Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'માારા મોત માટે પતિ કે પરિવાર જવાબદાર નથી':અમદાવાદમાં એપાર્ટેમેન્ટના 8માં માળેથી ઝંપલાવી મહિલાએ આત્મહત્યા કરી, સુસાઈડ નોટ મળી આવી

    1 सप्ताह पहले

    અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા શુભદર્શન એપાર્ટેમેન્ટના આઠમા માળેથી ઝંપલાવી એક મહિલાએ આત્મહત્યા કરી લીધાની ઘટના સામે આવી છે. મૃતક મહિલા સેટેલાઈટ વિસ્તારમાં આવેલી શરણમ-7 સોસાયટીમાં રહેતા હતા. પરંતુ, અન્ય સોસાયટીમાં જઈ અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં પોતાના મોત માટે તેમના પતિ કે પરિવાર જવાબદાર ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. નીમા દવે નામના મહિલા બીમારીથી પીડાતા હોવાના કારણે આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આનંદનગર વિસ્તારમાં આવેલા એપાર્ટેમેન્ટમાં પહોંચી આપઘાત કર્યો અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી શરણમ-7 સોસાયટીમાં નીમાબેન દવે પોતાના પરિવાર સાથે રહે છે. તેઓએ આજે બપોરના સમયે આનંદનગર વિસ્તારમાં આવેલા શુભદર્શન એપાર્ટમેન્ટના આઠમા માળે પહોંચી ઝંપલાવી દીધું હતું. નીમાબેનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા. નીમાબેન જ્યારે સોસાયટીમાં પ્રવેશતા હતા ત્યારે સીસીટીવીમાં કેદ થયા હતા. બીમારીથી કંટાળી આત્મહત્યા કર્યાનું પ્રાથમિક તારણ આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઇ વિનોદ ચૌધરીએએ જણાવ્યું કે, નીમાબેન દવે નામની મહિલાએ શુભ દર્શન ફ્લેટના આઠમા માળેથી કૂદીને આપઘાત કર્યો છે.અમને આઠમા માળેથી તેના ચંપલ પણ મળી આવ્યા છે. આ મહિલા માનસિક રીતે બીમાર હતા અને એક સુસાઈડ નોટ પણ લખીને ગયા છે.જેમાં તેણે સ્પષ્ટ લખ્યું છે કે તેના મોત માટે તેનો પરિવાર કે પતિ કોઈ પણ જવાબદાર નથી, પણ તે કંટાળીને સુસાઈડ કરી રહ્યા છે. હમણાં જ તેના પતિ તેના બીમારીના કેસ પેપર લઈને અહીં આવ્યા છે. અજાણી સોસાયટીમાં આવીને શા માટે આત્મહત્યા કરી? આ મહિલા ખરેખર આનંદનગરની હદમાં રહેતા હતા, તેથી તેણે અહીં શુભ દર્શન ફ્લેટમાં ખાસ આવીને કેમ આપઘાત કર્યો તે અમને થોડું અઘરું લાગ્યું છે.કદાચ અહીં તેના કોઈ ઓળખીતા રહેતા હોઈ શકે છે.મહિલાના પતિની પૂછપરછ કરીને બાકીની વિગતો મેળવીશું.આ પરિવાર ધંધુકા બાજુના દવે બ્રાહ્મણ હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં સાસુ-જમાઈના આડાસંબંધનો કરૂણ અંજામ:દીકરીએ છૂટાછેડા લેતા અન્ય સાથે લગ્ન કરી લેતા ઝઘડો ઉગ્ર બન્યો, અતુલ રેલવે સ્ટેશન પાસે વાડીમાં હાથ-પગ બાંધેલી વૃદ્ધાની લાશનો ભેદ ઉકેલાયો
    Next Article
    કુંભારવાડામાંથી વરલી મટકાના આંકડા લેતા બે શખ્સો ઝડપાયા:માઢિયારોડ શેરી નં.14 અને 4માં જુગાર રમતા રમાડતા હતા, બન્ને શખ્સો વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment