Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં 9,400 મતદારોના નામ રદ કરવા ફોર્મ ભરાયાના આક્ષેપ:ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તંત્ર સામે મોરચો માંડ્યો

    1 day ago

    વેરાવળ શહેરમાં મતદાર યાદીમાંથી આશરે 9,400 મતદારોના નામો રદ કરવા માટે ફોર્મ નંબર-7 ભરવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને પગલે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ મુદ્દે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તંત્ર સામે ખુલ્લેઆમ મોરચો ખોલ્યો છે. તેમણે લોકશાહીના મૂળ આધાર ગણાતી મતદાર યાદી સાથે ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપો કર્યા છે. ધારાસભ્ય ચુડાસમાએ વેરાવળના પ્રાંત અધિકારીને પત્ર લખી આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ પત્રની નકલ તેમણે જિલ્લા કલેક્ટર અને ગાંધીનગર સ્થિત મુખ્ય ચૂંટણી અધિકારીને પણ મોકલી છે, જે આ મુદ્દાની ગંભીરતા દર્શાવે છે. પત્રમાં ધારાસભ્યએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે મતદાર યાદીમાંથી નામો કાઢવા માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ નંબર-7નો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે શંકા વ્યક્ત કરી છે કે કોઈ ચોક્કસ જ્ઞાતિ અથવા રાજકીય પક્ષના સમર્થકોને આયોજનબદ્ધ રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ધારાસભ્યના મતે, જો આ પ્રકારના ફોર્મ મોટા પ્રમાણમાં એકસાથે ભરવામાં આવ્યા હોય, તો તેની પાછળ સંગઠિત ષડયંત્ર હોવાની સંભાવના નકારી શકાય નહીં. તેમણે જણાવ્યું કે નાગરિકોને મતાધિકારથી વંચિત કરવાનો પ્રયાસ બંધારણીય હકોનું ઉલ્લંઘન છે. વિમલ ચુડાસમાએ પત્રમાં કાયદાકીય જોગવાઈઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને, ખોટી માહિતીના આધારે મતદારનું નામ રદ કરાવવાનો પ્રયાસ કરે તો તેને કાયદા મુજબ એક વર્ષ સુધીની સજા થઈ શકે છે. ધારાસભ્યએ તંત્રને આ સમગ્ર પ્રક્રિયાની તટસ્થ, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવા વિનંતી કરી છે. તેમણે કોના દ્વારા, કયા આધાર પર અને કેટલી સંખ્યામાં ફોર્મ નંબર-7 ભરાયા તેની વિગતવાર તપાસ કરીને જવાબદાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો તંત્ર દ્વારા યોગ્ય અને ન્યાયસંગત કાર્યવાહી નહીં કરવામાં આવે, તો આગામી સમયમાં જન આક્રોશ સાથે આંદોલન કરવાની ચીમકી પણ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઉચ્ચારી છે. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મતદારના અધિકારો સાથે ચેડાં કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    મહિલા પોલીસકર્મી પર દુષ્કર્મ આચરનાર સિહોરનો શખ્સ જેલ હવાલે:રિમાન્ડ દરમિયાન યુવક પાસેથી કાર-મોબાઈલ પોલીસે કબજે કર્યા
    Next Article
    હિંમતનગરના ગોકુલેશ્વર મંદિરે 11 કુંડી મહારુદ્ર યાગ સંપન્ન:મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતી મહોત્સવ ઉજવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment