Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભકતોની એન્ટ્રી મોરલીધર પોળથી થતી હોવાથી ખાસ આયોજન:રાયપુરમાં રથયાત્રાનો રૂટ નથી છતાં 800 કિલો ખીચડીનો પ્રસાદ બને છે

    1 day ago

    સામાન્ય રીતે રથયાત્રાના રૂટમાં ઠેર ઠેર પ્રસાદના વિતરણ કરવામાં આવતુ હોય છે, પરંતુ રાયપુર દરવાજા પાસે જ્યાં રથયાત્રાનો રૂટ નથી છતાં ત્યાં એક પોળમાં છેલ્લા 5 વર્ષથી 800 કિલો ખિચડીનો પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. ભગવાનના દર્શન કરવા આવનારા લોકો પ્રસાદ રૂપે કંઈકને કંઈક મેળવે તેવા આશયે પોળના યુવક મંડળે આ ખિચડીનો પ્રસાદ શરૂ કર્યો હતો. આ અંગે મોરલીધર યુવક મંડળના સભ્ય અલ્પેશ દવેએ જણાવ્યું હતું કે, જગન્નાથ મંદિરમાં રથયાત્રાની આગલી રાતે ખિચડીનો પ્રસાદ વહેચવામાં આવે છે. પરંતુ ઘણા શ્રદ્ધાળુઓ ત્યાં પહોચી શકતા નથી. ત્યારે રથયાત્રામાં ભગવાનના દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરીને મંદિર જેવી જ ખિચડીનો પ્રસાદ મેળવે તેવા આશયે અમે પાંચ વર્ષ પહેલા મોરલીધરની પોળમાં ખિચડીનો પ્રસાદ વહેચવાનું શરૂ કર્યું છે. જેમાં દરવર્ષે અમારા મંડળના 25 સભ્યો આખી રાત જાગીને 800 કિલો ખિચડીનો પ્રસાદ તૈયાર કરે છે. સવારે શ્રદ્ધાળુઓ રાયપુર દરવાજાથી જ એન્ટ્રી લેતા હોય ત્યારે તેમને આ ખિચડીનો પ્રસાદ વહેચવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં 9 મિનિટનો વિડીયો બનાવી યુવકનો આપઘાત:બીલીમોરાના ગૌહરબાગમાં 28 વર્ષીય યુવાને જીવન ટૂંકાવ્યું, વિડીયોમાં પોલીસકર્મી સહિત 5 લોકોના ત્રાસનો ઉલ્લેખ
    Next Article
    લાઈટ બિલનો વધારો પરત લેવા રજૂઆત થઇ‎:સેલવાસ ન.પા.ની સભામાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment