Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ રેન્જમાં 8 કૃત્રિમ પાણીના પોઈન્ટ કાર્યરત:ઉનાળામાં સિંહ-દીપડા સહિત વન્યજીવોને મળશે પીવાનું પાણી

    11 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેન્જ હેઠળના જંગલ વિસ્તારોમાં ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ઉનાળામાં કુદરતી પાણીના સ્ત્રોતો સુકાઈ જતાં વન્યજીવોને પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે વિવિધ સ્થળોએ કૃત્રિમ પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં આવેલા પાણીના કુંડોને સાફ કરી તેમાં નિયમિત રીતે પાણી ભરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, અનેક વિસ્તારોમાં કૃત્રિમ ચેકડેમ અને નાના જળાશયો તૈયાર કરી તેમાં પાણી સંગ્રહ કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. આ કામગીરીના કારણે સિંહ સહિતના અન્ય વન્ય પ્રાણીઓને ઉનાળાની ગરમી દરમિયાન પીવાનું પાણી સરળતાથી મળી રહેશે. વન વિભાગની આ પહેલથી જંગલ વિસ્તારમાં વસવાટ કરતા પ્રાણીઓ માટે મોટી રાહત સર્જાઈ છે. આ અંગે માહિતી આપતા સહાયક વન સંરક્ષક (ACF) પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વેરાવળ રેન્જ હેઠળ સુત્રાપાડા અને વેરાવળ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં 20થી વધુ સિંહોનો સમૂહ વસવાટ કરે છે, ઉપરાંત દીપડા સહિત અનેક તૃણભક્ષી પ્રાણીઓ પણ જોવા મળે છે. સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોતો ઉપલબ્ધ હોય છે, પરંતુ ઉનાળાની તીવ્ર ગરમીમાં આ સ્ત્રોતો સુકાઈ જતાં વન્યજીવો માટે પાણીની સમસ્યા ઉભી થતી હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વેરાવળ રેન્જમાં કુલ 8 કૃત્રિમ પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. આ 8 પોઈન્ટમાંથી 5 પાણીના પોઈન્ટ ટેન્કર મારફતે ભરવામાં આવે છે, જ્યારે 2 પોઈન્ટ હેન્ડપમ્પ દ્વારા અને 1 પોઈન્ટ પવનચક્કી (વિન્ડ મિલ) મારફતે ભરવામાં આવે છે. ACF પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુમાં આવા કૃત્રિમ પાણીના પોઈન્ટ ઉભા કરવાથી વન્યજીવોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે છે. ખાસ કરીને સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ પાણીની શોધમાં જંગલ વિસ્તાર છોડીને રેવન્યુ વિસ્તારમાં ન જાય અને માનવ-વન્યજીવ સંઘર્ષના બનાવો ન બને તે માટે આ વ્યવસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. વન વિભાગ દ્વારા આ પાણીના પોઈન્ટની નિયમિત દેખરેખ, સફાઈ અને પાણી ભરવાની કામગીરી માટે ખાસ બે કર્મચારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. વન વિભાગના આ પ્રયાસોથી ઉનાળાની કઠિન ઋતુ દરમિયાન ગીર વિસ્તારના વન્યજીવોને મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    'શ્રી સહજાનંદ' અને 'શ્રી ગજાનંદ' ઘીના નામે સુરતીઓને ઝેર પીરસાયું:'અવસર પ્લાઝા'માં ધમધમતા નકલી ઘીના કારખાનામાંથી 2200 જેટલા નકલી ઘીના ડબ્બા જપ્ત, દોઢ વર્ષથી ચાલતું હતું કૌભાંડ
    Next Article
    કિંજલ રબારીએ હર્ષ સંઘવી અને શંકર ચૌધરી પાસે સુરક્ષા માગી:વીડિયો દ્વારા દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ સામે ઉઠાવ્યા સવાલ; સિંગર ધમકી સામે કાયદાકીય લડી લેવાના મૂડમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment