Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યની 71 નગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક:પાટણ-સિદ્ધપુરમાં પ્રાંત અધિકારીઓ સંભાળશે કાર્યભાર, મુદત પૂર્ણ થતા નિર્ણય

    1 day ago

    ગુજરાત સરકારે રાજ્યની 71 નગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક કરવાનો આદેશ કર્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જારી કરાયેલા આ આદેશમાં પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. આ બંને નગરપાલિકાઓમાં જે-તે વિસ્તારના પ્રાંત અધિકારીઓને વહીવટદાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 71 નગરપાલિકાઓની પાંચ વર્ષની મુદત પૂર્ણ ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963ની કલમ-8 હેઠળ નગરપાલિકાઓની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. આગામી સામાન્ય ચૂંટણીઓ બાદ નવી કારોબારી સમિતિની રચના ન થાય ત્યાં સુધી વહીવટી કામગીરી સુચારુ રાખવા માટે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓ મુજબ, નગરપાલિકાની પ્રથમ બેઠકથી પાંચ વર્ષની મુદત નિર્ધારિત હોય છે. રાજ્યની 71 નગરપાલિકાઓની મુદત માર્ચ 2026માં પૂર્ણ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન નગરપાલિકાના રોજિંદા કાર્યો અને આવશ્યક સેવાઓ પ્રભાવિત ન થાય તે સુનિશ્ચિત કરવાના હેતુથી વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. પાટણ, સિદ્ધપુર નગરપાલિકામાં પ્રાંત અધિકારી વહીવટદાર પાટણ અને સિદ્ધપુર નગરપાલિકામાં નિમાયેલા પ્રાંત અધિકારીઓ, વહીવટદાર તરીકે, ચૂંટાયેલી પાંખ દ્વારા અગાઉ મંજૂર કરાયેલા વિકાસલક્ષી કામોના વર્ક ઓર્ડર આપી શકશે. આ ઉપરાંત, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ, અગ્નિશમન અને સફાઈના સાધનો કે વાહનોના સમારકામ માટે નિયમાનુસાર ખર્ચ કરવાની મંજૂરી પણ તેમને આપવામાં આવી છે. વહીવટદારો કોઈપણ નીતિ વિષયક નિર્ણયો લઈ શકશે નહીં સરકારના આદેશ અનુસાર, વહીવટદારો તેમના કાર્યકાળ દરમિયાન કોઈપણ નીતિ વિષયક નિર્ણયો લઈ શકશે નહીં. તેમની મુખ્ય જવાબદારી અગાઉની કારોબારી સમિતિ દ્વારા પસંદ કરાયેલા કામો અને નગરપાલિકાની અનિવાર્ય સેવાઓ જાળવી રાખવાની રહેશે. આ નિમણૂક આગામી ચૂંટણીઓ બાદ નવી બોડી અસ્તિત્વમાં આવે ત્યાં સુધી અમલમાં રહેશે. રાજ્યપાલના હુકમથી પ્રસિદ્ધ કરાયેલા આ આદેશ સાથે જ પાટણ અને સિદ્ધપુર સહિતની નગરપાલિકાઓના વહીવટી તંત્રમાં ફેરફાર લાગુ કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરખેડા પાસે ST બસ-ટ્રેલર વચ્ચે અકસ્માત:પાઇપ ભરેલા ટ્રેલર સાથે ST બસ અથડાઈ, કોઈ જાનહાનિ નહીં
    Next Article
    When Trisha Krishnan Revealed Why She Broke Off Her Engagement With Varun Manian In 2015

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment