Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં પહેલીવાર ફાયર વિભાગના અધિકારી-જવાનોનું સન્માન:પોતાના જીવના જોખમે લોકોના જીવ બચાવનાર 75 ફાયર હીરોને દિવ્યભાસ્કર દ્વારા એવોર્ડ એનાયત

    7 hours ago

    સુરત જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં મુકાયું છે — પછી તે ભીષણ આગની ઘટના હોય કે ખાડી પૂરનું રૌદ્ર સ્વરૂપ, સુરત ફાયર વિભાગના બહાદુર જવાનો અને અધિકારીઓ હંમેશાં ઢાલ બનીને લોકોના જીવ બચાવવા સૌથી પહેલાં પહોંચી જાય છે. પોતાના જીવના જોખમે બીજાની જિંદગી રોશન કરનારા આવા રિયલ હીરોઝની સરાહના કરવા માટે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા એક અનોખી અને ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં પહેલીવાર ફાયર વિભાગના અધિકારીઓ અને જવાનોનું વિશેષ સન્માન કરીને 75 'ફાયર હીરોઝ'ને ગૌરવપૂર્વક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તણખા વચ્ચેથી જિંદગી ખેંચી લાવનારા હીરોઝનું સન્માન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બનેલી આગની વિકરાળ હોનારતો દરમિયાન ધુમાડા અને અગનજ્વાળાઓની પરવા કર્યા વગર ફાયર બ્રિગેડના જવાનોએ દિલધડક કામગીરી કરી હતી. મકાનો, દુકાનો કે કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફસાયેલા માસૂમ બાળકોથી લઈને અસહાય વૃદ્ધો સુધીના અનેક લોકો માટે આ જવાનો સાક્ષાત દેવદૂત સાબિત થયા હતા. પોતાની જાન દાવ પર લગાવીને અનેક પરિવારના ચિરાગ ઓલવાતા બચાવનાર આ જવાનો અને અધિકારીઓની બહાદુરીને દિવ્ય ભાસ્કર દ્વારા એવોર્ડ આપી બિરદાવવામાં આવી હતી. પૂરના ઝંઝાવાતમાં હજારો લોકો માટે બન્યા તારણહાર માત્ર આગ જ નહીં, પણ સુરતમાં પડેલા ભારે વરસાદ અને ખાડી પૂરમાં જ્યારે આખા ને આખા વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા, ત્યારે પણ ફાયર વિભાગની ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી. ગળાડૂબ પાણીમાં હોડીઓ અને દોરડાંના સહારાથી પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા હજારો નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ પૂર રેસ્ક્યુ કામગીરીમાં રાત-દિવસ જોયા વગર ખડેપગે રહેનારા ફાયરના જાંબાઝ જવાનોને પણ આ મંચ પરથી વિશેષ એવોર્ડ આપીને આદર અંજલિ આપવામાં આવી હતી. સુરત પાલિકા કમિશનર અને મેયર સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત આ ગરિમાપૂર્ણ એવોર્ડ સમારોહમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન, સુરત શહેરના મેયર માયાબેન માવાણી સહિત શહેરના અન્ય રાજકીય અને સામાજિક સત્તાધીશો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે 75 જેટલા ફાયર જવાનો અને અધિકારીઓને ટ્રોફી તથા પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ તબક્કે અધિકારીઓએ ફાયર વિભાગની તત્પરતા અને ત્યાગની ભાવનાને બિરદાવી હતી. દિવ્ય ભાસ્કરની પહેલને શહરીજનો અને તંત્રે બિરદાવી આપત્તિના સમયે રક્ષક બનતા ફાયર વિભાગના જવાનોની કામગીરી ઘણીવાર પડદા પાછળ રહી જતી હોય છે. તેવામાં જવાનોનું મનોબળ વધારવા અને તેમની અવિરત સેવાઓની કદર કરવા બદલ દિવ્ય ભાસ્કરની આ અનોખી પહેલને સુરતના તંત્ર, સમાજના શ્રેષ્ઠીઓ અને શહરીજનોએ મુક્ત કંઠે વખાણી હતી. કાર્યક્રમમાં હાજર સૌ કોઈએ એકસુરે સ્વીકાર્યું હતું કે, આવા સન્માનથી ફરજ પરના જવાનોનો ઉત્સાહ બેવડાય છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના એજન્ટ દ્વારા ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી.:​ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે વિઝા અપાવવાના બહાને અમદાવાદના એજન્ટે રૂ. 75 લાખની છેતરપિંડી આચરી, બી-ડિવિઝનમાં નોંધાઈ ફરિયાદ.
    Next Article
    આવતીકાલે મહેસાણા જિલ્લાની તમામ સ્કૂલમાં રજા જાહેર:ભારે વરસાદની આગાહીને લઈને શિક્ષણાધિકારીએ પરિપત્ર જાહેર કરીને શાળાઓને આદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment