Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 કિમી દૂર જતાં કોર્ટને બચાવવા મહારેલી:કોર્ટને જગાણા જતા બચાવવા આજે મહારેલી

    2 days ago

    પાલનપુર પેલેસ સંકુલમાં આવેલી જુદી જુદી 14 કોર્ટને જગાણા ખાતે ખસેડવાની હિલચાલ ચાલી રહી છે. 8 કિલોમીટર દૂર કોર્ટને જતા બચાવવા આજે મહારેલી યોજાશે. જે રેલી કલેકટર કચેરીથી શરૂ થઈને બપોરે કલેકટરને આવેદનપત્ર પાઠવશે જેમાં શહેરીજનોને જોડાવા અપીલ કરાઇ છે. પાલનપુર જોરાવર પેલેસ સંકુલમાં આવેલી જુદી જુદી 14 કોર્ટ હાઇકોર્ટના હુકમના પગલે જગાણા ખસેડવાની તૈયારીઓ ચાલી રહી છે. થોડા મહિનાઓ પૂર્વેદ જિલ્લા કલેકટર દ્વારા અહીં 40 હજાર ચોરસમીટર જગ્યા કોર્ટને ફાળવવા માટે હુકમ કર્યો છે. જે સ્થળે કોર્ટ લઈ જવાની છે ત્યાં માપણીની પ્રક્રિયા પણ પૂરી થઈ છે. જેને લઈને પાછલા 11 દિવસથી પાલનપુર બાર એસોસિએશન ધરણાં કરી સમગ્ર કામકાજ બંધ કરી દીધું છે. સ્થાનિક વકીલોએ જણાવ્યું કે " જો કલેક્ટર કચેરી જગાણા જતી અટકી જતી હોય તો કોર્ટ પણ અટકી શકે છે. જેને લઇને બુધવારે 30 એપ્રિલે મહારેલીમાં બનાસકાંઠા વાવ થરાદ જિલ્લાના જુદા જુદા બાર એસોસિએશન જોડાશે. સવારે 9:30થી રેલી કલેકટર કચેરીથી શરૂ થઈને શહેરના જુદા જુદા માર્ગો પર ફરીને બપોરે જિલ્લા કલેકટર મિહિર પટેલને આવેદનપત્ર પાઠવશે. પાલનપુર બાર એસો.ના પ્રમુખ ભાવેશભાઈ રાવલે જણાવ્યું કે અંદાજિત 1 હજાર કરતા વધુ વકીલો આ રેલીમાં જોડાશે ત્યારે પાલનપુર શહેરના નાગરિકોને પણ રેલીમાં જોડાવવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ICSE, ISC Result 2026: CISCE 10th, 12th result trends over the years
    Next Article
    જિલ્લા પંચાયતના પ્રમુખનો તાજ કોના માથે?:ભાજપે 30 વર્ષે બ.કાંઠા જિલ્લા પંચાયત કબજે કરી પ્રમુખ બ્રહ્મ સમાજમાંથી બનવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment