Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી પેટ્રોલ-ડીઝલ 90 પૈસા મોંઘું:5 દિવસમાં બીજી વખત વધારો, અમદાવાદમાં પેટ્રોલ 98.33 અને ડીઝલ 94.10 રૂપિયા પ્રતિ લિટર થયું

    1 week ago

    દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મંગળવારે 90 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં ઇંધણના ભાવમાં આ બીજો વધારો છે. આ પહેલા ગત 15 મે, શુક્રવારે જ કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. મોટા શહેરોમાં પેટ્રોલના ભાવ મોટા શહેરોમાં ડીઝલના ભાવ અન્ય વસ્તુઓના ભાવ પણ વધી શકે છે… પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં શા માટે વધારો થયો? આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં થતી વધઘટ છે. ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઇલના ભાવ 70 ડોલર હતા જે હવે વધીને 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. ક્રૂડના ભાવ વધવાને કારણે તેલ કંપનીઓ દબાણમાં હતી. તેથી કંપનીઓએ નુકસાન ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું છે. જો ક્રૂડ ઓઈલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. પડોશી દેશોમાં ભાવ વધ્યા, ભારતમાં હવે વધારો થયો સરકાર અત્યાર સુધી દલીલ કરતી હતી કે પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. આના કારણે પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકા જેવા પડોશી દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 15% થી 20% સુધીનો વધારો થયો, પરંતુ ભારતીય ગ્રાહકો પર તેનો બોજ નાખવામાં આવ્યો ન હતો. 2024 થી ભાવ બદલાયા ન હતા, ચૂંટણી પહેલા ઘટાડો થયો હતો દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો માર્ચ 2024થી સ્થિર રહી હતી. લોકસભા ચૂંટણી 2024 પહેલાં સરકારે કિંમતોમાં ₹2 પ્રતિ લિટરનો ઘટાડો કરીને જનતાને રાહત આપી હતી. જોકે, તકનીકી રીતે ભારતમાં ઇંધણની કિંમતો નિયંત્રિત છે અને કંપનીઓ આંતરરાષ્ટ્રીય ક્રૂડની 15 દિવસની સરેરાશ કિંમતના આધારે દરરોજ ભાવ બદલી શકે છે, પરંતુ રાજકીય સંવેદનશીલતાને કારણે તેમને લાંબા સમય સુધી બદલવામાં આવ્યા ન હતા. તેલ કંપનીઓને દર મહિને 30 હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું હતું સરકારના મતે, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતોને કારણે ખોટમાં ચાલી રહી હતી. પેટ્રોલિયમ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માના જણાવ્યા અનુસાર, કંપનીઓને પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના વેચાણ પર દર મહિને આશરે ₹30,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 10-10 રૂપિયા ઘટાડવામાં આવી હતી આ પહેલા સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવા માટે સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટીમાં 10-10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. પેટ્રોલ પર ડ્યુટી ₹13 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને ₹3 રૂપિયા, જ્યારે ડીઝલ પર ₹10 થી શૂન્ય કરી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા એક લિટર પેટ્રોલ પર કુલ 21.90 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવતી હતી. સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ઘટ્યા પછી તે 11.90 રૂપિયા રહી ગઈ હતી. આ જ રીતે, એક લિટર ડીઝલ પર કુલ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી 17.8 રૂપિયાથી ઘટીને 7.8 રૂપિયા પર આવી ગઈ હતી. સરકારનો આ નિર્ણય પેટ્રોલ-ડીઝલની કિંમતોને સ્થિર રાખવા માટે હતો. આ નિર્ણયને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા ન હતા. સંપૂર્ણ સમાચાર વાંચો… પીએમ મોદીએ કહ્યું હતું- ઇંધણનો ઉપયોગ ઓછો કરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણામાં એક કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ એશિયાના ભૌગોલિક-રાજકીય સંજોગોને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ ઉત્પાદનોના સાવચેતીપૂર્વક ઉપયોગનું સૂચન કર્યું હતું. પીએમએ કહ્યું હતું કે આજે સમયની માંગ છે કે પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ ખૂબ જ સંયમથી કરવામાં આવે. આપણે આયાતી પેટ્રો ઉત્પાદનોનો ઉપયોગ ફક્ત જરૂરિયાત મુજબ જ કરવો જોઈએ. આનાથી માત્ર વિદેશી હૂંડિયામણ જ નહીં બચે, પરંતુ યુદ્ધની પ્રતિકૂળ અસરો પણ ઓછી થશે. -------------------------- આ સમાચાર પણ વાંચો… દિલ્હી-NCRમાં CNG વધુ ₹1 મોંઘો:બે દિવસમાં ભાવ ₹3 વધ્યો, દિલ્હીમાં ₹80.09 અને નોઈડા-ગાઝિયાબાદમાં ₹88.70 કિલો થયો દિલ્હી-NCR માં આજે એટલે કે 17 મે થી CNGનો ભાવ 1 રૂપિયા વધી ગયો છે. દિલ્હીમાં હવે CNG 80.09 રૂપિયા પ્રતિ કિલોમાં મળશે. જ્યારે નોઈડા-ગાઝિયાબાદમાં તેના ભાવ 88.70 રૂપિયા થઈ ગયો છે. 2 દિવસમાં કિંમતોમાં આ બીજો વધારો છે. આ પહેલા 15 મે ના રોજ CNGના ભાવ 2 રૂપિયા પ્રતિ કિલો વધારવામાં આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    Fresh Gen Z dating terms you need to know
    Next Article
    જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં રૂ. 1.36 કરોડનું ચેક કૌભાંડ:હંગામી કર્મચારીએ રોગી કલ્યાણ સમિતિના નાણા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા, પોલીસ ફરિયાદ નોંધાતાં ચકચાર, તપાસનો ધમધમાટ શરૂ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment