Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના 72 વર્ષીય ગૌભક્તનો અનોખો સંકલ્પ:જ્યાં સુધી ગાય 'રાષ્ટ્રમાતા' જાહેર નહીં થાય અને ગૌ-હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ ત્યાં સુધી શર્ટ કે કુર્તાનો ત્યાગ

    7 hours ago

    સેવા અને સમર્પણની નગરી સુરતમાં ફરી એકવાર ગૌભક્તિનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. મધર ડેના પવિત્ર અવસરે, ગૌમાતાને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો અપાવવા માટે એક 72 વર્ષીય વૃદ્ધ કાપડ વેપારીએ આજીવન કપડાં ત્યાગવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. તેમણે જાહેરાત કરી છે કે જ્યાં સુધી ગૌ-હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં લાગે, ત્યાં સુધી તેઓ શરીરના ઉપરના ભાગે શર્ટ કે કુર્તો ધારણ કરશે નહીં. ગૌ સન્માન આહ્વાન અભિયાનમાં નિર્ણય લીધો સુરતમાં તાજેતરમાં 'ગૌ સન્માન આહ્વાન અભિયાન' હેઠળ ગૌપ્રેમીઓની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સેંકડો ગૌભક્તોની હાજરીમાં મૂળ રાજસ્થાનના સીકરના વતની અને છેલ્લા 50 વર્ષથી સુરતને પોતાની કર્મભૂમિ બનાવનાર 72 વર્ષીય રામરતન બોહરાએ પોતાના સંકલ્પની જાહેરાત કરી હતી. તેમના આ નિર્ણયને ઉપસ્થિત તમામ લોકોએ વધાવી લીધો હતો. 'ગૌમાતાની તકલીફ સામે મારો ત્યાગ નાનો છે' પોતાના સંકલ્પ વિશે વાત કરતા રામરતન બોહરાએ જણાવ્યું હતું કે, હું 72 વર્ષનો છું અને આ ઉંમરે કદાચ બહુ દોડધામ ન કરી શકું, પણ ગાયોની સ્થિતિ જોઈને મને વિચાર આવ્યો કે મારે મારા સ્તરે કંઈક યોગદાન આપવું જોઈએ. ગૌમાતા અત્યારે જે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, તેની સામે શર્ટ ન પહેરવાની મારી મુશ્કેલી તો કંઈ જ નથી. મને આશા છે કે સરકાર મારા આ નાના ત્યાગની નોંધ લેશે અને ગાયોને વસ્ત્ર વિના નહીં રાખે. બે મુખ્ય માંગણીઓ સાથે અડગ નિર્ધાર કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા છતાં, વસ્ત્રોનો ત્યાગ કરનાર બોહરાએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો આ સંકલ્પ બે મુખ્ય શરતો પર આધારિત છે એક તો ગૌમાતાને અધિકૃત રીતે 'રાષ્ટ્રમાતા' જાહેર કરવામાં આવે. અને બીજો દેશભરમાં ગૌ-હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવે. પરિવાર અને સમાજનો સહકાર આટલી મોટી ઉંમરે અને બદલાતી ઋતુઓ વચ્ચે શર્ટ વગર રહેવું મુશ્કેલ છે, તેમ છતાં રામરતનભાઈના ચહેરા પર એક અલગ જ સંતોષ જોવા મળ્યો હતો. તેમણે ઉમેર્યું કે, ગૌમાતાના સન્માન માટે આ ત્યાગ કરીને તેમને પરમ આનંદની અનુભૂતિ થઈ રહી છે. સુરતના ગૌપ્રેમીઓ આ વૃદ્ધ વેપારીના જુસ્સાને સલામ કરી રહ્યા છે અને આ અભિયાનને વેગ આપવા કટિબદ્ધ થયા છે. રેલીમાં સંત શક્તિ અને બુલડોજરના સમન્વય થોડા દિવસો પહેલા ગૌ સન્માન આહ્વાન અભિયાન હેઠળ પોતાના લોહીથી લખેલું આવેદનપત્ર પીએમ મોદી અને કલેક્ટરને સોપ્યું હતું. આ સાથે જ મોટી સંખ્યામાં ગૌભક્તો એકત્ર થયા હતા અને કલેક્ટર સુધીની રેલી પણ યોજી હતી. જેમાં સંતશક્તિ, બળદગાડા અને બુલડોજર સાથે રેલી યોજાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    લખનઉએ પહેલી વિકેટ ગુમાવી, માર્શ આઉટ:ચેન્નઈના કંબોજે તોડી સેટ પાર્ટનરશીપ; ઇંગ્લિસની 17 બોલમાં તોફાની ફિફ્ટી
    Next Article
    મંજુસર પોલીસની મોટી કાર્યવાહી:પોલીસે 13.15 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 10 આરોપીઓની ધરપકડ, કુલ 78 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment