Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોને હવે 8ને બદલે 10 કલાક વીજળી મળશે:પાક બચાવવા ઊર્જા વિભાગના તાકીદના આદેશ, વરસાદ ખેંચાતા રાજ્ય સરકારનો મોટો નિર્ણય

    1 day ago

    ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત નબળી રહેતા અને વરસાદ લાંબા સમય સુધી ખેંચાતા સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કૃષિ પ્રધાન એવા આપણા રાજ્યમાં ખરીફ પાકના વાવેતર બાદ તુરંત જ વરસાદ ગાયબ થઈ જતાં ખેતી માટે સંકટ ઊભું થયું છે. પૂરતા વરસાદના અભાવે જમીનમાં ભેજ સુકાઈ રહ્યો છે અને કુવા તથા બોરના તળ નીચા જવાથી સિંચાઈ માટે પાણીની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતર લાવીને વાવેતર તો કરી દીધું છે, પરંતુ હવે તે પાકને જીવંત રાખવા માટે કૃત્રિમ સિંચાઈ સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી, જેના કારણે ખેડૂતો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા છે. 8 કલાકના સ્થાને 10 કલાક વીજ પુરવઠો આપવા સરકારનો નિર્ણય વરસાદ ન પડવાને કારણે ઊભી થયેલી આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ ખેડૂત સંગઠનો, અગ્રણીઓ અને કૃષિ ક્ષેત્રના આગેવાનો દ્વારા સરકારમાં તથા મુખ્યમંત્રીને તાત્કાલિક ધોરણે રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોની મુખ્ય માગણી એવી હતી કે પાકને બચાવવા માટે હાલમાં આપવામાં આવતી 8 કલાકની વીજળી પૂરતી નથી, તેથી વીજ પુરવઠાનો સમય વધારવામાં આવે. આ રજૂઆતો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને રાજ્ય સરકારે એક બહુ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિ ક્ષેત્રમાં સિંચાઈની વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે હવે કૃષિ ફીડરોમાં 8 કલાકના સ્થાને રોજના 10 કલાક વીજ પુરવઠો આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઊર્જા વિભાગની સક્રિયતા અને અમલીકરણ માટે તાકીદના આદેશો મુખ્યમંત્રી તરફથી મળેલી વિશેષ સૂચનાના અનુસંધાનમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર પરિપત્ર અને માર્ગદર્શિકા તુરંત જ જારી કરી દેવામાં આવી છે. સરકારના આ આદેશના પગલે વીજ કંપનીઓ જેવી કે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL), ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (GETCO) અને સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર (SLDC)ને આ નવી વ્યવસ્થાનો તાત્કાલિક અસરથી અમલ કરવા માટે કડક આદેશો આપી દેવાયા છે. જે વિસ્તારોમાં હાલમાં પાણીની તીવ્ર અછત છે અને કૃષિ વીજળીની માંગ વધુ છે, ત્યાં કોઈપણ પ્રકારના વિલંબ વગર વધારાના 2 કલાક વીજળી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. રોકડિયા પાકોને મોટો ફાયદો અને વીજ ઉપકરણો પર વધતો આધાર રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય આગામી એક માસ એટલે કે એક મહિના સુધી ખાસ વ્યવસ્થાના ભાગરૂપે અમલમાં રહેશે. આ વધારાની વીજળી મળવાને કારણે ડાંગર, શેરડી, કેળા અને પપૈયા જેવા રોકડિયા પાકો, જેને વિપુલ પ્રમાણમાં પાણીની જરૂરિયાત હોય છે, તેને ખૂબ જ મોટો ફાયદો થશે. કુદરતી વરસાદના અભાવે ખેડૂતોનો સંપૂર્ણ આધાર હવે બોરવેલ, સબમર્સિબલ પંપ અને અન્ય વીજચાલિત સાધનો પર વધી ગયો છે. આ સંજોગોમાં નિયમિત અને પૂરતો વીજ પુરવટો મળવાથી રાજ્યમાં કૃષિ પાકના વાવેતર તેમજ તેના ઉછેરને નવું બળ મળશે અને પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી હતી તે દૂર થશે. ખેડૂતોમાં રાહત, ખુશીનો માહોલ અને આગેવાનોનો પ્રતિભાવ સરકારના આ સમયસરના અને સકારાત્મક નિર્ણયથી સમગ્ર રાજ્યના ખેડૂત પરિવારોમાં ભારે રાહત અને ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. જે પાક પાણી વિના સુકાઈ જવાની આરે હતો, તેને હવે નવજીવન મળશે તેવી આશા બંધાઈ છે. સરકારના આ અભિગમથી ગ્રામીણ અર્થતંત્રને મોટું નુકસાન થતું અટકશે. ખેડૂતોએ તેમના હિતમાં લેવાયેલા આ આયોજનબદ્ધ નિર્ણય બદલ સરકારનો આભાર માન્યો છે અને કટોકટીના સમયે વીજળીનો વ્યાપક સમયગાળો વધારવાના આ કદમને ચારેય તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. '10 કલાક વીજળી આપવાની જે વાત સ્વીકારી છે' જયેશ દેલાલ (ખેડૂત આગેવાન)એ જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદ ખેંચાયો છે એને કારણે ખેડૂતો ચિંતાતુર છે. મુખ્ય પાણીનો સ્ત્રોત પાકમાં ખૂબ જ જરૂરી હતો, અને ખેડૂતો અને ખેડૂત આગેવાનો અને ખેડૂત સંગઠનો તરફથી સરકારમાં અને માનનીય મુખ્યમંત્રીને રજૂઆત થઈ હતી કે જે આઠ કલાક વીજળી આપવામાં આવે છે એને વધારીને 10 કલાક કરવી જોઈએ અને એના અનુસંધાનમાં મુખ્યમંત્રી તરફથી સરકારમાં સૂચના થયા પછી ઊર્જા વિભાગે પરિપત્ર કર્યો છે. 10 કલાક વીજળી આપવાની જે વાત સ્વીકારી છે, એને કારણે ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી છે. આ વર્ષે જે રીતે વરસાદ ખેંચાયો છે, પાણીની ખૂબ જ જરૂરિયાત હોય સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તમામ ખેડૂતોને પાણીની જરૂરિયાત છે, અને એમાં વીજળી 10 કલાક આપવાની સરકારે જે સ્વીકારી છે એને કારણે આવનારા દિવસોમાં પોતાનો પાક ખેડૂત બચાવી શકશે, એટલે સરકારશ્રીના આ નિર્ણયને અમે વધાવીએ છીએ."
    Click here to Read More
    Previous Article
    રાજકોટ વિશ્વનું પ્રથમ 15 મિનિટ યોગ સિટી:21 જૂને યોગ દિવસથી 426 યોગ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે: લોકો ઘરની નજીક યોગા કરી ફિટનેસ જાળવી શકશે
    Next Article
    જૂનાગઢ સમસ્યાઓનું ગઢ બન્યુ, ભ્રષ્ટાચારના પડ્યા ગાબડા:નબળા રોડ રસ્તાના કામથી સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ,6 ઇંચના બદલે 2 ઇંચનો રોડ બનતા અને 10 દિવસથી પાણી ન મળતા કમિશનરને આવેદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment