Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ પોલીસ તંત્રમાં મોટો ફેરફાર:જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ 9 નવા PIની નિમણૂક, 3ની આંતરિક બદલી કરી

    11 hours ago

    રાજ્યના ગૃહ વિભાગના આદેશ બાદ ગીર સોમનાથ જિલ્લાના પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ 9 નવા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ને વિવિધ પોલીસ સ્ટેશનોમાં નિયુક્ત કર્યા છે, જ્યારે 3 PI ની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. આ ફેરફારોથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ સશક્ત બનશે તેવી અપેક્ષા છે. અગાઉ થયેલી બદલીઓના કારણે ખાલી પડેલી જગ્યાઓ પર, લિવ રિઝર્વમાં રહેલા 9 PI ને તાત્કાલિક અસરથી પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આ નિમણૂકોથી પોલીસ તંત્રની કાર્યક્ષમતા અને વહીવટી ગતિમાં વધારો થશે. નવા નિયુક્ત PI અને તેમની ફાળવણી: એન.વી. હરિયાણી: કોડીનાર પોલીસ સ્ટેશન એ.જી. જાદવ: સોમનાથ મંદિર સુરક્ષા એમ.એ. ઝણકાર: સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન વી.એલ. ગાગીયા: તાલાળા પોલીસ સ્ટેશન વાય.બી. રાણા: સોમનાથ મંદિર સુરક્ષા ડી.બી. ગઢવી: મહિલા પોલીસ સ્ટેશન જે.કે. મોરી: ઉના પોલીસ સ્ટેશન એમ.જી. વસાવા: સોમનાથ મરીન પોલીસ સ્ટેશન કે.એ. ચાવડા: ગીર ગઢડા પોલીસ સ્ટેશન 3 PIની આંતરિક બદલી: જિલ્લા પોલીસ તંત્રમાં ત્રણ અધિકારીઓની આંતરિક બદલી પણ કરવામાં આવી છે: એમ.કે. વણારકા: કોડીનારથી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન જે.જે. પરમાર: નવાબંદર મરીન પોલીસ સ્ટેશન એમ.જી. પટેલ: સોમનાથ મરીનથી વેરાવળ સિટી પોલીસ સ્ટેશન (સેકન્ડ PI તરીકે) સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયેલા આ ફેરફારોથી પોલીસ તંત્રમાં નવી ઊર્જાનો સંચાર થશે. ખાસ કરીને સોમનાથ મંદિર સુરક્ષા, મરીન વિસ્તાર અને સાયબર ક્રાઈમ જેવા સંવેદનશીલ વિભાગોમાં અનુભવી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લામાં વધતા પ્રવાસન અને ધાર્મિક પ્રવાહને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ બનાવવાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. આ ફેરફારોને પરિણામે નાગરિકોમાં સુરક્ષાનો ભાવ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Rajya Sabha Chairman CP Radhakrishnan rejects Opposition motion to remove CEC Gyanesh Kumar
    Next Article
    અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માત:છાણી બ્રિજ પાસે બેફામ ટેન્કરે રિક્ષા, આઇસર અને એક્ટિવાને અડફેટે લીધા, બેના મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment