Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાથમાં આવેલો કોળિયો છીનવાયો, માવઠાએ ખેડૂતોની કમર તોડી:કમોસમી વરસાદથી લાખોનું અનાજ પાણીમાં, કેરીનો 70% પાક ખરી ગયો, ખેડૂતોએ ભાસ્કરને આપવીતી જણાવી

    6 days ago

    છેલ્લા ચાર મહિનામાં કમોસમી વરસાદના બીજા ફટકાએ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવી લીધો છે. વર્ષ 2025ના ઓક્ટોમ્બર-નવેમ્બર મહિનામાં પહેલા માવઠામાં ખેડૂતોને કરોડોનું નુકસાન પહોંચ્યું હતું. જ્યારે હવે ગઇકાલ વહેલી સવારે અને મોડી રાત્રે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડતાં ખેડૂતોના ખેતરોમાં ઉભો પાક નાશ પામ્યો છે. જેને લઇને ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોને રાતાપાણીએ રોવડાવ્યા માવઠાનો પ્રારંભ ગઇકાલે વહેલી પરોઢથી ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી થયો છે, જે બાદ સાંજ અને રાત્રે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડતાં ખાસ કરીને ઉનાળુ બાજરી, જીરુ, કપાસ, વરિયાળી, ઘઉં, એરંડા, ઈસબગુલ જેવા ઊભા પાક સાથે ઉનાળાના પ્રારંભે કેરીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં પહેલો માલ પણ પલળીને નાશ પામ્યો છે. જેને લઇને ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. ખેતરમાં ઉભા પાકની સાથે પાથરા પણ પલળી ગયા દિવ્ય ભાસ્કર આગળ ભારે હૈયે ખેડૂતોએ પોતાની વ્યથા ઠાવલતા જણાવ્યું કે, ઘણા ખેડૂતોને અમુક પાક ઉભો છે, અમુક ખેડૂતોએ ઘઉ, જીરૂ જેવા પાકને વાઢીને મુક્યો છે. એવામાં કરા અને ભારે પવન સાથે વરસાદ પડતા અમારે ખેતરમાં ઉભેલો પાક અને પાથરાનો તો નાશ પામ્યો જ છે, પણ કેટલાક ખેડૂતોએ રાયડુ, એરંડા જેવા પાકને માર્કેટયાર્ડમાં મુક્યો એ પણ પલળી ગયો છે. હવે એના પણ કંઇ ભાવ નહીં આવે. બ્લોગમાં વાંચો, ખેડૂતોને થયેલું નુકસાન અને જગતના તાતની વ્યથા…
    Click here to Read More
    Previous Article
    મનીષ મલ્હોત્રાના માતાનું અવસાન:કરણ જોહર, ઐશ્વર્યા-અભિષેક, સિદ્ધાર્થ-કિયારા સહિતાના સેલેબ્સ ડિઝાઈનરના ઘરે પહોંચ્યાં; આજે અંતિમ સંસ્કાર કરાશે
    Next Article
    ગાંધીનગરમાં પાલતુ શ્વાનના રજિસ્ટ્રેશનની મુદત લંબાવાઈ:15 એપ્રિલ સુધી નોંધણી કરી શકાશે, અત્યાર સુધીમાં 527 ડોગની નોંધણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment