Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આસારામના પુત્રના નારાયણ સાંઈના છૂટાછેડા:રેપ કેસમાં સુરત જેલમાં બંધ, 8 વર્ષની લડત બાદ ઈન્દોર ફેમિલી કોર્ટનો ચૂકાદો; 2 કરોડ ભરણપોષણનો આદેશ

    11 hours ago

    મધ્યપ્રદેશના ઇન્દોરમાં ફેમિલી કોર્ટે નારાયણ સાંઈ અને તેમની પત્ની જાનકી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વૈવાહિક વિવાદમાં છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. કોર્ટે નારાયણ સાંઈને પત્નીને 2 કરોડ રૂપિયા કાયમી ભરણપોષણ (એલ્યુમની) આપવાનો આદેશ આપ્યો છે. આ મામલો લગભગ આઠ વર્ષ સુધી કોર્ટમાં ચાલ્યો. કોર્ટે 2 એપ્રિલે ચુકાદો સુરક્ષિત રાખ્યા બાદ આદેશ પસાર કર્યો હતો, જેની જાણકારી મંગળવારે પીડિતાના વકીલ અનુરાગ ગોયલે આપી. જણાવી દઈએ કે નારાયણ સાંઈ હાલમાં દુષ્કર્મના એક કેસમાં સુરત જેલમાં બંધ છે. 24 માર્ચે જ તેને ઇન્દોરની ફેમિલી કોર્ટમાં હાજર કરવા માટે લાવવામાં આવ્યો હતો. 2008માં લગ્ન, 2013થી અલગ રહી રહ્યા હતા અરજી મુજબ, જાનકી અને નારાયણ સાંઈના લગ્ન 2008માં થયા હતા, પરંતુ 2013થી બંને અલગ રહી રહ્યા છે. પત્નીએ પતિ પર ત્યાગનો આરોપ લગાવ્યો અને કહ્યું કે લાંબા સમયથી તેમના વચ્ચે વૈવાહિક સંબંધો નથી. 5 કરોડ માંગ્યા, કોર્ટે 2 કરોડ નક્કી કર્યા અરજીમાં નારાયણ સાંઈ પર અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. સાથે જ સુરતની કોર્ટમાં દુષ્કર્મ કેસમાં સંભળાવવામાં આવેલી સજાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પત્નીએ 5 કરોડ રૂપિયા ભરણપોષણ (એલ્યુમની)ની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ 2 કરોડ રૂપિયા આપવાનો આદેશ આપ્યો. 50 લાખ ભરણપોષણ બાકી કલમ 125 સીઆરપીસી હેઠળ અગાઉ દર મહિને 50 હજાર રૂપિયા ભરણપોષણ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ તે નિયમિતપણે આપવામાં આવ્યું ન હતું. વકીલના મતે, લગભગ 50 લાખ રૂપિયા બાકી છે, જેની વસૂલાતની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. હાઈકોર્ટમાં પડકારની શક્યતા જાણકારી અનુસાર, આ આદેશને હાઈકોર્ટમાં પડકારી શકાય છે. સંપત્તિના વેરિફિકેશનને લઈને ઈન્દોર કલેક્ટરને નિર્દેશ આપવામાં આવ્યા હતા, પરંતુ અત્યાર સુધી સંપૂર્ણ જાણકારી કોર્ટમાં રજૂ થઈ શકી નથી. યૌન શોષણ કેસમાં આજીવન કેદ નારાયણ સાંઈને સુરતની બે બહેનો સાથે રેપના કેસમાં આજીવન કેદની સજા થઈ હતી. વર્ષ 2013માં સુરતની બે બહેનોએ કેસ દાખલ કરાવ્યો હતો. નાની બહેને નારાયણ સાંઈ વિરુદ્ધ યૌન શોષણનો મામલો દાખલ કરાવ્યો હતો, જ્યારે મોટી બહેને તેના પિતા આસારામ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. નાની બહેનના આરોપ અનુસાર, નારાયણ સાંઈએ 2002થી 2005ની વચ્ચે તેની સાથે ઘણી વખત રેપ કર્યો હતો. પીડિતા આસારામના આશ્રમની 'સેવિકા' હતી. તેણે સુરતના જહાંગીરપુરા આશ્રમ, ગાંભોઈ આશ્રમ, પટના આશ્રમ, કાઠમંડુ આશ્રમ અને મધ્ય પ્રદેશના મેઘનગર આશ્રમ લઈ જઈને રેપ કરવાનો આરોપ લગાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    યુદ્ધ વિરામની માર્કેટ પર જબરદસ્ત અસર:ક્રૂડ ઓઈલના ભાવ એક ઝાટકે ઘટ્યા; સેન્સેક્સ 73,563 પર બંધ, સોનું 4 હજાર વધીને 1.53 લાખ; ચાંદીમાં 13 હજારનો ઉછાળો
    Next Article
    બનાસકાંઠામાં ચૂંટણી 2026 માટે કંટ્રોલ રૂમ શરૂ:જિલ્લા-તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે હેલ્પલાઇન જાહેર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment