Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ૐગુરુનો દિવ્ય મંત્ર થેરાપી દરબાર:750થી વધુ લોકોએ મેળવી આધ્યાત્મિક શાંતિ, હવે રાજ્યભરમાં યોજાશે નિઃશુલ્ક કાર્યક્રમો

    14 hours ago

    રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં તાજેતરમાં આધ્યાત્મિકતા અને શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ ૐઋષિ સ્વામીજી "ૐગુરુ" દ્વારા આયોજિત ‘મંત્ર થેરાપી દરબાર’માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પોરબંદરના પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુકના હસ્તે કરવામાં આવ્યું હતું. 750થી વધુ ભાવિકોએ અનુભવી દિવ્ય ઉર્જા આ વિશેષ દરબારમાં 750થી વધુ લોકોએ ભાગ લઈ પવિત્ર મંત્રોના જાપ અને મંત્ર સાધનાની શક્તિનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. સમગ્ર ઓડિટોરિયમ ભક્તિ અને શાંતિના માહોલથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહીને ૐગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ૐગુરુએ આ પ્રસંગે મંત્ર શક્તિપાત, સર્વ દુઃખભંજન, દસમહાવિદ્યા ચાલીસા અને ઓમકાર ચાલીસા જેવી પોતાની સ્વરચિત આધ્યાત્મિક ગાથાઓ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જીવનની સમસ્યાઓનું આધ્યાત્મિક નિરાકરણ આજના આધુનિક યુગમાં મનુષ્ય ભૌતિક સુખો પાછળ દોડી રહ્યો છે, પરંતુ આંતરિક શાંતિથી વંચિત છે. આ બાબતે ૐગુરુએ જણાવ્યું હતું કે, મંત્ર થેરાપી દ્વારા દિવ્ય શક્તિ સાથે જોડાઈને માનસિક અને આંતરિક શાંતિ મેળવી શકાય છે. તેમણે શ્રદ્ધાળુઓને આર્થિક, શારીરિક, માનસિક અને સામાજિક સમસ્યાઓના નિવારણ માટે 7 પ્રકારની દિવ્ય વસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. નિઃશુલ્ક સમાજ કલ્યાણનો સંકલ્પ ૐગુરુએ દેશ અને દુનિયામાં નિઃશુલ્ક મંત્ર થેરાપી દરબારો યોજવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિ સુધી સાચું આધ્યાત્મિક માર્ગદર્શન પહોંચાડવાનો અને સમાજનું કલ્યાણ કરવાનો છે. નોંધનીય છે કે, ગંભીર શારીરિક પડકારો હોવા છતાં તેઓ લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેઓ અમદાવાદ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના સ્થાપક પણ છે. આગામી કાર્યક્રમોની રૂપરેખા રાજકોટની સફળતા બાદ હવે આ દિવ્ય યાત્રા આગળ વધશે. આગામી મંત્ર થેરાપી દરબાર 12 એપ્રિલે ભરૂચમાં યોજાશે. ત્યાર બાદ આણંદ, બિલીમોરા, નવસારી, સુરત અને ગોંડલ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં પણ ભવ્ય દરબારોનું આયોજન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મિત્રએ મિત્ર પર નજીવી બાબતે છરીથી હુમલો કર્યો:બીજા સાથે ઝઘડો કરવાની ના પાડતા ઉશ્કેરાઈને પીઠમાં છરી ઝીંકી, પોપટનગરના શખ્સ સામે ગુનો
    Next Article
    LuLu Group Chairman Briefs PM Modi On Uninterrupted Food Supplies To Gulf Region

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment