Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીમા લોકપાલનો અધકચરો ચુકાદો ગ્રાહક કમિશને રદ કર્યો:અકસ્માતના દાવામાં 8 વર્ષની કાનૂની લડત બાદ ગ્રાહકની જીત, વ્યાજ સાથે પૂરું વળતર ચૂકવવા હુકમ

    11 hours ago

    કેન્દ્ર સરકાર અને વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળ (IRDA) દ્વારા વીમા કંપનીઓને દાવાના નિકાલમાં પારદર્શિતા જાળવવા અને વિલંબ બદલ બેંક દરથી 2% વધુ વ્યાજ ચૂકવવા તાકીદ કરવામાં આવી છે. આમ છતાં, ખુદ સરકારી વીમા લોકપાલ એજન્સીની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વીમા લોકપાલ દ્વારા ગ્રાહકની અરજી ફગાવીને અધૂરી રકમ ચૂકવવાનો અન્યાયી એવોર્ડ આપ્યા બાદ, ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિની મદદથી અમદાવાદ શહેર (એડિશનલ) ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આખરે 8 વર્ષથી વધુની કાનૂની લડાઈ બાદ ગ્રાહક કમિશને વીમા કંપનીની સેવા ક્ષતિપૂર્ણ ઠેરવી ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો છે. વીમા કંપનીએ દાવો નકાર્યો અમદાવાદના સેટેલાઈટ, જોધપુર વિસ્તારમાં રહેતા સીનિયર સીટીઝન વિનીતભાઈ સી. શાહ પાસે નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીની રૂ. 5 લાખની સમ ઇન્સ્યોર્ડ ધરાવતી મેડીક્લેઇમ પોલિસી હતી. તેઓ ટુ-વ્હીલર પર આણંદથી બોરસદ જઈ રહ્યા હતા ત્યારે 15 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તેમને મસ્તક, આંખ અને મોંના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમના તમામ દાંત હલી જતાં અને તૂટી જતાં ઇમ્પ્લાન્ટ ટ્રીટમેન્ટ કરાવવી પડી હતી, જેમાં કુલ રૂ. 2,42,541નો તબીબી ખર્ચ થયો હતો. ગ્રાહકે તમામ અસલ મેડિકલ બિલ રજૂ કરવા છતાં, વીમા કંપનીએ દર્દીને 20 વર્ષથી ડાયાબિટીસ હોવાનું અને ડેન્ટલ સારવારનું બહાનું કાઢી દાવો અમાન્ય રાખ્યો હતો. અડધી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો વીમા કંપનીના મનસ્વી વલણ સામે વિનીતભાઈએ વીમા લોકપાલમાં રજૂઆત કરી હતી. પરંતુ, વીમા લોકપાલે વીમા કંપનીની દલીલોને સ્વીકારીને ગ્રાહકને અડધીથી પણ ઓછી રકમ એટલે કે માત્ર રૂ. 1,19,000 ચૂકવવાનો એવોર્ડ આપ્યો હતો. વીમા લોકપાલના આ અધકચરા અને ખામીયુક્ત જજમેન્ટથી નારાજ થઈને પોલિસી ધારકે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખનો સંપર્ક કર્યો હતો. 7% વ્યાજ અને માનસિક ત્રાસનું વળતર મંજૂર ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે અમદાવાદ શહેર (એડિશનલ) ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ વીમા લોકપાલના નિર્ણયને ચેલેન્જ કરીને કાનૂની લડત શરૂ કરી હતી. 8 વર્ષ, 8 મહિના અને 19 દિવસ ચાલેલી લાંબી કાનૂની પ્રક્રિયા બાદ ગ્રાહક કમિશને મુકેશ પરીખની લેખિત અને મૌખિક દલીલો સ્વીકારી હતી. કમિશને સ્પષ્ટ કર્યું કે, સારવાર કરનાર ડૉક્ટરની લાયકાત અને હોસ્પિટલની સગવડો મુજબ ડૉક્ટર ફી વસૂલતા હોય છે, જેને અવાસ્તવિક કહી શકાય નહીં. કમિશને વીમા કંપનીને હુકમ કર્યો છે કે ગ્રાહકને તબીબી ખર્ચની પૂરેપૂરી રકમ રૂ. 2,42,541 ફરિયાદ દાખલ કર્યા તારીખથી વાર્ષિક 7 ટકાના વ્યાજ સાથે ચૂકવવી, તેમજ માનસિક ત્રાસ, આઘાત અને કાનૂની ખર્ચની રકમ અલગથી ચૂકવવી. વીમા લોકપાલની સિસ્ટમ સામે સવાલો ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે આ ચુકાદાને આવકારીને જણાવ્યું હતું કે, વીમા લોકપાલની સિસ્ટમમાં રહેલી ક્ષતિઓ સામે જાગૃત ગ્રાહકનો શાનદાર વિજય થયો છે. વીમા લોકપાલ મોટાભાગે ગ્રાહકોના કાયદેસરના દાવાઓ ફગાવી દે છે અથવા અડધી રકમ આપે છે. આ દમદાર ચુકાદાથી સાબિત થયું છે કે ગ્રાહક કમિશન દ્વારા જ ગ્રાહકોને સાચો અને ગુણવત્તાલક્ષી ન્યાય મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ગેરેજમાં ચોરી કરનાર બે આરોપી ઝડપાયા:ભેસાણ પરબ રોડ પર ગેરેજમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેસાણ પોલીસે ભેદ ઉકેલ્યો, 54,600ના મુદ્દામાલ સાથે અટકાયત
    Next Article
    Ground Report | ચિંતા કરાવતું ચોમાસું । પાણી વચ્ચે કેદ જિંદગી । Gujarati News | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment