Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિહારઃ નાલંદાના શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડ, 9નાં મોત:તેમાં 8 મહિલાઓ સામેલ, 6 ઘાયલ, ભક્તોની ભીડ ઊમટી હતી; PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

    6 days ago

    બિહારમાં નાલંદાના મઘડામાં મંગળવારે સવારે માતા શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડને કારણે 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં 8 મહિલાઓ સામેલ છે. 6 થી વધુ લોકો ઘાયલ છે. ચૈત્ર મહિનાનો આજે છેલ્લો મંગળવાર છે, તેથી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. પ્રશાસને દુર્ઘટના બાદ મંદિર અને મેળાને બંધ કરાવી દીધા છે. 8 મૃતકોમાંથી 2 ની ઓળખ થઈ શકી છે. તેમાં નાલંદા નિવાસી રીટા દેવી (50) અને રેખા દેવી (45) નો સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે મોડેલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ પટના કમિશનરને બિહારશરીફ મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને તપાસના નિર્દેશ આપ્યા છે. સરકારે મૃતકોના પરિવારને 6 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ નાલંદા દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારોને પીએમ રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી. સાથે જ તમામ ઘાયલોને પણ 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ભાગદોડ પછીની કેટલીક તસવીરો જુઓ... દર્શન કરવાની ઉતાવળમાં ભાગદોડ મચી મહિલા ભક્તોએ જણાવ્યું કે ચૈત્ર મહિનાનો આ છેલ્લો મંગળવાર છે. અહીં મેળો ભરાયો હતો. ભીડ વધુ થઈ ગઈ હતી. મંદિરનું ગર્ભગૃહ પણ નાનું છે. લોકો ઝડપથી દર્શન કરવા માટે એકબીજાથી આગળ નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કોઈ લાઈનમાં ઊભા રહીને પૂજા કરવા માંગતું ન હતું. અન્ય એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે, ‘સુરક્ષાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. મંદિરની અંદર ભારે ભીડ હતી. પોલીસનો જવાન અંદર તહેનાત નહોતા. ભીડને વાળવા કે બે લાઈનમાં કરવાની કોઈ વ્યવસ્થા ન હતી. મંદિરના પૂજારી જ ઝડપથી દર્શન કરીને નીકળી જવા કહી રહ્યા હતા. આ દરમિયાન એક મહિલાને ચક્કર આવી ગયા, જેના કારણે તે ત્યાં જ પડી ગઈ. કેટલાક લોકો તેને સંભાળવા લાગ્યા, અને ભીડને પાછળ હટાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન નાસભાગ મચી ગઈ.’ 40 મિનિટ પછી પહોંચી એમ્બ્યુલન્સ મંદિરમાં હાજર એક શ્રદ્ધાળુએ જણાવ્યું, ‘ભાગદોડ પછી ઘણી મહિલાઓ બેભાન પડી હતી. કેટલીક દર્દથી ચીસો પાડી રહી હતી. લોકોએ પોલીસને જાણ કરી. પહેલા 2-3 પોલીસકર્મીઓ પહોંચ્યા. તેમની સાથે મળીને શ્રદ્ધાળુઓએ ઘાયલ મહિલાઓને કિનારે સુવડાવી. ઘણી વખત એમ્બ્યુલન્સ માટે ફોન કરવામાં આવ્યો. ઘટનાના લગભગ 40 મિનિટ પછી પહેલી એમ્બ્યુલન્સ પહોંચી અને પોલીસના કેટલાક અધિકારીઓ પણ આવ્યા. આ પછી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. મહિલાઓને ઉઠાવતી વખતે જ લાગી રહ્યું હતું કે તેમાંથી કેટલીકનું મૃત્યુ થઈ ગયું છે.’ મૃતક રેખા દેવીના પુત્રએ જણાવ્યું કે તેઓ નૂરસરાય મથુરાપુરના રહેવાસી છે. મમ્મી મેળો જોવા ગઈ હતી. હજારોની ભીડ હતી. મંગળા મેળો લાગ્યો હતો. હું ઘરે હતો, માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચ્યો. માતાને હોસ્પિટલ લઈ ગયા, ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પટનાની આવેલ એક મહિલાએ કહ્યું, “અમે દર્શન કરવા આવ્યા હતા. પણ મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. લોકો કહે છે કે આઠ લોકો મૃત્યુ પામ્યા છે.” જાણો આજે મંદિરમાં શા માટે ભક્તોની ભીડ ઉમટી હતી આ મંદિર બિહારશરીફ (નાલંદા) થી લગભગ 5 કિલોમીટર દૂર મઘરા ગામમાં આવેલું છે. ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ (શીતળા આઠમ) ના રોજ મુખ્ય પૂજા થાય છે. પરંપરા છે કે શીતળા આઠમના દિવસે ઘરોમાં ચૂલો સળગાવવામાં આવતો નથી. ભક્તો માતાને એક દિવસ પહેલા બનાવેલો ઠંડો ભોજન (વાસી) ભોગ ધરાવે છે. આઠમના દિવસે અહીં ભારે ભીડ હોય છે, લોકો લાંબી કતારોમાં ઊભા રહીને માતાના દર્શન કરે છે.
    Click here to Read More
    Previous Article
    ‘Papa kaam kar rahe hain isliye khaa rahe ho’: Varun Dhawan on the ‘lower middle class’ reality of his childhood and the money lessons his mother taught him; expert weighs in
    Next Article
    મોદી થોડીવાર સાણંદ પહોંચશે:કેઇન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, ગુજરાતના 4માંથી 2 પ્લાન્ટમાં ચિપનું ઉત્પાદન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment