Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:9 સરકારી યુનિ.માં રજીસ્ટ્રારોની નિમણૂક વિવાદમાં: લાયકાત, અનુભવ મુદ્દે સવાલો

    8 hours ago

    ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં યુજીસીના નિયમોનું પાલન થતું નથી તેમ ખૂદ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જણાવે છે. રજીસ્ટ્રારના ઇન્ટરવ્યૂ, લાયકાત, અનુભવ અને નિયમોના પાલન અંગે મોટા પ્રશ્નો ઉભા થયા છે. કેટલીક જગ્યાએ નાણાકીય ભ્રષ્ટાચાર, રાજકીય દબાણ, ડિગ્રી આપવામાં ગોટાળા, સરકારી ગ્રાન્ટના ઉપયોગમાં અનિયમિતતા, ટેન્ડરિંગ પ્રક્રિયામાં ગોટાળા તેમજ ભરતી પ્રક્રિયા સંબંધિત મુદ્દાઓ ભાસ્કરના ઈન્વેસ્ટિગેશનમાં સામે આવ્યા છે. 2023થી રાજ્યમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ અમલમાં છે. 14 સરકારી યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠ (ડિમ્ડ યુનિવર્સિટી) એક જ કાનૂની માળખામાં કાર્યરત થઈ છે. કુલપતિઓ પોતાના માનીતા વ્યક્તિઓને રજીસ્ટ્રાર બનાવી રહ્યાં છે. યુનિવર્સિટીના રજીસ્ટ્રારની નિમણૂક સમયે “સારો નહીં, પણ મારો” જેવો ફોર્મ્યુલા અપનાવાય છે. કેટલાક કિસ્સાઓમાં રજીસ્ટ્રારો સામે તપાસ ચાલુ છે. આ તમામ આક્ષેપો અંગે સંબંધિત યુનિવર્સિટીઓ અથવા શિક્ષણ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવા તૈયાર નથી. નિયમ મુજબ રજીસ્ટ્રાર માટે જરૂરી લાયકાત કોમન એક્ટ મુજબ રજીસ્ટ્રાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી અને ઓછામાં ઓછા 55 ટકા ગુણ અથવા સમકક્ષ ગ્રેડ હોવો જરૂરી છે. સાથે ઓછામાં ઓછો 15 વર્ષનો વહીવટી અનુભવ હોવો જોઈએ. આ અનુભવ યુનિવર્સિટી અથવા કોલેજમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર અથવા સમકક્ષ વહીવટી પદ પરનો હોઈ શકે છે અથવા સરકારી કે શૈક્ષણિક સંસ્થામાં વહીવટી અધિકારી તરીકેનો અનુભવ માન્ય ગણાય છે. રજીસ્ટ્રાર પાસે યુનિવર્સિટી વહીવટ, શૈક્ષણિક નિયમો અને કાનૂની પ્રક્રિયાની સમજ હોવી આવશ્યક છે. રજીસ્ટ્રારની નિમણૂક કુલપતિ કરે છે. આઠ સરકારી, એક ડિમ્ડ યુનિ.ના રજિસ્ટ્રાર સામેના આક્ષેપો રમેશદાન ગઢવી, રજીસ્ટ્રાર – વિર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત અગાઉ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ., ડૉ. બાબા સાહેબ ઓપન યુનિ. અને શ્રી ગોવિંદ ગુરૂ યુનિ.માં રજીસ્ટ્રાર તરીકે ઉમેદવારી ગેરલાયક ઠેરવાયેલ હતા. હિમાંશુ પટેલ, રજીસ્ટ્રાર – ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટિચર્સ એજ્યુકેશનમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ દરમિયાન થયેલા નાણાંકીય ભ્રષ્ટાચારના આક્ષેપોને પગલે ACBમાં ફરિયાદ નોંધાઈ. શિક્ષણ વિભાગની તપાસ બાદ તેમને IITEના રજીસ્ટ્રાર પદ પરથી દૂર કરાયા હતા. હાલ ACBની તપાસ ચાલુ છે. ખાસ કિસ્સામાં તેમને ગુજરાત વિદ્યાપીઠમાં રજીસ્ટ્રાર તરીકે પસંદ કરાયાની ચર્ચા છે. નિલેશ પંડ્યા, રજીસ્ટ્રાર – ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ગિફ્ટ સિટીમાં યુનિવર્સિટીને વિનામુલ્યે મળેલી 30 એકર જમીન સરકારને પરત કરવાનો પ્રસ્તાવ મુકાતા PMO સુધી ફરિયાદ પહોંચ્યાની ચર્ચા છે. આ મુદ્દે તપાસ ચાલુ છે. આ કારણે રજીસ્ટ્રારે રાજીનામું આપ્યું છે, પણ વીસીએ સ્વિકાર્યું નથી. 2022માં ચૂંટણી આચારસંહિતા લાગુ હતી તે દરમિયાન ભરતી થયાનો આક્ષેપ. ભરતી કરનાર પૂર્વ રજીસ્ટ્રાર અમિત જાની સામે સરકારમાં તપાસ ચાલુ હોવાનું કહેવાય છે. ખોટી ભરતીના ભાગરૂપે તેમને તાત્કાલિક દૂર કરાયાનો આક્ષેપ. રજીસ્ટ્રાર પદ યથાવત રહે તે માટે યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં વિવાદિત ઠરાવ પસાર કરાવ્યો હોવાનો આક્ષેપ. પદનો દૂરઉપયોગ કરી કર્મચારીને છૂટો કર્યાનો આક્ષેપ, કાર્યકાળ દરમિયાન ગેરરીતિ સંદર્ભે શિક્ષણ વિભાગની તપાસ ચાલુ. ધીરેન પંડ્યા, રજીસ્ટ્રાર – સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ 2015-16માં ઈતિહાસ ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી દરમિયાન ઈન્ટરવ્યૂ કમિટીના માર્ક્સમાં છેડછાડનો આક્ષેપ છે. મામલો કોર્ટમાં ગયો હતો. સાત વર્ષ બાદ આવેલા ચુકાદામાં શિક્ષણ વિભાગે સંડોવાયેલા તમામ સામે અને રજીસ્ટ્રાર સામે ફોજદારી ફરિયાદ નોંધવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. રમેશ પરમાર, રજીસ્ટ્રાર – ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ અજયસિંહ જાડેજા, રજીસ્ટ્રાર – ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દશરથ જાદવ, રજીસ્ટ્રાર – શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ પીયૂષ પટેલ, ઈન્ચાર્જ રજીસ્ટ્રાર – ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ શિક્ષણમાં પવિત્રતા જળવાય તે જરૂરી, કસુરવારને બક્ષવામાં નહીં આવે શિક્ષણ વિભાગમાં પવિત્રતા જળવાય તે જરૂરી છે. જે કોઈ રજીસ્ટ્રારની તપાસ ચાલતી હશે તેમાં કસુરવાર ઠરશે તેને બક્ષવામાં નહીં આવે. માત્ર ફરિયાદ આવે એટલે કોઈને તરત જ દોષી ઠરાવવો તે પણ યોગ્ય નથી. કુદરતી ન્યાયના સિદ્ધાંતની તે વિરૂદ્ધ કહેવાય, પૂરતી તક આપ્યા બાદ પગલાં લેવાશે. શિક્ષણ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ સહન નહીં કરવા મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના છે. > ત્રિકમ છાંગા, શિક્ષણમંત્રી, રાજ્યકક્ષા
    Click here to Read More
    Previous Article
    Requests for new PNG connections in Delhi up by 200% in 2 weeks as war rages in West Asia
    Next Article
    ભારતની મોટી ડિપ્લોમેટિક જીત:92,700 ટન LPG સાથે 2 જહાજ હોર્મુઝ પાર કરી કચ્છના કાંઠે પહોંચશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment