Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:વરસાદ બાદ 8 દિવસ સુધી હિટવેવનો રાઉન્ડ : વર્ષા વિજ્ઞાન મંડળના સભ્યનું પૂર્વાનુમાન, સૂર્યગ્રહણ - ચંદ્રગ્રહણપણ નહીં દેખાય

    3 days ago

    વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય રમણીક વામજાએ પૂર્વાનુમાન કરતા જણાવ્યું હતું કે, તારીખ 7 એપ્રિલ થી શરૂ થઈ 15 એપ્રિલના રોજ દનૈયા પૂરા થશે. તારીખ 24 એપ્રિલથી 26 એપ્રિલ અશ્વિની નક્ષત્રમાં અમરેલી ભાવનગર બાજુ માવઠું થાય અને ગરમી પડશે. તારીખ 3 મે થી 7 મે ભરણી નક્ષત્રમાં પણ પવન સાથે કમોસમી વરસાદ થવાની આગાહી કરી હતી. તારીખ 17 મે થી 21 મે કૃતિકા નક્ષત્રમાં પવન સાથે બપોર પછી વરસાદ આવશે અને આવતું વર્ષ સારું થાય. જ્યારે તારીખ 30 મે થી 2 જૂન રોહીણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થવાની પણ આગાહી કરી હતી. તેમણે તારીખ 12 ઓગસ્ટના રોજ ખગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. વરસાદ સારો થાય રાજા પ્રજા સુખે સૂઈ શકશે નહીં. તારીખ 27 ઓગસ્ટના રોજ ખંડ ગ્રાસ સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં પરંતુ તેલ, ઘી મોંઘુ થાય અને અનાજ સસ્તુ થવાનું પૂર્વાનુમાન કર્યું હતું. હવે કેરીની સીઝન શરૂ થશે જો કમોસમી વરસાદ પડશે તો આ પાકને સૌથી વધુ નુકસાન થઈ શકે છે તેમજ ભાવમાં પણ વધારો થશે જ્યારે કેરી ઉત્પાદકોને પણ આર્થિક ફટકો પડી શકે છે. આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ ભાસ્કર સાથેની વાત ચીતમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ફરી 28 થી 30 એમ ત્રણ દિવસ માવઠું પડી શકે છે જેથી પાકને પણ નુકસાન થઈ શકે છે. માર્કેટીંગ યાર્ડમાં ઘઉ, ધાણા, જીરૂ, તુવેર સહિતની જણસીની મોટા પ્રમાણમાં આવક થઇ રહી છે. જૂનાગઢ યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે. ઉપરાંત ઘઉની સવારે હરરાજી થવાની હોય તે માટે આગલા દિવસે રાત્રે 10 વાગ્યાથી દોઢથી બે કિલોમીટરની ખેડૂતોના વાહનોની લાઇનો જોવા મળે છે. પરંતુ હાલ માર્ચ એન્ડીંગ હોવાથી હિસાબને લઇને જણસીની હરરાજી બંધ રાખવામાં આવી છે.આગામી તારીખ 2 એપ્રિલને ગુરૂવારથી ફરી તમામ પ્રકારની જણસીની રાબેતા મુજબ હરરાજી શરૂ થનાર છે. > દિવ્યેશ ગજેરા, સેક્રેટરી, માર્કટીંગ યાર્ડ, જૂનાગઢ.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:શિક્ષણ સમિતિમાં પીએમના જન્મદિને સ્થાપિત ‘નરેન્દ્ર પુસ્તકાલય’ને તાળું, પુસ્તકો ધૂળ ખાતાં
    Next Article
    સૌથી વધારે સુરતમાંથી કૌભાંડોની ફરિયાદ મળી:શહેરોમાં વિકાસની સાથે કૌભાંડો પણ વધ્યાં ભ્રષ્ટાચારમાં શહેરી વિકાસ વિભાગ અવ્વલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment