Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં પ્રવીણ લહેરીનો 82મો જન્મદિવસ ઉજવાયો:પૂર્વ ચીફ સેક્રેટરીએ વર્ચ્યુઅલી મહાપૂજનમાં ભાગ લીધો

    2 days ago

    આજે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી પ્રવીણ લહેરીનો 82મો જન્મદિવસ ધાર્મિક વિધિપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પવિત્ર પ્રસંગે સોમનાથ મહાદેવના ચરણોમાં વિશેષ મહાપૂજન અને આયુષ્ય મંત્રજાપનું આયોજન કરાયું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને પૂજારીગણના સંસ્કૃત મંત્રોથી મંદિર પરિસરમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. નોંધનીય છે કે પ્રવીણ લહેરીએ તેમના ધર્મપત્ની સાથે આધુનિક ટેકનોલોજીના સહારે આ પૂજામાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મંદિર પરિસરમાં સવારથી જ ભક્તોની અવરજવર જોવા મળી હતી. ટ્રસ્ટના અધિકારીઓ અને સેવકમંડળે સમગ્ર આયોજનને સુવ્યવસ્થિત રીતે પાર પાડ્યું હતું. સાંજના સમયે ભગવાન સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર સાથે દીપમાળા આરતી યોજાશે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવારે પ્રવીણભાઈ લહેરીના સ્વસ્થ, સુખી અને દીર્ઘાયુષ્ય જીવન માટે પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં DDOનું પદ નવ મહિનાથી ખાલી:વિકાસ કાર્યો પર અસર; કાલોલના MLA અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કાયમી અધિકારીની નિમણૂકની માગ કરી
    Next Article
    ₹5.24 કરોડના ખર્ચે પોરબંદર ચોપાટીની કાયાકલ્પ થશે, 3D વીડિયો:ઓપન જિમ, યોગ કેન્દ્ર, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓ ઊભી કરાશે, પ્રથમ તબક્કાનું ટેન્ડર જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment