Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં બીમાર સિંહબાળનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું:9 દિવસની સારવાર બાદ માતા સાથે સુખદ મિલન

    7 hours ago

    વેરાવળ તાલુકાના પંડવા ગામ વિસ્તારમાં બીમાર સિંહબાળનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. નવ દિવસની સારવાર બાદ, 26 એપ્રિલે રાત્રે કુકરાસ ગામ નજીક માઇન્સ વિસ્તારમાં તેને તેની માતા સિંહણ સાથે સફળતાપૂર્વક મિલન કરાવવામાં આવ્યું. થોડા દિવસો પહેલા પંડવા ગામ વિસ્તારમાં સિંહોનું એક જૂથ જોવા મળ્યું હતું, જેમાં એક માદા સિંહણ અને તેના બચ્ચાઓ હતા. આ દરમિયાન એક સિંહબાળ તાવ આવવાને કારણે બીમાર પડ્યું હતું. વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને 17 એપ્રિલે સિંહબાળનું રેસ્ક્યુ કર્યું હતું. તેને સીમાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું, જ્યાં લગભગ નવ દિવસ સુધી તેની સારવાર ચાલી. સારવાર બાદ સિંહબાળ સંપૂર્ણપણે સ્વસ્થ બન્યું હતું. 26 એપ્રિલે રાત્રે વન વિભાગ દ્વારા વેરાવળના કુકરાસ ગામ નજીક આવેલા માઇન્સ વિસ્તારમાં આ સિંહબાળનું તેની માતા સિંહણ સાથે મિલન કરાવવામાં આવ્યું, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. વન વિભાગની સમયસર કામગીરી અને દેખરેખના કારણે બીમાર સિંહબાળને નવજીવન મળ્યું અને તે ફરીથી પોતાના કુદરતી આવાસમાં પરત ફરી શક્યું.
    Click here to Read More
    Previous Article
    વલસાડ કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ પટેલે રાજીનામું આપ્યું:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર બાદ નૈતિક જવાબદારી સ્વીકારી
    Next Article
    1,664 Kg Of Fake Paneer Worth Rs 5 Lakh Seized In Aligarh, UP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment