Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ઘૂસ્યો 8 ફૂટનો મગર, VIDEO:રેસ્ક્યુ કરવા જતા મગર ગિન્નાયો, વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે એક કલાકની જેહમત બાદ પકડ્યો

    13 hours ago

    વડોદરાના રાજમહેલ રોડ પર આવેલ સાઈ સુકન રેસીડેન્સી પાસે કન્સ્ટ્રક્શન સાઈટમાં મગર જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેને પગલે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યો હતો. સુકન રેસીડેન્સી પાસેની કન્સ્ટ્રક્શન સાઈટ પર મગર દેખાયો વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલ સાઈ સુકન રેસીડેન્સી સોસાયટી પાસેની કન્સ્ટ્રક્શન સાઈટના વોચમેન સંદીપ ગાવડે દ્વારા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને જાણ કરવામાં આવી હતી કે સાઇટ પર મગર દેખાયો છે. માહિતી મળતા જ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના ઉપપ્રમુખ તુષાર ઉત્તેકર પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. એક કલાકની જેહમત બાદ મગરનું રેસ્ક્યુ કરાયું સ્થળ પર તપાસ કરતાં આશરે 8 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો. વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે લગભગ એક કલાકની ભારે જહેમત બાદ મગરને સલામત રીતે કાબૂમાં લઈને રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી હતી. બાદમાં મગરને વધુ કાર્યવાહી માટે વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. તળાવમાં પાણી ઓછું થઈ જતા મગરો તળાવમાંથી બહાર આવી રહ્યા છે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના ઉપપ્રમુખ તુષાર ઉત્તેકર એ જણાવ્યું હતું કે, બાજુમાં આવેલ તળાવમાં પાણી ઓછું થઈ જતા મગરો તળાવમાંથી બહાર આવી રહ્યા છે. હું સરકારને અપીલ કરું છું કે, ઝડપથી તળાવમાં રહેલા મગરોને બહાર કાઢીને અન્ય જગ્યાએ ખસેડવામાં કરવામાં આવે. કારણકે આવું નહીં થાય તો આસપાસના લોકો ભયમાં રહે છે અને તેમના જીવનું જોખમ રહે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 417 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગરના હુમલામાં કોઈનું મોત થાય તો 4 લાખ સુધીનું વળતર મળે મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી?
    Click here to Read More
    Previous Article
    Ranchi lawyer convicted for assaulting female colleague inside HC; court says victim’s testimony ‘inspires confidence’
    Next Article
    ગુજરાત યુનિ.માં બનેલી નવી બિલ્ડિંગમાં તોડફોડ કરતા NSUIનો હોબાળો:લેબની હાઈટ વધારવા બિલ્ડીંગનું આયુષ્ય ઘટાડ્યાનો આક્ષેપ, કુલપતિએ કહ્યું- 'પૂર્વ VCના સમયનું કામ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment