Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડળીના નામે લોકોને છેતર્યા:ઉંચા વળતરની લાલચ આપી 80 જેટલા લોકો સાથે 70 લાખની ઠગાઈ આચરનાર દંપતીની પોલીસે કરી ધરપકડ

    11 hours ago

    રાજકોટના લક્ષ્મી સોસાયટી શેરી નં.5માં રહેતા પરેશ સોલંકી અને તેમના પત્ની નીરૂબેન પરેશ સોલંકી સહકારી મંડળી ચલાવતા અને તેમાં દર મહિને 3થી 8 ટકા વળતરની લાલચ આપી 80 જેટલા રોકાણકારો પાસે નાણાં ઉઘરાવ્યા હતા. પોલીસ તપાસમાં આ મહિલા સહકારી મંડળી હોવાથી મોટાભાગનું રોકાણ મહિલાઓએ કર્યું હોવાનું સામે આવ્યું છે. આશરે સાતથી આઠ માસ પહેલાં આરોપી દંપતી નાસી ગયા બાદ ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી અને ગઈકાલે દંપતી એરપોર્ટ ફાટક પાસે હોવાની બાતમીના આધારે તેને ઝડપી પાડી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 24 કલાકના રિમાન્ડ મંજુર કરતા વધુ તપાસ હાથ ધરી છે. આ મંડળીમાં છેતરપિંડીનો આંક હજુ વધવાની શક્યતા સેવાઈ રહી છે. અને ચીટિંગથી મેળવેલા નાણાં ક્યાં રાખ્યા છે તેમજ નાસતા-ફરતા હતા તે દરમિયાન કોણે આશરો આપ્યો સહિતની દિશામાં પૂછપરછ હાથ ધરી છે. કુવાડવા નજીક બાઇકે રાહદારીને હડફેટે લેતા પ્રૌઢનું સારવાર દરમિયાન મોત રાજકોટ નજીક કુવાડવાના જામગઢ ગામે દાનાભાઇ વશરામભાઇની વાડીમાં રહી ભાગીયામાં મજુરી કરતાં મુળ નવસારીના છનાભાઇ બાબુભાઇ હળપતિ (ઉ.વ.49) અને તેમના પત્‍નિ ભાનુબેન હળપતિ (ઉ.વ.40) તા.20ના સાંજે વાડીએથી ચાલીને ફાળદંગ ગામે ઘરવખરી સહિતની ચીજવસ્‍તુ લેવા ગયા હતાં આ પછી બંને પગપાળા પરત જામગઢ વાડીએ જતાં હતાં ત્‍યારે ફાળદંગથી રફાળાના રસ્‍તે અજાણ્‍યા બાઇકચાલક છનાભાઇને ઠોકરે લીધા હતા. ભાનુબેનની નજર સામે જ તેમના પતિને ગંભીર અકસ્‍માત નડયો હતો જેમાં તેમને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઇજાગ્રસ્‍ત છનાભાઇને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં પરંતુ અહિ તેમનું ગઇકાલે રાત્રે મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કુવાડવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતકને સંતાનમાં બે દિકરા છે જેને પિતાની છત્રછાંયા ગુમાવતાં મજૂર પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. દુકાનમાં એસિડ પી લેનારા સોની વેપારીનું સારવાર દરમિયાન મોત કેવડાવાડી શેરી નં.15માં રહેતાં તેજસભાઇ શિરીષભાઇ રાણપરા (ઉ.વ.39) નામના વેપારીએ તા.19ના રોજ વિવેકાનંદનગરમાં દેવપરા પાસે આવેલી પોતાની બી. એમ. જ્‍વેલર્સ નામની દુકાને હતાં ત્‍યારે એસિડ પી જતાં કારીગર રાજુભાઇને ખબર પડતાં તેણે તુરંત વેપારીના ભાઇને જાણ કરી તેજસભાઇને સિવિલ હોસ્‍પિટલ ખસેડયા હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન ગઈકાલે મોડી રાત્રે મોત થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આપઘાત કરનાર તેજસભાઇ બે ભાઇમાં મોટા હતાં અને તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં તેજસભાઇ દુકાનમાં સોની કામની મજુરી કરતાં હતાં તેમને અન્‍ય બે વેપારી ઘરેણા બનાવવા આપતાં હતાં. સાતેક મહિનાના હિસાબની લેતીદેતી બાકી હોઇ આર્થિક વ્‍યવહારમાં ચીટીંગ થતાં આ પગલુ ભર્યાનો આક્ષેપ થતાં પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. દિયર પાસે પૈસાની મદદ માંગનાર લીલાબેન જાદવને બે પુત્રોએ માર માર્યો રાજકોટ શહેરમાં રૈયાધાર ઇન્‍દિરાનગરમાં રહેતાં લીલાબેન ડાયાભાઇ જાદવ (ઉ.વ.50)ને રાત્રે 9.30 વાગ્‍યે તેના જ દિકરા લલીત અને પ્રકાશ ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. પોલીસ પુછપરછમાં લીલાબેને જણાવ્‍યું હતું કે મારે સંતાનમાં ત્રણ દિકરા છે. પતિ હયાત નથી. મારે પુત્રવધુ માટે બ્‍યુટીપાર્લર ચાલુ કરવું હોઇ રૂમમાં થોડુ ચણતર કરવા માટે પૈસાની જરૂર હોઇ હું મારા દિયર પાસે મદદ માંગવા જતાં આ વાત દિકરાઓને ન ગમતાં ખાર રાખી હુમલો કર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે. ઉગતા પોરના મેલડી માતાજીના મંદિર પાસે દંપતીનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ રેલનગરમાં લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતા જગદીશભાઈ જીવરાજભાઈ નારોલા (ઉં.વ.35) અને તેમના પત્ની રાજલબેન (ઉં.વ.34)એ ગઈકાલે શીતલપાર્ક પાસે આવેલ ઉગતા પોરના મેલડી માતાજીના મંદિર પાસે ફિનાઈલ પી લેતા તેને તત્કાલ 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જગદીશભાઈ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલા ઘૂન મંડળના એક સભ્યને છેલ્લા છ માસથી અવારનવાર તેડવા મૂકવા જતા હતા દરમ્યાન પત્નીને નોકરીની જરૂર હોવાથી મહિલા મંડળના તે બહેનને ફોન કરતો હતો તે મહિલાના પતિએ અફેરની શંકા કરી હતી અને દંપતીને શાસ્ત્રી મેદાન ખાતે બોલાવ્યા હતા પછી શીતલપાર્ક પાસે મેલડીમાંના મંદિર પાસે બોલાવી ત્યાં મહિલાના પતિએ જગદીશને કહ્યું કે, તે મારી પત્નીની સોનાની બુટી પણ લીધેલ છે આ બાબતે ઝઘડો થયો અને ખોટા આક્ષેપ કરતા પતિ - પત્નીએ ફિનાઈલ પી લીધું હતું. હાલ ગાંધીગ્રામ પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં નવા બનતા બ્રિજનો નમેલો ગર્ડર તૂટી પડ્યાનો ઘટસ્ફોટ:ઘટનાસ્થળે હાજર સીટકોના અધિકારીઓએ જૂઠાણું ચલાવ્યું, રેલવેએ સત્ય જાહેર કર્યું
    Next Article
    દેવભૂમિ દ્વારકામાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, ભૂલકાંઓને પ્રવેશ:ઇન્ચાર્જ DDO સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment