Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાંતાબેન ડાભી ટ્રસ્ટ દ્વારા પાણીની પરબ શરૂ:સુરેન્દ્રનગર મનપાના વોર્ડ 9ના કોર્પોરેટરોએ ઉદ્ઘાટન કર્યું, રાહદારીઓને મળશે રાહત

    8 hours ago

    શાંતાબેન ડાભી જનસેવા ટ્રસ્ટ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓની તરસ છિપાવવા માટે 'પાણીની પરબ'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ પાણીની પરબનું ઉદ્ઘાટન વોર્ડ નંબર 9ના કોર્પોરેટર પ્રદીપભાઈ વસ્તાણી અને ભારતીબેન ખોખાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ટ્રસ્ટની આ માનવતાવાદી કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે આ સેવા કાર્યથી પ્રખર તાપમાં રાહદારીઓને મોટી રાહત મળશે. આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકરો લક્ષ્મણભાઈ દલવાડી, ચંદુભાઈ પાટડિયા, નરશીભાઈ પ્રજાપતિ, ઘનશ્યામભાઈ ચામડીયા અને વિરમભાઇ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ એચ.કે. દવે અને ભવાનભાઈ ડાભી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે ટ્રસ્ટના પ્રમુખે ઉપસ્થિત તમામ મહેમાનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં પણ જનસેવાના આવા કાર્યો ચાલુ રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મંજુસર પોલીસની મોટી કાર્યવાહી:પોલીસે 13.15 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 10 આરોપીઓની ધરપકડ, કુલ 78 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    India advances hypersonic missile tech with DRDO scramjet breakthrough

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment