Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભ્રષ્ટ શાસનથી જનતા કંટાળી, હવે ઝાડૂ જ લાવશે પરિવર્તન:બાપુનગરમાં AAPની ‘વિજય વિશ્વાસ સભા’, ગોપાલ રાય અને સંજીવ ઝાની હાજરીમાં પરિવર્તનનો હુંકાર

    2 weeks ago

    અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ‘વિજય વિશ્વાસ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, દિલ્હીના ધારાસભ્ય સંજીવ ઝા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, કાર્યકર્તાઓ અને પક્ષના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીએ બાપુનગરના વિવિધ સ્થાનિક મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને વર્તમાન શાસન સામે આક્ષેપો કર્યા હતા. આવનારા સમયમાં જનતા પરિવર્તન માટે ઝાડૂના નિશાનને મત આપશે પાર્ટીના નેતાઓએ દાવો કર્યો કે, ભ્રષ્ટ શાસનથી જનતા હવે કંટાળી ગઈ છે અને પરિવર્તન માટે તૈયાર છે. સભામાં ઉપસ્થિત લોકોએ આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. AAPના નેતાઓએ જણાવ્યું કે, આવનારા સમયમાં જનતા પરિવર્તન માટે ઝાડૂના નિશાનને મત આપશે અને રાજ્યમાં નવી રાજનીતિક દિશા આપશે. આમ આદમી પાર્ટી દ્વારા આ સભાને સફળ ગણાવીને આગામી ચૂંટણી માટે સકારાત્મક સંકેત તરીકે રજૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ક્વિન્ટન ડી કોકની શાનદાર સદી:પંજાબ કિંગ્સના બોલર્સને ધોઈ નાખ્યા, મુંબઈ ઈન્ડિયન્સે 4 વિકેટ ગુમાવી
    Next Article
    બોપલમાં વીવીઆના ફ્લેટમાં ANTF સ્કવોડની રેડ:ભાડૂઆતના ઘરે ડ્રગ્સ-ગાંજા, કોકેઈન અને દારુ સહિતનો 18 લાખનો મુદ્દામાલ મળ્યો, એકની ધરપકડ 4 ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment