Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં વધુ એક ડિમોલિશનની તૈયારી:હિંગળાજનગરના 70 ઝુપડાં હટાવી કરોડોની જમીન ખુલ્લી કરાશે; ચોમાસા સમયે નોટિસ મળતા સ્થાનિકોમાં રોષ

    1 week ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક ડિમોલિશનની તૈયારી શરૂ કરવામાં આવી છે. વેસ્ટ ઝોનનાં અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નજીક નવર્મિત ટ્વીન્સ ટાવર પાસેનાં હિંગળાજનગરમાં લાંબા સમયથી ખડકાયેલા 70 જેટલાં ઝુપડા ખાલી કરવા મહાપાલિકાએ નોટિસ આપી છે. તેમજ વિજીલન્સ વિભાગને સાથે રાખીને આ પ્લોટનું ડિમાર્કેશન પણ કરવામાં આવ્યું છે. જોકે અહીં રહેતા લોકો 50 વર્ષ કરતા વધુ સમયથી વસવાટ કરતા હોવાથી તેમને 15 દિવસમાં ખાલી કરવાની નોટિસ અપાતા ભારે રોષ જોવા મળ્યો છે. ચોમાસા બાદ આ કાર્યવાહી કરાય અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે. કાનૂની વિવાદમાં મનપાની જીત થતાં બુલડોઝર ફેરવવાનો માર્ગ મોકળો થયો પ્રાપ્ત વિગતો અનુસાર, અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નજીક આવેલો આ પ્લોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા હસ્તકનો છે. આ ટીપી પ્લોટમાં દાયકાઓ જૂની ઝૂંપડપટ્ટી આવેલી છે, જેને ખાલી કરાવવા મનપાએ અગાઉ પણ વહીવટી પ્રક્રિયા હાથ ધરી હતી, પરંતુ મામલો અદાલતમાં જતાં કામગીરી અટકી પડી હતી. તાજેતરમાં જ આ કાનૂની વિવાદનો ચુકાદો મહાનગરપાલિકાની તરફેણમાં આવતાં હવે તંત્ર માટે દબાણો દૂર કરવાનો માર્ગ મોકળો બન્યો છે. આ જમીન પર પીપીપી ધોરણે આવાસ યોજના આકાર લેનાર છે, જેમાં મનપા દ્વારા 20 ટકા જગ્યા ફાળવવામાં આવશે. વેસ્ટ ઝોનના એટીપી ભાર્ગવ બારેવાડિયા દ્વારા સ્થાનિકોને કલમ 260-2 હેઠળ સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા 15 દિવસની આખરી ચેતવણી આપવામાં આવી છે. અહીં મારી 3 પેઢીઓ રહી ચૂકી છેઃ ઓગડભાઈ સમગ્ર મામલે દિવ્ય ભાસ્કર દ્વારા સૌપ્રથમ અસરગ્રસ્તો સાથે વાત કરવામાં આવી હતી. જેમાં ઓગડભાઈ નામના સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે, તેમને મકાન 15 જૂન સુધીમાં ખાલી કરવાની નોટિસ અપાઈ છે. જો નિયત સમયમાં મકાન ખાલી કરવામાં નહીં આવે તો મકાન પાડી નાખવા ચેતવણી પણ આપવામાં આવી છે. જોકે અમે છેલ્લા 70 વર્ષથી આ જગ્યા પર પોતાના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છીએ અને અહીં મારી 3 પેઢીઓ રહી ચૂકી છે. હાલ ચોમાસાની સિઝન નજીક હોવા છતાં તંત્ર દ્વારા આ પ્રકારે નોટિસ અપાતા અમારી મુશ્કેલી વધી ગઈ છે. પરિવાર સાથે ક્યાં જવું તે જ મોટો પ્રશ્ન છે. આક્રોશ સાથે તેમણે જણાવ્યું હતું કે, પોતે આ જગ્યા પર લાંબા સમયથી રહી રહ્યા હોવાથી અહીં જ રહેવા દેવામાં આવે તેવી મારી માગ છે. અમે તમામ આધાર-પૂરાવા જમા કર્યા છે, તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા આપોઃ હરેશભાઈ હરેશભાઈ ગેહાણીએ જણાવ્યું કે, અમે છેલ્લા 35 વર્ષથી અહીં કરિયાણાનો વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવીએ છીએ. આ વસાહત આશરે 70 વર્ષ જૂની છે અને અનેક પરિવારો અહીં દાયકાઓથી રહે છે. તંત્ર દ્વારા અગાઉ 2020 પહેલાના પુરાવા માંગવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે તમામ રહીશોએ લાઈટ બિલ, વેરા બિલ તેમજ આધાર કાર્ડ અને પાન કાર્ડ સહિતના તમામ દસ્તાવેજો જમા કરાવી દીધા છે. છતાં ગઈકાલે અચાનક અધિકારીઓ અહીં આવીને ધાક-ધમકી આપી ગયા છે કે 15 દિવસમાં આ જગ્યા ખાલી કરી દો. કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા વગર અચાનક આ રીતે ખાલી કરવાનું કહેવામાં આવતા હવે ક્યાં જવું તે મોટો પ્રશ્ન ઊભો થયો છે. 15 દિવસમાં ઘર વિહોણા કરી દેવા તે કેટલા અંશે યોગ્ય છે?: ધર્મેન્દ્રભાઈ આ અંગે અન્ય એક સ્થાનિક રહીશ ધર્મેન્દ્રભાઈએ પણ દિવ્ય ભાસ્કર સમક્ષ તંત્રની આ નીતિ સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, અમે નગરપાલિકામાં તમામ પ્રકારની રજૂઆતો કરી દીધી છે. લાઈટ બિલ, ગેસ બિલ અને વેરા બિલ જેવા પુરાવા આપવા છતાં વહીવટી તંત્ર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે, તેવામાં 70-70 વર્ષથી રહેતા પરિવારોને 15 દિવસમાં ઘર વિહોણા કરી દેવા તે કેટલા અંશે યોગ્ય છે? ત્યારે અમને આ જ જગ્યા પર રહેવા દેવામાં આવે અથવા તંત્ર દ્વારા તમામ અસરગ્રસ્તોને પાકા મકાનની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી અમારી માગ છે. મુદત પૂરી થતાં જ કડક કાર્યવાહી કરાશે: એટીપી ભાર્ગવ બારેવાડિયા સમગ્ર મામલે મનપાના વેસ્ટ ઝોન વિભાગના એટીપી ભાર્ગવ બારેવાડિયાએ જણાવ્યું હતું કે, કાનૂની વિવાદનો નિકાલ થઈ ગયા બાદ નિયમ અનુસાર જ 70 ઝૂંપડાવાસીઓને નોટિસ આપવામાં આવી છે. વિજીલન્સ વિભાગને સાથે રાખીને પ્લોટનું ડિમાર્કેશન (હદ નક્કી કરવાનું કામ) પણ પૂર્ણ કરી લેવાયું છે. સ્થાનિકોને સ્વેચ્છાએ સામાન હટાવી લેવા માટે 15 દિવસનો પૂરતો સમય અપાયો છે. જો નિયત સમયમર્યાદામાં જગ્યા ખાલી કરવામાં નહીં આવે, તો મુદત પૂર્ણ થતાંની સાથે જ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કડક પ્રક્રિયા હાથ ધરીને મનપાની કરોડોની જમીન ખુલ્લી કરાવવામાં આવશે. ચોમાસાના આ પ્રારંભિક દિવસોમાં મનપાના આ કડક વલણને લીધે હિંગળાજનગરમાં ભારે તણાવનો માહોલ છે. ચોમાસા સમયે ઘર ખાલી કરવાનું થતાં અનેક પરિવારો મુંઝવણમાં ઉલ્લેખનીય છે કે, એકતરફ ચોમાસુ માથા ઉપર છે તો બીજીતરફ મનપા દ્વારા છેલ્લા 50 કરતા વધારે વર્ષોથી કાચા-પાકા મકાનોમાં હિંગળાજનગરમાં વસવાટ કરતા 70 આસામીઓને તેમના મકાનો ખાલી કરવાની નોટિસો આપવામાં આવી છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે, તેઓ 3-3 પેઢીથી અહીં વસવાટ કરે છે અને નિયમ અનુસાર વેરાઓ પણ ભરી રહ્યા છે. છતાં ચોમાસાનાં આ સમયમાં તેમને મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. જેને લઈને હવે ક્યાં જવું અને શું કરવું તે સમજાતું નથી. ત્યારે તંત્ર દ્વારા ડિમોલિશન કરતા પહેલા કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. ત્યારે હવે તંત્ર દ્વારા આગામી સમયમાં ક્યારે અને શું પગલાં લેવાશે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    'તમે 538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાયા છો':18 દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ના રાખીને વડોદરાના સિનિયર સિટીઝન સાથે 1.47 કરોડ રૂપિયાની ઠગાઈ, CBI, IPS અધિકારી અમે જજ બનીને ગઠિયાઓએ ફસાવ્યા
    Next Article
    પોલીસે રાજુલાના ડ્રાઇવરને પકડી ચોરીનો ભેદ ઉકેલાયો‎:લિફ્ટના બહાને મહિલાના 2.26 લાખના દાગીના ચોરનારો ઇકો ડ્રાઇવર જ નીકળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment