Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશી પહેલીવાર ઈન્ડિયા-Aમાં સિલેક્ટ થયો:તિલક વર્મા કેપ્ટન; જૂનમાં શ્રીલંકામાં ટ્રાઇ સિરીઝ યોજાશે, ત્રીજી ટીમ અફઘાનિસ્તાન-Aની છે

    16 hours ago

    15 વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ઈન્ડિયા-Aમાં સ્થાન મળ્યું છે. શ્રીલંકામાં જૂનમાં યોજાનારી વન-ડે ટ્રાઇ-સિરીઝ માટે ગુરુવારે ટીમની જાહેરાત કરવામાં આવી. તિલક વર્માને ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે, જ્યારે રિયાન પરાગ વાઇસ કેપ્ટન હશે. સિરીઝમાં ઈન્ડિયા-A ઉપરાંત શ્રીલંકા-A અને અફઘાનિસ્તાન-Aની ટીમ ભાગ લેશે. તો, અફઘાનિસ્તાન સામેની વન-ડે અને ટેસ્ટ સિરીઝ માટે ભારતની સિનિયર ટીમોની જાહેરાત 19 મેના રોજ થઈ શકે છે. સૂર્યવંશીએ લિસ્ટ-Aમાં 353 રન બનાવ્યા વૈભવ સૂર્યવંશીએ લિસ્ટ-A (50 ઓવર) ક્રિકેટમાં અત્યાર સુધી 8 મેચ રમી છે. આ દરમિયાન તેણે 44.12ની સરેરાશ અને 164.95ના સ્ટ્રાઈક રેટથી 353 રન બનાવ્યા. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 190 રન રહ્યો છે. સૂર્યવંશીએ આ ફોર્મેટમાં 1 સદી અને 1 અડધી સદી ફટકારી છે. તેણે 37 ચોગ્ગા અને 23 છગ્ગા પણ ફટકાર્યા છે. એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં 243થી વધુનો સ્ટ્રાઈક રેટ વૈભવ સૂર્યવંશીએ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ T20માં 4 મેચમાં 59.75ની સરેરાશ અને 243.87ના સ્ટ્રાઈક રેટથી 239 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 144 રન રહ્યો હતો. સૂર્યવંશીએ આ સિરીઝમાં એક સદી પણ ફટકારી હતી. તેણે 20 ચોગ્ગા અને 22 છગ્ગા લગાવ્યા છે. પ્રિયાંશ-પ્રભસિમરનના નામ પણ સામેલ BCCIએ સ્ક્વોડમાં પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, આયુષ બદોની, નિશાંત સિંધુ અને અંશુલ કંબોજ જેવા યુવા ખેલાડીઓને તક આપી છે. વિકેટકીપર તરીકે પ્રભસિમરન સિંહ અને કુમાર કુશાગ્ર ટીમમાં સામેલ છે. ટ્રાઇ સિરીઝ માટે ઈન્ડિયા-A સ્ક્વોડ- તિલક વર્મા (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ (વાઇસ-કેપ્ટન), આયુષ બદોની, નિશાંત સિંધુ, હર્ષ દુબે, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), વિપરાજ નિગમ, યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ, અંશુલ કંબોજ, અરશદ ખાન. વન-ડે ટ્રાઇ-સિરીઝની તમામ મેચ દાંબુલામાં રમાશે. આ પછી, ઈન્ડિયા-A ટીમ શ્રીલંકા-A સામે બે મલ્ટી-ડે મેચ પણ રમશે, જેના માટે અલગ ટીમની જાહેરાત પછીથી કરવામાં આવશે. સિનિયર ટીમમાંથી બુમરાહને આરામ આપવામાં આવી શકે છે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ IPL સમાપ્ત થયા પછી તરત જ 6 જૂને ન્યૂ ચંદીગઢમાં રમાવાની છે. આવી સ્થિતિમાં, પસંદગીકારો ટીમમાં કેટલાક નવા ચહેરાઓને તક આપી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહને આ ટેસ્ટમાં આરામ આપવામાં આવી શકે છે, કારણ કે આ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ નથી. ગિલ જ કેપ્ટનશીપ કરશે શુભમન ગિલ જ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. પંજાબના ફાસ્ટ બોલર ગુરનૂર બરારનું નામ પણ ચર્ચામાં છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પસંદગીકારોને તેની સતત સારી લાઇન-લેન્થ, ઝડપી બોલિંગ અને મૂવમેન્ટે પ્રભાવિત કર્યા છે. વન-ડેમાં ઈશાનનું કમબેક થઈ શકે છે વન-ડે ટીમમાં બહુ મોટા ફેરફારોની અપેક્ષા નથી, પરંતુ બીજા વિકેટકીપરને લઈને ચર્ચા ખૂબ છે. રિષભ પંત લાંબા સમયથી ટીમ સેટઅપનો ભાગ રહ્યો છે, પરંતુ IPLમાં ખરાબ બેટિંગ ફોર્મના કારણે તેની જગ્યા પર સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન, ઈશાન કિશનના પરત ફરવાની સંભાવના વધી ગઈ છે. રિપોર્ટ અનુસાર, ગત પસંદગી બેઠકોમાં પણ તેનું નામ ચર્ચામાં રહ્યું હતું. ડાબા હાથના બેટર હોવા અને કોઈપણ ક્રમ પર બેટિંગ કરવાની ક્ષમતાને ટીમ મેનેજમેન્ટ મહત્વપૂર્ણ માની રહ્યું છે. T20માં કમબેક પછી તેનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. કેએલ રાહુલ હાલમાં ટીમ મેનેજમેન્ટની પ્રથમ પસંદગી બન્યો છે. તેનું ફોર્મ સારું છે અને આવતા વર્ષે સાઉથ આફ્રિકામાં યોજાનાર વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેનો અનુભવ ટીમ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જાડેજા-અક્ષરમાંથી એકને તક વન-ડે ટીમમાં સ્પિન ઓલરાઉન્ડરની જગ્યાને લઈને પણ મોટી ચર્ચા થઈ શકે છે. રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલમાંથી એકની પસંદગી કરવામાં આવશે, આ અંગે પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ વાતચીત કરી શકે છે. રિપોર્ટ અનુસાર, જાડેજાનું તાજેતરનું વન-ડે પ્રદર્શન બોલ અને બેટ બંનેથી અપેક્ષા મુજબનું રહ્યું નથી. ખાસ કરીને તેની બેટિંગ એપ્રોચને લઈને સવાલો છે, કારણ કે ટીમ મેનેજમેન્ટ તે બેટિંગ પોઝિશન પર વધુ આક્રમકતા ઇચ્છે છે.
    Click here to Read More
    Previous Article
    સાઉદી અરેબિયામાં T20 લીગ રમાશે:ઓક્ટોબરમાં શરૂ થશે, 6 ટીમ ભાગ લેશે; યુવરાજ સિંહ લીગનો એમ્બેસેડર બન્યો
    Next Article
    સચિવાલયના કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમની માગ કરી:સાપ સાથે રમત ભારે પડી, બેથી ત્રણ દિવસમાં આકરી ગરમીથી રાહત મળશે, NEETના પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રીનો વિરોધ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment