Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવી પહેલ:ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે સાયબર સલામતીના અભ્યાસક્રમની શરૂઆત થશે

    14 hours ago

    વિદ્યાર્થીઓમાં સાયબર સલામતી અને સુરક્ષા અંગે જાગૃતિ વિષયક અભ્યાસ હાથ ધરાશે. ધો.9થી12ના વિદ્યાર્થીનો સાયબર સલામતીના કોર્સમાં સમાવેશ થશે. વિદ્યાર્થીઓને લિંક-કયુઆર કોડ આપીને સર્વે કરાશે. એનઇપીનો ઉદ્દેશ્ય ડિજિટલ માળખું મજબૂત બનાવવા અને શિક્ષણ પ્રક્રિયાઓમાં ટેકનોલોજીને એકીકૃત કરવાનો છે. જેનાથી શિક્ષણમાં ચાલી રહેલા ડિજિટલ પરિવર્તનને ટેકો મળશે. શિક્ષણ મંત્રાલયે જાહેર કરેલા નિર્દેશમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ, સગીર હોવાને કારણે, ટેકનોલોજીના ઉપયોગમાં અત્યંત સલામતીની જરૂર છે. ઇન્ટરનેટ ઍક્સેસ તેમને હિંસક અને અપમાનજનક વર્તનનો ભોગ બનાવી શકે છે. તેથી આ ચિંતાઓને દૂર કરવા માટે, જાગૃતિ પહેલ અને અસરકારક સુરક્ષા પગલાં દ્વારા સાયબર સલામતીને પ્રાથમિકતા આપવી જરૂરી છે. શિક્ષણ મંત્રાલયે શાળાના અભ્યાસક્રમમાં સાયબર સલામતી અને સુરક્ષાને એકીકૃત કરવા માટેની માર્ગદર્શિકા પણ શેર કરી છે. ઓનલાઈન ગૂગલ ફોર્મ દ્વારા માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેથી તમામ જિલ્લાઓને વિનંતી કરવામાં આવે છે કે આપના જિલ્લાના તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ધોરણ 9 થી 12 સુધી સૂચનાઓ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઠગાઈનો મામલો આવ્યો સામે:મહિલા સહિત ત્રણે સોનાના કહી નકલી મણકા આપી 7 લાખ ઠગ્યા
    Next Article
    બ્રેકિંગ‎:ચેમ્બરમાં અંતે સિલેક્શનહવે નહીં થાય ઇલેક્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment