Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર કોંગ્રેસમાં ભડકો:નવા શહેર પ્રમુખની નિમણૂક મુદ્દે આંતરિક વિખવાદ, 70 જેટલા કાર્યકરોની રાજીનામાની ચીમકી

    12 hours ago

    બનાસકાંઠાના પાલનપુરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસમાં જૂથબંધી અને આંતરિક વિરોધ સપાટી પર આવ્યો છે. શહેર કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે કૌશલ પટેલની નિમણૂક થતાની સાથે જ પૂર્વ પ્રમુખો અને સિનિયર આગેવાનોએ મોરચો માંડ્યો છે. વિરોધ કરી રહેલા કાર્યકરોએ સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા પ્રમુખ પર ગંભીર આક્ષેપો કર્યા છે. 'પેરાશૂટ ઉમેદવાર'નો આક્ષેપ અને રાજીનામાની ચીમકી શહેર કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને મંત્રી સહિતના આશરે 70 જેટલા સભ્યોએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે લેખિતમાં સહીઓ કરીને વિરોધ નોંધાવ્યો હતો. આગેવાનોનો આક્ષેપ છે કે કૌશલ પટેલ પાર્ટીના સભ્ય પણ નથી, તેમ છતાં તેમને 'પેરાશૂટ' દ્વારા સીધા પ્રમુખ પદે બેસાડી દેવામાં આવ્યા છે. જો આ નિમણૂક રદ કરવામાં નહીં આવે તો તમામ કાર્યકરો સામૂહિક રાજીનામા આપશે અને કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. સિનિયર નેતાઓની નારાજગી પૂર્વ શહેર પ્રમુખ સુરેશ પટેલે જણાવ્યું હતું કે, "રાહુલ ગાંધીના સંગઠન અભિયાન હેઠળ પ્રદેશમાંથી ઓબ્ઝર્વર આવ્યા હતા અને તમામ કાર્યકરોની સેન્સ લઈને પેનલ બનાવવામાં આવી હતી. આઠ મહિના સુધી નિમણૂક અટકાવી રાખવામાં આવી અને અંતે કોઈ અનુભવ વગરના વ્યક્તિને પ્રમુખ બનાવી દેવાયા. આ સંગઠનમાં ગરબડ હોવાનો પુરાવો છે." જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ચૌહાણે પણ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, "મેં 40 વર્ષ પાર્ટીને આપ્યા છે, પણ આજે પાયાના કાર્યકરોને અડધૂત કરવામાં આવે છે. જે વ્યક્તિને અમે ક્યારેય ઓફિસમાં જોયા નથી, તેમને સાંસદ અને જિલ્લા પ્રમુખની મનમાનીને કારણે ઠોકી બેસાડવામાં આવ્યા છે." વિવાદ પર નવનિયુક્ત પ્રમુખ કૌશલ પટેલનો ખુલાસો બીજી તરફ, નવનિયુક્ત શહેર પ્રમુખ કૌશલ પટેલે આ વિવાદને આંતરિક લોકશાહીનો ભાગ ગણાવ્યો છે. તેમણે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે કોંગ્રેસ એક મોટો પરિવાર છે અને જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમની કદાચ કોઈ વ્યક્તિગત અપેક્ષાઓ હશે જે પૂરી થઈ નથી. 'પેરાશૂટ' શબ્દ અંગે તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે, "હું ફોટા પડાવવાવાળો નેતા નથી, એટલે કદાચ લોકોએ મને જોયો નહીં હોય. મેં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં પાયાના કાર્યકર તરીકે કામ કર્યું છે.મારો ટાર્ગેટ ભાજપના શાસન અને ભ્રષ્ટાચાર સામે લડવાનો છે. હું તમામ નારાજ કાર્યકરોને સાથે રાખીને ચાલવા માંગું છું અને ટૂંક સમયમાં સંકલન સાધીને પાર્ટીને વધુ મજબૂત બનાવીશું." પાલનપુર કોંગ્રેસ બે ફાટામાં વહેંચાઈ હાલમાં પાલનપુર કોંગ્રેસ બે ફાટામાં વહેંચાયેલી જોવા મળી રહી છે. એક તરફ સંગઠન શિસ્તની વાતો કરી રહ્યું છે, તો બીજી તરફ પાયાના કાર્યકરો પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ નેતૃત્વ આ આંતરિક વિખવાદને ડામવામાં સફળ થાય છે કે પછી ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ગાબડું પડે છે.
    Click here to Read More
    Previous Article
    વોટર સ્પ્રિંકલર, આઈસ કેન્ડી અને ORS યુક્ત પાણીની વિશેષ વ્યવસ્થા:સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઉનાળાની આકરી ગરમીથી વન્યજીવોને રાહત મળશે
    Next Article
    પ્રેમલગ્નના બે વર્ષમાં જ પતિએ પત્નીની હત્યા કરી:માનેલા ભાઈ સાથે પત્ની વાત કરતી હોવાનું પતિને પસંદ નહોતું, સુરતમાં જાહેર રસ્તા પર જ ખૂની ખેલ ખેલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment