Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફરી બનશે સુગમ:ભચાઉ-ખડીર વચ્ચેનું અંતર 80 કિમી ઘટશે એકલ-બાંભણકા માર્ગમાં માટી-મેટલ કામ પૂર્ણ

    10 hours ago

    ભચાઉ તાલુકાના ખડીર બેટ વિસ્તારને તાલુકા મથક સાથે સીધો જોડવા અત્યંત મહત્વપૂર્ણ એવા એકલ-બાંભણકા રોડનું નિર્માણ કાર્ય બે વર્ષથી ચાલી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના આ પ્રોજેક્ટની 60 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. હાલમાં આ રસ્તો બીજા રોડ ટુ હેવન તરીકે પણ પ્રચલીત છે. હાલમાં અહીં માટીકામ અને મેટલકામ પુર્ણ થયું છે અને ડામર કામ હવે શરૂ થશે. રણમાં કેટલીક જગ્યાએ પાણી ભરાયેલા હોવાથી ત્યાં પુલનું કામ બાકી છે. સંભવત ચાલુ વર્ષમાં કામ પુર્ણ થતા ખડીરના 11 ગામોના લોકો, પ્રવાસીઓ અને સરહદ પર તૈનાત સુરક્ષાકર્મીઓ માટે મુસાફરી સુગમ બનશે. આ અંગેની વિગતો મુજબ, હાલમાં ખડીર બેટના રહેવાસીઓને ભચાઉ આવવા માટે રાપર તાલુકામાંથી પસાર થઈને આશરે 150 કિમીનું અંતર કાપવું પડે છે. આ નવી મિસિંગ લિંક તૈયાર થવાથી આ અંતર ઘટીને માત્ર 80 કિમી થશે. ખડીર વિસ્તારના ગામોના સામાજીક વ્યવહાર ભરૂડીયા- ચોબારી સાથે હોઇ હાલે રાપર, ભચાઉ થઈ આશરે 180 કીમીના અંતરથી પ્રવાસ કરે છે. વર્ષ 2006-07 માં આ રસ્તાના કામ માટે ગુજરાત સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી જોકે, ઘુડખર અભયારણ્ય અને વાઈલ્ડ લાઈફ ક્લિયરન્સના કારણે કામ અટકેલું હતું. છેવટે 2018માં નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડ લાઈફ દ્વારા વન્ય જીવોને નુકસાન ન થાય તેવી શરતો સાથે આ પ્રપોઝલ માન્ય રખાઈ જે બાદ કામ શરૂ કરાયું હતું આ રસ્તા માટે રૂ. 127.43 કરોડથી વધુની ટેકનિકલ મંજૂરી મળી હતી. જે બાદ ફેબ્રુઆરી 2024માં વર્કઓર્ડર અપાયો હતો. રસ્તો રણ વિસ્તાર અને વોટરલોગ્ડ એરિયામાંથી પસાર થતો હોવાથી જમીનથી 1.40 મીટરની ઊંચાઈ પર બનાવાઈ રહ્યો છે. આ સિંગલ પટ્ટી માર્ગો ડબલ લેન બને તો સોનામાં સુગંધ ભળે એકલ-બાંભણકા રસ્તાની સાથે સ્થાનિકોએ જણાવ્યું કે અન્ય સિંગલ પટ્ટી રોડ ડબલ લેન બનાવી આપવામાં આવે તો વિશેષ ફાયદો થાય તેમ છે. જેમાં હાલમાં જનાણથી બાંભણકા વચ્ચે 3 કિલોમીટર અને એકલથી ભરૂડિયા વચ્ચે 5 કિલોમીટરનો સિંગલ પટ્ટી ડામર રોડ છે. જો આ માર્ગને ડબલ લેન કરાય તો પ્રવાસીઓનો સમય અને ઇંધણ બંને બચી શકે તેમ છે. માર્ગ પરિવર્તનની આ યોજનામાં ભરૂડિયાથી કુડા સુધીના 5 કિલોમીટરના સિંગલ રોડ સાથે રવેચીનગર (ભરૂડિયા) થી રામવાવ આધોઈ ફાટક સુધીના આશરે ચારથી પાંચ કિલોમીટરના જૂના ગાડા માર્ગને નવો ઓપ આપવામાં આવે તો ભરૂડિયા ગામ બાયપાસ થઈ શકે તેમ છે ઉપરાંત એકલ માતાજીથી સુવઈ થઈ રાપર જતો 25 કિલોમીટરનો સિંગલ પટ્ટી માર્ગ જો ડબલ લેન કરાય તો રાપર અને ધોળાવીરા વચ્ચેનું અંતર પણ 20 કિલોમીટર જેટલું ઘટી જશે તેમ ભૌગોલિક જાણકારો જણાવી રહ્યા છે. માર્ગોના આયોજનબદ્ધ કામો પૂર્ણ થવાથી ધોળાવીરાથી રાપર થઈ અમદાવાદ જવાનું અંતર જે 370 કિલોમીટર અને રાજકોટનું અંતર 270 કિલોમીટર છે તેમાં 40 કિલોમીટરનો ઘટાડો નોંધાશે. ઘડુલી-સાંતલપુર રસ્તો કાર્યરત હોતાં લખપત, હાજીપીર અને ખાવડા તરફથી આવતા પ્રવાસીઓ ડાયરેક્ટ ધોળાવીરા થઈ સીધા અમદાવાદ તરફ જઈ શકશે. આ રીતે 160 કિમીનું અંતર 80 કિમીમાં ફેરવાયું આ રસ્તો બંધ હતો ત્યારે લોકોને તાલુકા મથક જવું હોય તો ભચાઉ - સામખીયાળી - ચિત્રોડ-રાપર - જનાણ - ધોળાવીરા એમ 160 કિલોમીટર રસ્તાનો ઉપયોગ કરવો પડતો.હાલમાં માર્ગનું કામ ચાલુ છે અને વાહનવ્યવહાર પણ ચાલુ છે જેમાં ભચાઉ - કુડા - ભરૂડિયા - એકલ- બાભણકા (રણ) - જનાણ (ગઢડા) - ધોળાવીરા માર્ગ બની રહ્યો છે જે 80 કિલોમીટરનો છે. ઇતિહાસ ઘણો જૂનો : 1984-85 સુધી અહીં એસટી બસ દોડતી આ રસ્તાનો ઈતિહાસ ઘણો જૂનો છે. વર્ષ 1984-85 સુધી આ માર્ગ પર એસટી બસ સેવા કાર્યરત હતી, પરંતુ ત્યારબાદ રણના આ કાચા માર્ગ પર અવરજવર મુશ્કેલ હતી. એકલ-બાંભણકા રણમાં હયાત માટી કામવાળા રસ્તા પર વર્ષ 1983-84 અને 1985-86માં અછત રાહતકામ હેઠળ માટી કામ પણ થયેલ છે. અને અછત સેફ સ્ટેજમાં નાળા પુલીયાની કામગીરી પણ થઇ છે.
    Click here to Read More
    Previous Article
    ઓસ્કર એવોર્ડ 2026:લિયોનાર્ડોની 'વન બેટલ આફ્ટર અધર'એ 3 એવોર્ડ જીત્યા, પ્રિયંકા પતિ નિક સાથે પહોંચી; ભારતીય મૂળના ફિલ્મમેકરની 2 ડોક્યુમેન્ટરી નોમિનેટ
    Next Article
    ભીમાસર ગામના વિકાસની કલગીમાં નવું છોગું ઉમેરાયું:કચ્છમાં ગ્રામ્ય સ્તરે પ્રથમ મોડેલ શાક માર્કેટ કાર્યરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment