Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી:વેસુ આપઘાત કેસમાં હાઈકોર્ટે વૈભવ રૂંગટાની ધરપકડ પર વચગાળાનો સ્ટે, મંદિરમાં આવવું નહીં' કહી હુમલો કરનાર 9 શખસોને 3 વર્ષની કેદ

    1 day ago

    સુરતના લિંબાયત વિસ્તારમાં ચારિત્ર્યની શંકા રાખી પતિએ પત્નીની કરપીણ હત્યા કરી નાખી છે, જ્યારે હીરાબાગમાં વર્ષો જૂના મંદિર પ્રવેશ વિવાદમાં કોર્ટે 9 શખસોને 3 વર્ષની સજા ફટકારી છે. બીજી તરફ, વેસુના ચકચારી સામૂહિક આપઘાત કેસમાં હાઈકોર્ટે આરોપી વૈભવ રૂંગટાની ધરપકડ પર સ્ટે આપી રાહત આપી છે. પોલીસ તપાસમાં સામે આવેલા તથ્યો મુજબ, મૃતક પરિવારે ભૂતકાળમાં થયેલા છેતરપિંડીના કેસો અને મિલકત વિવાદના દબાણને કારણે આ અગમ્ય પગલું ભર્યું હોવાનું જણાય છે. લગ્નના માત્ર આઠ મહિનામાં પતિએ પત્નીની હત્યા કરી સુરતના લિંબાયત વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં લગ્નના માત્ર આઠ મહિનામાં જ એક યુવતીનો સંસાર ઉજ્જડ થઈ ગયો છે. કૃષ્ણાનગર-1માં રહેતા જિતેન્દ્ર માલીએ તેની 19 વર્ષીય પત્ની ગીતાંજલિના ચારિત્ર્ય પર શંકા રાખીને ઘરમાં જ તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. મૃતકાના ભાઈ મહેન્દ્ર માલીની ફરિયાદ અનુસાર, જિતેન્દ્ર સતત ગીતાંજલિ પર અન્ય કોઈ વ્યક્તિ સાથે વાત કરતી હોવાની શંકા રાખતો હતો અને આ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. 9 માર્ચની સવારે ફરી આ મુદ્દે બોલાચાલી થતા આવેશમાં આવી જિતેન્દ્રએ પત્નીના જ દુપટ્ટાથી તેનું ગળું ટૂંપી દીધું હતું. લિંબાયત પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) હેઠળ ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 'તમારે મંદિરમાં આવવું નહીં' કહી હુમલો કરનાર 9 શખસોને 3 વર્ષની કેદ બીજી તરફ, વરાછાના હીરાબાગ વિસ્તારમાં આવેલા એક સમાજના મંદિરમાં પ્રવેશ અને નૈવેદ્ય ધરવા બાબતે થયેલા હુમલાના કેસમાં સુરત કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વર્ષ 2016માં બનેલી આ ઘટનામાં ફરિયાદી જ્યારે મંદિરમાં દર્શન કરવા અને નૈવેદ્ય ચઢાવવા ગયા હતા, ત્યારે આરોપી ચંદુ સોલંકી અને તેના સાથીઓએ "તમારા ચઢાવાના પૈસા પણ નથી જોઈતા અને તમારે મંદિરમાં આવવું નહીં" તેમ કહી અદાવત રાખી હુમલો કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ ક્રિષ્ણાબેન રાવલની ધારદાર દલીલો અને પુરાવાઓને આધારે કોર્ટે નવ આરોપીઓ - ચંદુ સોલંકી, જયેશ સોલંકી, કલ્પેશ હરી, વિપુલ સોલંકી, ભરત સોલંકી, ધીરુ સોલંકી, ઉમેશ સોલંકી, અરવિંદ સોલંકી અને મનોજ સોલંકીને દોષિત ઠેરવી ત્રણ-ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. હાઈકોર્ટે વૈભવ રૂંગટાની ધરપકડ પર વચગાળાનો સ્ટે આપ્યો વેસુ વિસ્તારમાં ગત 24 ફેબ્રુઆરીએ બનેલા હેપ્પી એલિગન્સના સામૂહિક આપઘાત કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. વેપારી બાલમુકુંદ ખેતાન અને તેમના પરિવારના આપઘાત કેસમાં આરોપી વૈભવ રૂંગટાની ધરપકડ પર ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે. તપાસ કરનાર અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલી પોલીસ એફિડેવિટ મુજબ, સ્યુસાઈડ નોટમાં મરનારની માતા અને બહેનનું નામ લખેલું હતું અને તેમની વચ્ચે મિલકતની વહેંચણી બાબતે તકરાર ચાલતી હતી. આ ઉપરાંત, મરનાર પર ભૂતકાળમાં પટના ખાતે થયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસોના દબાણને કારણે પરિવારે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આરોપીની મદદ અને સ્યુસાઈડ નોટના તથ્યોને ધ્યાને રાખી કોર્ટે આપી રાહત આરોપી વૈભવ રૂંગટાના વકીલો સાગર શુક્લા અને પરેશ પંચાલે રજૂઆત કરી હતી કે વૈભવ તો મૃતક પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો અને ઘટનાના દિવસે તેણે જ સૌ પ્રથમ 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવારની વ્યવસ્થા કરી હતી. પોલીસ તપાસમાં પણ એ વાત સ્પષ્ટ થઈ છે કે મરનારની માતા વૃદ્ધ હોવાથી તેમની ધરપકડ કરાઈ નહોતી. હાઈકોર્ટે તપાસની આ વિગતો અને વકીલોની દલીલોને ધ્યાને રાખીને વૈભવ રૂંગટાની કવોશિંગ પિટિશનનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી તેની ધરપકડ ન કરવા આદેશ આપ્યો છે. આ કેસમાં હવે કાયદાકીય પ્રક્રિયા કઈ દિશામાં જાય છે તેના પર સૌની નજર છે.
    Click here to Read More
    Previous Article
    દીકરીએ કરેલા પ્રેમલગ્નથી લાગી આવતા માતાએ આત્મહત્યા કરી:આજીડેમ પાસે વૃધ્ધાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું
    Next Article
    દીકરી પ્રેગ્નન્ટ હોવાની જાણ થતાં માતાના પગ નીચેથી જમીન સરકી:16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી, મકરપુરા પોલીસે અજાણ્યા શખસ સામે ફરિયાદ દાખલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment