Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં માલિકની મંજૂરી વગર બરોબર કારનો સોદો કરી નાખ્યો:સંખેડામાં રહેતા વેપારીએ ભાડે ફેરવવા આપેલી કાર ઓળખીતાએ 7.50 લાખ રૂપિયામાં વેચી નાખી, 2 સામે પોલીસ ફરિયાદ

    16 hours ago

    છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં રહેતા એક વેપારીએ પોતાની કાર વડોદરાના તરસાલી ખાતે રહેતા તેમના ઓળખીતાને ભાડે ફેરવવા માટે આપી હતી. પરંતુ, ઓળખીતાએ વેપારીની જાણ બહાર કાર બોડેલી ખાતે રહેતા એક શખ્સને બારોબાર વેચ રૂપિયા 7.50 લાખમાં વેચી નાખી હતી. જેથી વેપારીએ કાર મંજૂરી વગર વેચી નાખનાર તેમજ ખરીદનાર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. છોટાઉદેપુરના સંખેડામાં જુમ્મા મસ્જિદ પાછળ રહેતા વસીમખાન સબ્બીરખાન પઠાણ (ઉ.વ.37) પોતાના પરિવાર સાથે રહે છે અને સંખેડા ચોકડી ખાતે ફૂટની લારી ચલાવી જીવન ગુજરાન કરે છે. તેમણે નવેમ્બર-2024માં પોતાના ઘર તથા ભાડે ચલાવવા માટે બેંક ઓફ બરોડાની લોન લઈને 13.10 લાખ રૂપિયામાં મારૂતી સુઝુકી કંપનીની એર્ટિગા કાર ખરીદી હતી. જેનો માસિક હપ્તો 18,300 રૂપિયા હતો. પરંતુ કારને પૂરતું ભાડું ન મળતાં હપ્તા ભરવામાં મુશ્કેલી ઊભી થતા તેમણે મે-2025માં પોતાના ઓળખીતા રશુલશા નાઝરશા દિવાન (રહે. નવીનગરી, તરસાલી, વડોદરા)ને કાર ભાડે આપેલ હતી. બંને વચ્ચે દર મહિને 31 હજાર રૂપિયા ભાડું નક્કી થયું હતું. શરૂઆતના બે મહિના સુધી ભાડું મળ્યું, પરંતુ ત્યારબાદ ચુકવણી બંધ થઈ ગઈ હતી. અવારનવાર ઉઘરાણી છતાં પૈસા ન મળતાં વસીમખાને કાર પરત માંગતા રેશુલશા દિવાને જણાવ્યું હતું કે, તેણે કાર બોડેલી ખાતે રહેતા હિમાંશુ ઉર્ફે સન્ની અગ્રવાલ, અગ્રવાલ કાર એસેસરીઝ (અલીપુરા ચાર રસ્તા, બોડેલી)ને અંદાજે રૂ. 7.50 લાખમાં વેચી નાંખી છે. જેથી સમગ્ર મામલે વસીમખાન પઠાણે રશુલશા નાઝરશા દિવાન અને હિમાશુ ઉર્ફે સન્ની અગ્રવાલ સામે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    હિમંતાએ કહ્યું- મમતાએ મત માટે જમીન બાંગ્લાદેશીઓને વેચી:બંગાળના CMએ કહ્યું- ભાજપનું પતન ગઈકાલથી શરૂ થયા; રાહુલ ગાંધીની તમિલનાડુમાં 3 રેલી
    Next Article
    ખડગેના વિરોધમાં બેનર લાગતા આચારસંહિતા ભંગની ફરિયાદ:ધારાસભ્ય યોગેશ પટેલના નામ સાથે લાગેલા બેનર મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment