Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંદાજે 7 કરોડની જમીન સરકાર હસ્તક થશે:જમીનના યોગ્ય પુરાવા રજૂ નહીં કરી શકતા 4 વીઘા જમીન સરકાર હસ્તક લેવા મામલતદાર કૃષિ પંચનો આદેશ

    15 hours ago

    વડોદરાના કોયલી અને બાજવાની અંદાજે 7 કરોડ રૂપિયાની કિંમતની 4 વીઘા જેટલી જમીન સરકાર હસ્તક લેવાનો આદેશ વડોદરા મામલતદાર કૃષિ પંચે કર્યો છે. આ સાથે જ સામા પક્ષને અપીલ કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો તેઓ આ 60 દિવસમાં અપીલ નહીં કરે તો જમીન પૂર્ણપણે સરકાર હસ્તક લઈને તેનો યોગ્ય નિકાલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. બીજી બે જમીનો પણ ખોટા દસ્તાવેજી પુરાવાઓના આધારે ખેડૂતો પાસેથી ખરીદી વકીલ રસિક ભીમડાએ જણાવ્યું હતું કે, 1979માં કેટલાક ખેડૂતોની જમીન ખોટા કાગળો, ખોટા દસ્તાવેજો અને ખોટા પુરાવાઓ ઊભા કરીને પચાવી પાડવામાં આવી હતી. ત્યારબાદ એ જમીન 'ગુજરાત રિફાઇનરી કંપની' માં સંપાદન કરાવીને તેના બદલામાં મોટી રકમનું વળતર (એવોર્ડની રકમ) મેળવી લેવામાં આવી હતી. ત્યારબાદ, તે જ લોકોએ 1987 અને 1996માં બીજી બે જમીનો પણ આ જ રીતે ખોટા દસ્તાવેજી પુરાવાઓના આધારે ખેડૂતો પાસેથી ખરીદી લીધી હતી. આ સંદર્ભમાં અમે અરજદાર તરફથી સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, જ્યારે તે સમયના દસ્તાવેજી પુરાવાઓની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, આ જમીનમાં કોઈનો વાસ્તવિક હિસ્સો છે જ નહીં. જેથી, જાહેર હિતને ધ્યાનમાં રાખીને અમે અરજદારને આ બાબત સમજાવી હતી. અરજદારે પણ અમારી સાથે સહમતી દર્શાવીને કહ્યું કે, આપણે આ જમીન નથી જોઈતી. ત્યારબાદ અમે આ અંગે મામલતદાર કૃષિ પંચ(ગ્રામ્ય), વડોદરા* સમક્ષ અરજી દાખલ કરી હતી. બંને પક્ષોના દસ્તાવેજી પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, મામલતદાર કૃષિ પંચ, વડોદરા (ગ્રામ્ય વિભાગ) દ્વારા બંને પક્ષોના દસ્તાવેજી પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે એક ઐતિહાસિક અને જાહેર જનતા સુધી યોગ્ય સંદેશ પહોંચાડતો ચુકાદો આપ્યો છે. ચુકાદામાં મામલતદાર સાહેબે સ્પષ્ટ જણાવ્યું છે કે, 1987 અને 1996માં જે જમીનો ખરીદવામાં આવી છે, તે ખરીદનાર ખેડૂતો વર્ષ 1951થી અત્યાર સુધી ખાતેદાર હોવાના કોઈ જ પુરાવા રજૂ કરી શક્યા નથી. 60 દિવસની અંદર અપીલ નહીં કરે તો જમીન સરકાર હસ્તક નિકાલ કરવાનો હુકમ તેઓએ ઉમેર્યું હતું કે, મામલતદાર સાહેબે કોયલી તેમજ બાજવાના તલાટીઓને કડક આદેશ કર્યો છે કે આ તમામ જમીન શ્રીસરકાર (સરકાર હસ્તક) કરી લેવી. આ સાથે જ સામા પક્ષને અપીલ કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો તેઓ આ 60 દિવસની અંદર અપીલ નહીં કરે, તો આ જમીન પૂર્ણપણે સરકાર હસ્તક લઈને તેનો યોગ્ય નિકાલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી અમે ખૂબ જ ખુશ છીએ. અમે મામલતદાર સાહેબ તેમજ કૃષિ પંચ અને રેવન્યુ વિભાગના તમામ કર્મચારીઓનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ.
    Click here to Read More
    Previous Article
    4 કરોડ રૂપિયાની કિંમતના દારૂનો નાશ:15 પોલીસ સ્ટેશનમાં પકડાયેલી દારૂની બોટલ પર રોલર ફરી વળ્યું, 'સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત' અંતર્ગત કાર્યવાહી કરી
    Next Article
    રાજ્યમાં 2.39 લાખ હેક્ટરમાં સૌથી વધુ કપાસનું વાવેતર:મગફળી 1.36 લાખ હેક્ટર સાથે બીજા ક્રમે, ગત વર્ષ કરતાં આ વખતે નોંધપાત્ર વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment