Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ એકેડમી એસોસિએશન દ્વારા 86 બોટલ રક્તદાન:રેડક્રોસને અર્પણ, ઉનાળામાં રક્તની અછત પૂરવા પહેલ

    4 days ago

    વેરાવળ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખાના આરોગ્ય ભવન અને બ્લડ સેન્ટર ખાતે વેરાવળ એકેડમી એસોસિએશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ એકેડમી એસોસિએશનના પ્રમુખ પવનભાઈ ગુપ્તા અને ઉપપ્રમુખ યોગેશભાઈ શર્માના સહયોગથી આ શિબિરમાં વેરાવળના તમામ પ્રાઈવેટ એજ્યુકેશન ક્લાસીસના સંચાલકો, મેનેજમેન્ટ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોએ ભાગ લીધો હતો. આ શિબિરમાં સવારથી સાંજ સુધીમાં કુલ 86 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. ઉનાળાની ઋતુમાં વેરાવળ શહેરમાં રક્તની ઉણપને પહોંચી વળવા માટે આ પહેલ કરવામાં આવી હતી. એકત્રિત કરાયેલું રક્ત ગીર સોમનાથ જિલ્લાના થેલેસેમિયા મેજર બાળકો તેમજ ઓપરેશન અને ડિલિવરીના કેસોમાં તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડવા માટે ઉપયોગી થશે. આ પ્રસંગે રેડ ક્રોસના ચેરમેન કિરીટ એન. ઉનડકટે જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ થેલેસેમિયા મેજર બાળકોને રેડ ક્રોસ દ્વારા નિઃશુલ્ક રક્ત સેવા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, સિવિલ હોસ્પિટલ કે અન્ય પ્રાઈવેટ હોસ્પિટલોમાં 24x7 રક્તની જરૂરિયાત ઊભી થાય ત્યારે સરકાર દ્વારા નિર્ધારિત ચાર્જ મુજબ રક્ત ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એમ.ડી. પેથોલોજિસ્ટ ડો. ખેવના કારાવડીયાના માર્ગદર્શન હેઠળ મેનેજમેન્ટ સ્ટાફ અને લેબ ટેકનિશિયન ટીમ કાર્યરત રહે છે. રેડ ક્રોસ મેનેજમેન્ટ વતી પરાગ ઉનડકટે માહિતી આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી ગીર સોમનાથ જિલ્લામાં NHBA સર્ટિફાઈડ કમ્પોનન્ટ બ્લડ બેંક પ્રથમ છે. આ બ્લડ બેંક પ્લેટલેટ અને પ્લાઝમા માટે આશીર્વાદરૂપ છે. ડેન્ગ્યુ અથવા અન્ય ગંભીર કેસોમાં દર્દીઓને ઈમરજન્સીમાં રાજકોટ લઈ જવાની જરૂરિયાત હવે રહેતી નથી. રેડ ક્રોસ દ્વારા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર સ્વૈચ્છિક રક્તદાતાઓને રક્તદાન કરવા પ્રેરિત કરવામાં આવે છે. બ્લડ કમિટીના સંજય દાવડા, અનિશ રાચ્છ અને ધવલ સિંધવડ સહિતના સેવાભાવીઓ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરે છે. સેક્રેટરી ગિરીશ ઠક્કરે રેડ ક્રોસ દ્વારા પૂરી પાડવામાં આવતી અન્ય સેવાઓ વિશે જણાવ્યું હતું. જેમાં ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, પેથોલોજી લેબોરેટરી, પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફર્સ્ટ એઈડ ટ્રેનિંગ સેન્ટર અને સર્જિકલ સાધનો વિનામૂલ્યે વાપરવા આપવા જેવી સેવાઓનો સમાવેશ થાય છે. આ વર્ષથી આયુર્વેદિક ઓ.પી.ડી. પણ શરૂ કરવામાં આવી છે, જ્યાં આયુર્વેદિક પદ્ધતિથી નિદાન, દવાઓ, પંચકર્મ સારવાર અને ગર્ભ સંસ્કાર સહિતની સેવાઓ રાહત દરે ઉપલબ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    જૂના ઝઘડાનો ખાર રાખી સગીરને છરીના ઘા માર્યા:રાજકોટમાં મોટાભાઈ સાથેની માથાકૂટમાં નાના ભાઈ પર 2 શખસોનો હૂમલો, સજાના વોરંટનો આરોપી ઝડપાયો
    Next Article
    IPL 2026: KKR Replace Injured Akash Deep With This Vidarbha Pacer

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment