Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પડતર માંગ મુદ્દે આંગણવાડીના કર્મચારીઓમાં રોષ:નવસારી જિલ્લામાં 900 જેટલી આંગણવાડીઓ બુધવારે બંધ

    2 weeks ago

    નવસારી જિલ્લામાં કર્મચારીઓની વિવિધ માંગોને લઈ રજા ઉપર જતા બુધવારે 1300થી વધુ આંગણવાડી માંથી 900 જેટલી બંધ રહી હતી. આંગણવાડીઓમાં કરવા પડતા ખર્ચ,પગાર સહિત અનેક માંગો મુદ્દે કર્મચારીઓમાં નારાજગી છે. ખર્ચમાં વધારો કરાતો નથી તો સમયસર પણ ખર્ચના નાણાં ચૂકવવામાં આવતા નથી. પગાર મુદ્દે પણ અસંતોષ છે. જેને લઈ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને ત્રણ દિવસીય રજા ઉપર જવાની જાહેરાત કરી હતી. બુધવારે તેનો પહેલો દિવસ હતો ત્યારે ઉક્ત સંગઠન સાથે જોડાયેલ કર્મચારીઓ રજા ઉપર જતા જિલ્લામાં આવેલ 1300થી વધુ આંગણવાડીમાંથી 900 જેટલી બંધ રહ્યાની જાણકારી મળી હતી. જોકે 400થી વધુ આંગણવાડીમાં કર્મચારીઓ જતા ચાલુ પણ રહી હતી. મળતી માહિતી મુજબ વાંસદા, જલાલપોર તાલુકાની અનેક આંગણવાડીઓ ચાલુ રહી હતી. અહીં ઉલ્લેખનીય છે કે કર્મચારી સંગઠન દ્વારા 3 દિવસની રજા ઉપર જવાની જાહેરાત કરી હોય હજુ બે દિવસ બાકી બાકી છે.
    Click here to Read More
    Previous Article
    માર્ગ સલામતી ઉપર પ્રશ્નાર્થ:મહુવરના મુખ્ય માર્ગે દોડતા માટી ભરેલા વાહનો જોખમી‎
    Next Article
    લોકોને થયો મિશ્ર ઋતુનો અનુભવ:નવસારીમાં સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment