Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાચા‎ કામના કેદીનું મોત થયું:થાન હત્યા કેસના 72 વર્ષીય આરોપીનું મોત‎

    11 hours ago

    સુરેન્દ્રનગરની જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા 72 વર્ષના ખાખરાળી ગામના વ્યકિતનું મોત થયુ હતુ.તેમને હ્દયની બીમારી હતી.તેમ છતાં મોતનું સાચુ કરણ જાણવા મૃતદેહને રાજકોટ લઇ જવામાં આવ્યો છે.તેમ જાણવા મળે છે. આજથી પાચ વર્ષ પહેલા થાનના ખાખરાડી વિડમાં પશુ ચરાવવા બાબતે બે રબારી પરિવાર વચ્ચે બોલાચાલી થઇ હતી.જેમાં એક વ્યકિતની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાના ગુનામાં આરોપી તરીકે ખાખરાળીના ખીમાભાઇ રબારી તથા તેમના બે દિકરા,બે ભત્રીજા સહિત સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આથી પોલીસે તેમની અટક કરીને કાચાકામના કેદી તરીકે સુરેન્દ્રનગરની જેલમાં રાખવામાં આવ્યા હતા.તેમની સાથે તેમના બે દિકરાઓ અને ભત્રીજા પણ જેલમાં હતા. જેમાં નાના દિકરો હાલ પેરોલ ઉપર હતો.72 વર્ષના ખીમાભાઇને બે વર્ષ પહેલા એટેક આવી ગયો હતો.અને તેમની સારવાર પણ ચાલતી હતી. ત્યારે ગુરૂવારને રાત્રે જેલમાં ખીમાભાઇની અચાનક તબીયત લથડી હતી અને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતા તેમને સારવાર માટે ગાંધી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જયા તેમનું મોત થયુ હતુ. આ બનાવમાં મોતનું સાચુ કરણ જાણવા માટે મૃતદેહને રાજકોટ પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો.આ બનાવથી મૃતકના પરિવારજનોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. જેલમાં 125ની ક્ષમતા સામે 288 કેદી સુરેન્દ્રનગરની જેલમાં કુલ 125 કેદીને રાખવા માટેની ક્ષમતા ધરાવતા રૂમો છે.પરંતુ તેની સામે હાલ જેલમાં 288 કેદીને રાખવામાં આવ્યા છે.એક તરફ વર્તમાન સમયે પડતી કાળઝાળ ગરમી અને બીજી બાજુ 163 એટલે કે ડબલ કરતા વધુ વધુ કેદી રાખવામાં આવ્યા છે ત્યારે ગરમીમાં કેદીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. રાત્રે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી: ધર્મેન્દ્રસિંહ પરમાર જેલર ખીમાભાઇ રબારી છેલ્લા 5 વર્ષથી કાચાકામના કેદી તરીકે આપણી જેલમાં હતા.તેમની તબીયત ખરાબ હોવાને કારણે તેમને ખુલ્લી જગ્યામાં રાખવાની પણ વ્યવસ્થા કરી હતી.ગુરૂવારની રાત્રે તેમણે છાતીમાં દુ:ખાવાનું કહયુ હતુ.આથી તેમને બામ લગાવીને સારવાર આપી હોસ્પિટલ લઇ ગયા હતા.જયા તેમને એટેક આવી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    ગોકુલનગરમાં ગટરના પાણીની રેલમછેલ:સુરેન્દ્રનગરના 1000થી વધુ નાગરિકો નર્કાગાર જેવી હાલતમાં જીવવા મજબૂર
    Next Article
    ભાસ્કર બ્રેકિંગ:સુરેન્દ્રનગરમાં 36 વર્ષે નવી 17 ટીપી અમલમાં આવશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment