Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોટાણાના કસલપુરા ગામમાં 8 મહિનાથી પાણીની સમસ્યા:કલેક્ટર કચેરીએ મહિલાઓએ થાળી-વેલણ વગાડી આક્રોશ ઠાલવ્યો

    2 weeks ago

    મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા કસલપુરા ગામમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા 8 મહિનાથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આશરે 2,000 થી વધુની વસતિ અને 800 થી વધુ પશુધન ધરાવતા આ ગામના રહીશો પાણીના ટીપે-ટીપે માટે વલખાં મારી રહ્યા છે. વહીવટી તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતાં આખરે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. પાણીની વિકટ સમસ્યાથી તોબા પોકારી ઉઠેલી ગામની મહિલાઓ આજે મોટી સંખ્યામાં મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધસી આવી હતી અને તંત્ર સામે મોરચો માંડ્યો હતો. કલેક્ટર કચેરી પરિસરમાં થાળી-વેલણ વગાડી અનોખો વિરોધ કલેક્ટર કચેરી ખાતે પહોંચેલી મહિલાઓએ કચેરી પરિસરમાં જ હાથમાં થાળી-વેલણ વગાડીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો અને ભારે હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન રોષે ભરાયેલી મહિલાઓએ સ્થાનિક બહુચરાજી બેઠકના ધારાસભ્ય વિરૂદ્ધ પણ ન્યાયની માગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ ગ્રામજનોના આગેવાનોએ મહેસાણા જિલ્લા અધિક કલેક્ટરને રૂબરૂ મળીને પાણીની સમસ્યા અંગેનું વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને ગામમાં વહેલી તકે નવો બોરવેલ મંજૂર કરી બનાવી આપવા ઉગ્ર માંગ કરી હતી. માનવી તો ઠીક, 800 પશુઓ માટે પાણી ક્યાંથી લાવવું?: શિલ્પાબેન સ્થાનિક મહિલા શિલ્પાબેને પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, "ગામમાં છેલ્લા 8 મહિનાથી પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે. ગામનો સરકારી બોરવેલ છેલ્લા 8 મહિનાથી ફેલ થઈ ગયો છે અને નર્મદાનું પાણી પણ ત્રણ-ત્રણ દિવસ સુધી આવતું નથી. ગામના લોકો તો ગમે તેમ કરીને દૂર-દૂરથી પીવાનું પાણી લાવીને ચલાવી લે છે, પરંતુ ગામમાં રહેલા 800 થી વધુ પશુઓને પાણી ક્યાંથી પાવું તે સૌથી મોટી આફત બની ગઈ છે." મુખ્યત્વે પશુપાલન અને ખેતી પર નભતા આ ગામમાં પાણીની આ કટોકટીને કારણે મૂંગા પશુઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ગ્રામજનોએ તંત્રને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં ગામમાં નવો બોર બનાવીને પાણીની સમસ્યાનું કાયમી નિવારણ નહીં લાવવામાં આવે, તો તેઓ આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરશે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોના પ્રશ્નોને લઈ કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિનું મહા આંદોલન:15 જૂને 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતો શાંતિપુરાથી ગાંધીનગર કૂચ કરશે, રસ્તા રોકો આંદોલનની ચીમકી
    Next Article
    ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીએ ચાર નવા UG કોર્સ શરૂ કર્યા:NEP-2020 મુજબ બાળકેન્દ્રી, સંશોધન આધારિત શિક્ષણ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment