Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિટસ્ટ્રોકની અસર જણાય તો અહિંયા પહોંચજો:રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાની હોસ્પિટલમાં 70થી વધુ બેડના સ્પેશિયલ વોર્ડ ઊભા કરાયા, ગરમીથી આ રીતે બચો

    11 hours ago

    ગુજરાતમાં વધતા જતા તાપમાન અને હિટવેવની ગંભીરતાને ધ્યાને લેતા તંત્ર સજ્જ બન્યું છે, જેના ભાગરૂપે રાજકોટ, અમદાવાદ અને વડોદરાની સિવિલ હોસ્પિટલોમાં 70થી વધુ બેડના ખાસ સ્પેશિયલ હીટવેવ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે. ગરમીના કારણે લૂ લાગવા કે ડિહાઈડ્રેશન જેવી સમસ્યા થાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આ વ્યવસ્થા ઊભી કરાઈ છે. બચાવ માટે નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, સુતરાઉ કપડાં પહેરવા અને પુષ્કળ પ્રમાણમાં પાણી તથા પ્રવાહી લેવા જેવી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 25થી વધુ બેડ સાથે સ્પેશિયલ વોર્ડ અમદાવાદ શહેરમાં બપોરના સમયે કર્ફ્યુ જેવી શાંતિ જોવા મળી રહી છે. રાજ્યભરમાં તીવ્ર ગરમીને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય વિભાગે એડવાઈઝરી જાહેર કરી છે અને તમામ હોસ્પિટલોમાં ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ ઉભા કરવામાં આવ્યા છે. હીટસ્ટ્રોકના કેસો પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તબીબોની ટીમને સજ્જ રાખવામાં આવી છે જેથી તાત્કાલિક સારવાર મળી શકે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે હિટ સ્ટ્રોકને ધ્યાનમાં રાખી ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. 25થી વધુ બેડ સાથે સ્પેશિયલ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં 15થી વધુ નર્સિંગ સ્ટાફ અને તબીબોને જવાબદારી સોંપવામાં આવી છે. હિટ સ્ટ્રોકના કેસ આવે તો દર્દીને તુરંત સારવાર મળશે. જરૂરી દવાઓ અને સાધનોની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. 24 કલાક મોનિટરિંગ માટે ટીમ સજ્જ છે.જરૂરી દવાઓ અને ઇક્વિપમેન્ટ તૈયાર રાખવામાં આવ્યા છે. વડોદરામાં 20 બેડની સુવિધા સાથેનો વોર્ડ તૈયાર ઉનાળાની શરૂઆત સાથે જ રાજ્યભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. આ અસહ્ય ગરમીને કારણે હીટસ્ટ્રોકના કેસો વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સયાજી હોસ્પિટલના RMO ડો હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુમાં હિટ સ્ટ્રોકની સંભાવનાઓ રહેતી હોય છે. ગરમીના કારણે દર્દીઓને ક્યારેક આવા બનાવો નો સામનો કરવો પડતો હોય છે. સરકારની સૂચના મુજબ, સરકારી હોસ્પિટલોમાં છેલ્લા 20 દિવસથી ખાસ હીટસ્ટ્રોક વોર્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે. હાલમાં 20 બેડની સુવિધા સાથેનો આ વોર્ડ સંપૂર્ણપણે સજ્જ છે, જેમાં નિષ્ણાંત ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સર્વન્ટ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. જો જરૂર પડશે તો બેડ અને સ્ટાફની સંખ્યામાં વધારો કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. 43 ડિગ્રીવાળા રાજકોટમાં 20 બેડનો ખાસ વોર્ડ શરૂ કરાયો સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે રંગીલા રાજકોટમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આ આકરી ગરમી અને લૂ (હીટવેવ) સામે નાગરિકોના રક્ષણ માટે રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. હીટસ્ટ્રોકના દર્દીઓ માટે 5 અનુભવી તબીબો 24 કલાક ખડેપગે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. હર્ષદ દૂસરાના જણાવ્યા અનુસાર, કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે આ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વોર્ડ નંબર 10ના બિલ્ડિંગમાં (ઇમરજન્સી વિભાગની ઉપર) હીટસ્ટ્રોકના દર્દીઓ માટે 20 બેડનો ખાસ વોર્ડ શરૂ કરાયો છે. આ વોર્ડમાં 5 અનુભવી તબીબો અને 10 નર્સિંગ સ્ટાફની ટીમ 24 કલાક ખડેપગે સેવા આપશે. કામ વગર ઘરની બહાર ન નીકળવા સલાહ ડો. હર્ષદ દૂસરાએ જણાવ્યું હતું કે, જ્યારે હીટવેવ જેવી સ્થિતિ હોય ત્યારે લોકોએ ખાસ કરીને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને શરીરને શક્ય તેટલું ઢાંકીને રાખવું જોઈએ. ખાસ કરીને બપોરે 1થી 4 વાગ્યાના સમયગાળામાં, જ્યારે સૂર્યનો તાપ સૌથી વધુ હોય છે, ત્યારે બિનજરૂરી કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું હિતાવહ છે. જે લોકોને વ્યવસાય કે નોકરીના કારણે બહાર નીકળવું પડે તેમ હોય, તેમણે સાથે લીંબુ શરબત, ગોળનું પાણી અથવા સાદું પાણી રાખવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું જોઈએ.તડકામાંથી આવ્યા બાદ તરત જ એસી (AC) માં જવાને બદલે થોડીવાર સામાન્ય વાતાવરણમાં બેસવું જોઈએ. સુરત સિવિલમાં ખાસ 'હીટવેવ વોર્ડ' તૈયાર, સ્ટાફને અપાઈ ટ્રેનિંગ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના RMO ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે, હીટવેવને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં ખાસ 10 બેડનો અલાયદો રૂમ તૈયાર રખાયો છે. આ વોર્ડમાં વેન્ટિલેટર સહિતની ઈમરજન્સી સુવિધાઓ સજ્જ છે. દર્દીઓની સુવિધા માટે OPD અને ઈમરજન્સી વિભાગમાં 15થી વધુ નવા કુલર લગાડવામાં આવ્યા છે. ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને સનસ્ટ્રોકના કેસ હેન્ડલ કરવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. બપોરે 12 થી 3 'નો ગો ઝોન': બાળકો-વૃદ્ધો ખાસ સાચવે ડોક્ટરોના મતે બપોરે 12 થી 3 દરમિયાન સૂર્યના કિરણો સીધા અને આકરા હોવાથી લૂ લાગવાની શક્યતા સૌથી વધુ રહે છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમને બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ અપાઈ છે. જો બહાર જવું અનિવાર્ય હોય તો માથે સફેદ કપડું, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો હિતાવહ છે. OPD તેમજ ઇમરજન્સી બધી જગ્યાએ કુલર મુકાયા સુરત સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે, હાલમાં જે રીતે હવામાન ખાતા તરફથી હીટવેવની આગાહી કરવામાં આવી છે, તે બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને અમારે ત્યાં OPD તેમજ ઇમરજન્સી બધી જગ્યાએ કુલર મુકવામાં આવ્યા છે. તદુપરાંત એક 10 બેડનો અલગ રૂમ અથવા વોર્ડ પણ રાખવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અને જો કોઈ પેશન્ટ ઇન કેસ આવે, તો એના માટે ઇમરજન્સીમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફને આ અંગેની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે લોકોને ખાસ કરીને જણાવવાનું કે, અત્યારે જે હીટવેવ છે જે 12:00 થી 3:00 દરમિયાન ખૂબ જ ગરમી પડતી હોય છે, જેથી કરીને લોકો ખાસ કરીને બાળકો અને વૃદ્ધો બને ત્યાં સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે એ એમના માટે સલાહભર્યું છે. તેમજ બીજા લોકો પણ ખાસ કંઈ કામ હોય તો જ બહાર નીકળે, અન્યથા આ સમય દરમિયાન નીકળવાનું ટાળે. અને જો ઇન કેસ નીકળવું પડે, તો માથે ટોપી પહેરે કે છત્રી રાખે કે એ રીતનું કંઈ પણ પ્રોટેક્શનની વ્યવસ્થા રાખે. તેમજ પોતાના બોડીમાં હાઇડ્રેશન મેન્ટેન થાય એનું પૂરતું ધ્યાન આપે. જેથી કરીને પાણીથી લઈને છાસ કે કંઈ પણ પીણાં પીને, પોતાની રીતે લીંબુ શરબત, નારિયેળ પાણી, છાસ કંઈ પણ પીને બહાર નીકળે જેથી કરીને એને ડિહાઇડ્રેશનના થાય. હાઇડ્રેશનનું પૂરતી કાળજી રાખો આ હીટવેવમાં ખાસ કરીને ડિહાઇડ્રેશન થવાને કારણે જ પ્રોબ્લેમ થતા હોય છે અને પેશન્ટ સિરિયસ થતા હોય છે. અધરવાઇઝ જો પોતાનું હાઇડ્રેશનનું પૂરતી કાળજી રાખવામાં આવે તો બહુ મુશ્કેલી પડતી હોતી નથી. એટલે આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને મેં અગાઉ કીધું તેમ 12:00 થી 3:00 દરમિયાન બહાર ન નીકળે તો આ નિવારી શકાય, બચી શકાય હીટવેવથી. ક્યારે તબીબી મદદ લેવી? જો તમને અથવા તમારી આસપાસ કોઈ વ્યક્તિમાં નીચે મુજબના લક્ષણો દેખાય, તો તુરંત સિવિલ હોસ્પિટલ અથવા નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. 1.અચાનક ચક્કર આવવા. 2.ઉલટી અથવા ઉબકા થવા. 3.આંખે અંધારા આવવા. 4.ખૂબ જ ગભરામણ અનુભવવી. રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેથી દર્દીઓને ઝડપી અને સચોટ સારવાર મળી રહે. સતત વધતા તાપમાનને કારણે લોકોમાં ડિહાઇડ્રેશન અને થાક જેવી સમસ્યાઓ વધી રહી છે. આરોગ્ય વિભાગે લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ આપી છે. સાથે જ વધુ પાણી પીવું, હળવા અને ઢીલા કપડાં પહેરવા, તેમજ વૃદ્ધો અને બાળકોની ખાસ કાળજી રાખવાની અપીલ કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની તબિયત બગડતી લાગતી હોય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દેશનું GST કલેક્શન રેકોર્ડ ₹2.42 લાખ કરોડ, ઓલટાઈમ હાઈ:ગુજરાત-મહારાષ્ટ્રનું યોગદાન વધુ, ગયા વર્ષે એપ્રિલમાં ₹2.23 લાખ કરોડ હતું; ઈમ્પોર્ટથી થતી કમાણીમાં 25.8% વધારો
    Next Article
    ગુજરાત સ્થાપના દિવસ:ગુજરાતને વધુ સમૃદ્ધ, સ્વચ્છ, શિક્ષિત બનાવવાનો સંકલ્પ કરીએ: સાધુ પ્રેમવત્સલદાસજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment