Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની એડિશનલ સિવિલ કોર્ટનો ચુકાદો:લોન ન ભરનારા ખેડૂત વારસદારો‎ પાસેથી રૂ. 8.70 લાખ વસૂલો: કોર્ટ‎

    1 day ago

    પાટણની એડિશનલ સિવિલ જજની કોર્ટ દ્વારા બેંક લોન ડિફોલ્ટર્સ સામે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે.આઈ.ડી.બી.આઈ. બેંક માંથી કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત લોન લીધા બાદ તેની ભરપાઈ ન કરનાર ખારીવાવડી ગામના ખેડૂત આસામીના વારસદારો અને જામીનદારોને કોર્ટે રૂ. 8,70,028ની લેણી રકમ 9 ટકા સાદા વ્યાજ સાથે ચૂકવી આપવા આદેશ કર્યો છે. ખારીવાવડીના રહેવાસી નાયી મહેશકુમાર ચંદુલાલ (ઉર્ફે મેલાભાઈ) એ વર્ષ 2016માં ખેતી વિષયક ધિરાણ માટે પાટણ સ્થિત આઈ.ડી.બી.આઈ. બેંકમાંથી રૂ.5,94,000ની લોન લીધી હતી. કરાર મુજબ આ લોનનું દર વર્ષે રિન્યુઅલ કરાવવાનું હતું, પરંતુ આસામી દ્વારા નિયમિત હપ્તા ન ભરાતા અને રિન્યુઅલ ન થતા બેંકે આ ખાતાને એન.પી.એ. જાહેર કર્યું હતું. બેંક દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં રકમ જમા ન થતા આખરે બેંક દ્વારા કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન પ્રતિવાદીઓ (વારસદારો) તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે આ લ્હેણું સમયમર્યાદા બહારનું છે, પરંતુ કોર્ટે બેંકના દસ્તાવેજી પુરાવા અને કોવિડ - 19 સમયગાળાની મર્યાદાને ધ્યાને લઈ આ દલીલ ગ્રાહ્ય રાખી ન હતી. એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડો. હિરલ પી. જોષી દ્વારા પ્રતિવાદીઓએ બેંકની બાકી નીકળતી રૂા. 8,70,028ની રકમ દાવા તારીખથી વસૂલાત સુધી વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાની રહેશે. આ સાથે જ દાવા ખર્ચ પણ પ્રતિવાદીઓએ ભોગવવાનો રહેશે તેવો આદેશ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોટર અકસ્માત કલેઈમ ટ્રિબ્યુનલનો ચુકાદો:મોતને ભેટનારા યુવકના વારસદારોને 17.58 લાખનું વળતર ચૂકવવા આદેશ
    Next Article
    RTE પ્રવેશ પ્રક્રિયા:RTE હેઠળ 883 બેઠક ફાળવાઈ,12 મે સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment