Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટીપી સ્કીમમાં ડ્રાફ્ટ વિરુદ્ધ નિર્ણયો લેવાયાનો આરોપ:મોટામૌવા, મુંજકા, કોઠારીયા સહિતની 9 ટીપી સ્કીમોમાં અન્યાય અને કપાતનાં નામે છેતરપીંડી કરાઈ, ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિની રજૂઆત

    10 hours ago

    રાજકોટમાં ટાઉન પ્લાનિંગ (ટી.પી.) સ્કીમોના અમલીકરણમાં થઈ રહેલા અસહ્ય વિલંબ અને જમીન કપાતના વિવાદિત નિર્ણયો સામે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અસરગ્રસ્ત જમીનધારકોએ રાજકોટ મહાનગરપાલિકા અને ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) ને રજૂઆત કરી વહીવટીતંત્ર પર કાયદાકીય જોગવાઈઓના ઉલ્લંઘનનો ગંભીર આરોપ લગાવ્યો છે. મુખ્ય મુદ્દાઓ અને ખેડૂતોની રજૂઆત મોટા મવા-23 અને 24 જેવી સ્કીમોના ઇરાદા જાહેર થયાને 17 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે. નિયમ મુજબ ટી.પી. સ્કીમનું કામ 2 વર્ષમાં પૂર્ણ થવું જોઈએ, પરંતુ અહીં 10થી 30 વર્ષ સુધી યોજનાઓ લંબાવવામાં આવી રહી છે. 91 % કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં, અધિકારીઓ દ્વારા આખરી મંજૂરીમાં જાણીજોઈને વિલંબ કરવામાં આવી રહ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. સમિતિએ આક્ષેપ કર્યો છે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા પ્રેક્ટિકલ નિવારણ લાવવાને બદલે ડ્રાફ્ટ પ્લાન વિરુદ્ધ જઈને જમીનમાલિકોને ગુમરાહ કરવામાં આવે છે. ખાસ કરીને મુંજકા-18 અને 19 સ્કીમમાં ભેદભાવ જોવા મળ્યો છે; જેમાં મુંજકા-18માં કોઈ કપાત નથી, જ્યારે મુંજકા-19માં કપાતનું ધોરણ વધારી દેવાયું છે. ખેડૂતોની માગ છે કે ડ્રાફ્ટ સ્કીમ મુજબ જ કપાત રાખવી જોઈએ અને 40 ટકા જમીન કપાત સાથે બેટરમેન્ટ ચાર્જ વસૂલવાની પ્રથા બંધ કરવી જોઈએ. કાયદાકીય ઉલ્લંઘન અને પારદર્શિતાનો અભાવ ખેડૂતોના જણાવ્યા અનુસાર, 2013ના જમીન સંપાદન અધિનિયમ મુજબ પારદર્શિતા અને વાજબી વળતરના સિદ્ધાંતોનું પાલન થવું અનિવાર્ય છે. આમ છતાં, રાજકોટમાં અધિકારીઓ ગાંધીનગરના નામે બહાના બતાવી ફાઈલો અટકાવી રહ્યા છે. વધુમાં, 15 જુલાઈ 2015ના હિયરિંગમાં 80 ટકા ખાતેદારોએ સંમતિ આપી હોવા છતાં વહીવટીતંત્ર અને ડીઆઈએલઆર (DILR) કચેરી વચ્ચે સંકલનનો અભાવ દેખાઈ રહ્યો છે. ટી.પી.ઓ. મોનાબેન હસ્તકની વિવિધ સ્કીમો જેવી કે: આગામી રણનીતિ ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક ધોરણે વ્યવહારુ નિવારણ લાવવામાં નહીં આવે અને વિવાદિત નિર્ણયો લેતા અધિકારીઓના સ્થાને પારદર્શક અધિકારીની નિમણૂક કરવામાં નહીં આવે, તો આ લડત આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ખેડૂતોનું કહેવું છે કે ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ-40, 44 અને 45ના ખોટા અર્થઘટનથી માત્ર શહેરીકરણની સમસ્યાઓ જ વધી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોઝામ્બિકમાં જન્મેલી મહિલાની ભારતીય પાસપોર્ટ માટેની અરજી હાઈકોર્ટે ફગાવી:કોર્ટે કહ્યું- ભારતીય નાગરિકતા કાયદાની જોગવાઇઓનું પાલન કર્યા વિના અરજદારને ભારતીય નાગરિક ગણી શકાય નહીં
    Next Article
    Weather Prediction In Gujarat | 15 જૂનની આસપાસ ગુજરાતમાં બેસી શકે ચોમાસું | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment