Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાળાઓ શરૂ થયાને એક મહિનો થયો છતાં સમસ્યા:ધો.9થી ધો.12માં હજુ પુરતા શિક્ષકો કે પુસ્તકો મળ્યાં નથી

    2 days ago

    ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાની જાહેરાતો થાય છે પણ હકિકત એ છે કે શાળાઓ ખુલ્યાનાને એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે. તો પણ હજુ સુધી શાળાઓ સુધી પુરતા પાઠ્યપુસ્તકો મળ્યાં નથી. હાલમાં મોટાભાગની ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો વગર અભ્યાસ કરી રહ્યા છે બીજી બાજુ બેક ટૂ સ્કૂલ પ્રોગ્રામ અંતર્ગત શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને ઘરે ઘરેથી શોધીને ફરી વખત અભ્યાસમાં જોડવા શિક્ષકો સરકારના આદેશનું પાલન કરી રહ્યા છે. તો બીજી બાજુ શાળામાં હયાત અને નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓને પુરતા પાઠ્યપુસ્તકો મળ્યા નથી. ગયા વર્ષમાં પણ ખાસ કરીને અંગ્રેજી અને અર્થ શાસ્ત્ર જેવા વિષયો માં જ્ઞાન સહાયક ઉપલબ્ધ થયા ન હતા તેવી જ રીતે આ વર્ષે પણ અપૂરતા શિક્ષકોથી શાળાઓ ગાડું ગબડાવી રહી છે સેકન્ડ્રી ટાટનું હજી પ્રિલિમનું પરિણામ જ ગઈ કાલે આવ્યું અને મુખ્ય પરીક્ષા તો ઓગસ્ટ માં લેવાની છે ત્યારે હજુ આ સત્રમાં જ નવા જ્ઞાન સહાયક મળશે તેવું લાગતું નથી. કયા ધોરણમાં અને વિષયના પુસ્તકો નથી > ધોરણ 9માં અંગ્રેજી > ⁠ધોરણ 10માં ગુજરાતી અને ગણિત > ⁠ધોરણ 11માં ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત,કોમ્પ્યુટર, અર્થશાસ્ત્ર,ભૂગોળ,વાણિજ્ય,મનોવિજ્ઞાન, ઇતિહાસ > ⁠ધોરણ 12 ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, કોમ્પ્યુટર, અર્થશાસ્ત્ર, નામુ ભાગ 1/2, એસ પી સી સી, વાણિજ્ય,ઇતિહાસ અને શારીરિક શિક્ષણ બે દિવસમાં બાકી પુસ્તકો મળી જશે આ વર્ષે પાઠ્યપુસ્તક છાપવા માટે ટેન્ડર ભરેલું તેમાં હાઇકોર્ટની મેટર થયેલી જેથી કાનૂની પ્રક્રિયા હોય ત્યારે થોડું મોડું થયું અને મેટરનો કાનૂની નિકાલ આવ્યા બાદ દરમિયાનમાં યુદ્ધ શરૂ થયું, પાઠ્યપુસ્તકો છાપવા માટે આયાતી ઇન્ક નો ઉપયોગ થતો હોય તેથી પણ પુસ્તકો થોડા મોડા છપાયા ધોરણ નવ માં એક વિષય બાકી છે અને ધોરણ 11 12 માં જે વિષય બાકી છે તેના પાઠ્યપુસ્તકો બે દિવસમાં મળી જશે > હિતેન્દ્રસિંહ પઢેરીયા, ડીઇઓ ડીઇઓ, ભાવનગર આ વર્ષે મંડળમાંથી જ પૂરતાં પાઠ્યપુસ્તકો મળતા નથી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દર વર્ષે શૈક્ષણિક વર્ષના અંતમાં જ પછીના વર્ષ માટે પાઠ્યપુસ્તકો ફાળવી આપે છે તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કક્ષાએ વિતરણ વ્યવસ્થા પણ ઉત્તમ છે પરંતુ આ વર્ષે ગાંધીનગરથી જ પાઠ્ય પુસ્તકો સત્ર ખુલ્યા પછીના અઠવાડિયે મળ્યા તેમજ હજુ પણ ખાસ કરીને ધોરણ અગિયાર અને બારના પાઠ્યપુસ્તકો ઘટી રહ્યા છે, હાલ ઘટતા પુસ્તકોની માહિતી દરેક એસવીએસમાંથી માંગવામાં આવી છે એટલે કદાચ આવતા દિવસોમાં આ ઘટ પૂરી થાય અને દરેક શાળાને પૂરતા પાઠ્યપુસ્તકો મળી જાય તેવી સરકાર અને પાઠ્યપુસ્તક મંડળ પાસે અપેક્ષા રાખીએ. > ડૉ. રામદેવસિંહ ગોહિલ, સહમંત્રી, ભાવનગર શહેર આચાર્ય સંઘ
    Click here to Read More
    Previous Article
    Panel probing Kota maternal deaths flags lapses in monitoring, infection control
    Next Article
    એન્કર સિટિ:મહિલા શિક્ષકોમાં માનસિક સ્વાસ્થ્યનું પ્રમાણ વધુ ચિંતાજનક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment