Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    73 પ્લોટ પડાવી ચેક રિટર્ન કરાવ્યા:ડિંડોલીના ખેડૂત સાથે કરોડોની છેતરપિંડી કરનાર હિતેશ હનુમાન અને રાકેશ પરમાર સામે ફરિયાદ

    1 day ago

    સુરતના ડિંડોલી ટાંકી ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા 33 વર્ષીય મૃણાલ મનીષભાઈ નાયક સાથે જમીન દલાલોએ કરોડો રૂપિયાની ઠગાઈ આચરી છે. 'આરજા-મારજા' (મિલકતના સાટા)માં અન્ય સ્થળે સારી પ્રોપર્ટી અપાવવાના બહાને ઠગબાજ દલાલોએ પૂર્વઆયોજિત કાવતરું રચી મૃણાલભાઈ અને તેમના પરિવાર પાસેથી વ્યારાના વિપુલ પાર્કના 5, કટાસવાણના 56 અને કાનપુરાના 12 મળી કુલ 73 પ્લોટો પોતાના તથા અન્યના નામે કરાવી લઈ બારોબાર પચાવી પાડ્યા હોવાનો સનસનીખેજ ગુનો ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. દમણમાં ફ્લેટની લાલચ આપી માતાની બોગસ પાવર ઓફ એટર્ની બનાવી ડિસેમ્બર 2019 થી મે 2026 દરમિયાન સિટીલાઈટ ખાતે રહેતા જમીન દલાલ હિતેશ ઉર્ફે હનુમાન સરદારજી પુરોહિત અને ગોપીપુરાના રાકેશ રસિકભાઈ પરમારે ખેડૂતનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ ખેડૂતના પ્લોટોના બદલામાં મલેકપોર, ખેરગામ, ટંકોલીમાં જમીન તથા દમણમાં ફ્લેટ આપવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ કટાસવાણના 56 પ્લોટ રાકેશ પરમારે પોતાના નામે કરાવ્યા હતા, જ્યારે ખેડૂતના માતા નયનાબેનની બનાવટી પાવર ઓફ એટર્ની બનાવી કાનપુરાના 12 પ્લોટ અન્ય વ્યક્તિઓના નામે કરાવી પચાવી પાડ્યા હતા. 30 દિવસમાં મિલકત આપવાનો કરાર કર્યો, બાંહેધરીના ચેકો પણ બાઉન્સ થયા આ સમગ્ર મામલે વિવાદ થતાં તા. 10 માર્ચ 2022ના રોજ આરોપીઓએ મૃણાલભાઈ સાથે સમાધાન-સમજૂતી કરાર કર્યો હતો. જેમાં તમામ હકીકતો સ્વીકારી 30 દિવસની અંદર નક્કી થયેલી મિલકતોના વેચાણ દસ્તાવેજ કરી આપવાની બાંહેધરી આપી હતી. સાથે જ સિક્યોરિટી પેટે ચેકો પણ આપ્યા હતા. જોકે મુદત વીતી ગયા છતાં આરોપીઓએ કોઈ મિલકત ન આપી અને તેમણે આપેલા તમામ ચેકો પણ બેંકમાંથી રિટર્ન (બાઉન્સ) થયા હતા. સંપર્ક તોડી ફરાર થયેલા દલાલો સામે ગુનો દાખલ ચેક રિટર્ન થયા બાદ બંને દલાલોએ સંપર્ક તોડી નાખતાં છેતરાયેલા ખેડૂતે આખરે ખટોદરા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી હિતેશ ઉર્ફે હનુમાન પુરોહિત રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ નવસારી જિલ્લાના મરોલી પોલીસ સ્ટેશનમાં પણ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Ladakh Gives Sportspersons 4 Per Cent Quota In Government Jobs. Who Qualifies
    Next Article
    લઠ્ઠાકાંડમાં ભાવનગરના મુખ્ય બુટલેગર ગૌતમ સહિત 21 સામે FIR:નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 7ના મોત-2 ગંભીર, સ્થાનિક પોલીસે ગૃહવિભાગને અંધારામાં રાખતા SMC દોડી, 4 પોલીસકર્મી સસ્પેન્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment