિવસ પહેલા ઉધના વિસ્તારમાં રહેતા 7 વર્ષીય આયુષનો પગ લપસી જતા તેને પગના ભાગે ઇજા પહોંચી હતી. ઘટના બાદ માતા-પિતા તાત્કાલિક તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં કિડની બિલ્ડિંગમાંથી સારવાર કરાવી હતી. ત્યારબાદ વ્હીલચેર નહીં મળતા લાચાર બનેલા પિતા બાળકને ઊંચકીને લઈ જતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે વ્હીલચેર જેવી મૂળભૂત સુવિધા પણ સમયસર ઉપલબ્ધ ન હોવાના આક્ષેપો સામે આવતા હોસ્પિટલ તંત્રની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    4 ચોપડી ભણેલો ચોર ATM પીન બદલી ખેલ કરતો:ઊંઘની ગોળીઓ આપી ટ્રેનમાં મુસાફરને બેભાન કરી દેતો, દેશભરમાં ચોરીઓ કરી; અમદાવાદ રેલવે પોલીસે દબોચ્યો
    Next Article
    વલસાડ SPએ 126 પોલીસકર્મીઓની બદલી કરી:વહીવટી સરળતા માટે ASI, હેડ કોન્સ્ટેબલ અને મહિલા કર્મીઓનો સમાવેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment