Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમકુમ મંદિરે 8 જૂનથી અધિકમાસ કથા શરૂ:સાધુ પ્રેમવત્સલદાસજી 'શ્રી હરિચરિત્રામૃત' કથાનું પાન કરાવશે

    1 week ago

    મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે પવિત્ર અધિકમાસ નિમિત્તે "શ્રી હરિચરિત્રામૃત" કથાનું આયોજન કરાયું છે. સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત આ મંદિરમાં કથાનો પ્રારંભ ૮ જૂન, સોમવારથી થશે. મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામી રાત્રે ૮:૩૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી શ્રોતાઓને કથામૃતનું પાન કરાવશે. આ કથા દરમિયાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોનું શ્રવણ કરવા મળશે. ભગવાનના પ્રેરણાદાયી ચરિત્રો અને રસપ્રદ દ્રષ્ટાંતો દ્વારા જીવનને ઉન્નત, સંસ્કારી અને પ્રગતિશીલ બનાવવાની સમજણ આપવામાં આવશે. આ કથામાં ખાસ કરીને આજની યુવા પેઢી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં યુવાનો અનેક મૂંઝવણો અને પ્રશ્નોથી ઘેરાયેલા હોય છે, જેના સમાધાન આ કથાના માધ્યમથી પ્રાપ્ત થશે. આજના સ્પર્ધાત્મક યુગમાં માનસિક શાંતિ કેવી રીતે મેળવવી, ભણતર અને કારકિર્દીમાં આવતા અવરોધો સામે મનોબળ કેવી રીતે મજબૂત રાખવું, વ્યસનો અને સોશિયલ મીડિયાના વળગણથી મુક્ત થઈને સન્માર્ગે કેવી રીતે ચાલવું જેવા પ્રશ્નોના ઉત્તર મળશે. યુવા પેઢી અને વડીલોએ જનરેશન ગેપ કેવી રીતે દૂર કરીને સંપીને રહેવું, આધુનિક યુગમાં ધર્મ અને સંસ્કારનું મહત્વ શું છે, સંસ્કારોને ટકાવી રાખવા સંતો અને મંદિરો શા માટે જરૂરી છે – આવા તમામ પ્રશ્નોના સરળ અને પ્રેરણાદાયી જવાબો વક્તાશ્રી દ્વારા આપવામાં આવશે. આનાથી યુવાનોમાં નવી ઊર્જા અને સકારાત્મક દ્રષ્ટિકોણનો સંચાર થશે. આ કથામૃતનો લાભ દેશ અને વિદેશના ભક્તો પણ લઈ શકે તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમની યુટ્યુબ ચેનલ પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ધોળીધજા ડેમમાં ગંદકી સામે પ્રવિણસિંહ વકીલના પ્રતિકાત્મક ઉપવાસ:નર્મદા કેનાલનો કચરો ડેમ પાસે ઠાલવાતા રોગચાળાનો ભય, ધરણાં શરૂ
    Next Article
    Ahmedabad School Van & Auto Fares to Rise| નવા શૈક્ષણિક સત્ર સાથે વાલીઓ પર તોળાતો ભાવ વધારો | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment