Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લવ જેહાદની જાળમાં ફસાઈ રૂપસુંદરી!:10 વર્ષ બાદ સયાલી સુર્વેની લાચારી સાથે ધર્મવાપસી, કહ્યું- 'બળજબરીથી પતિએ ઇસ્લામ કબૂલ કરાવ્યો, મારાથી ચાર બાળકો કર્યા'

    1 week ago

    ‘મિસ ઇન્ડિયા અર્થ 2019' રહી ચૂકેલી લોકપ્રિય મોડલ સયાલી સુર્વેએ પતિ પર જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવા અને શારીરિક-માનસિક શોષણ કરવાના અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. મોડલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ તમામ આરોપોનો ખુલાસો કર્યો છે. તે છેલ્લા 10 વર્ષથી આ સ્થિતિમાં હતી, જોકે હવે તેણે હિન્દુ સંગઠનોની મદદથી પતિથી છુટકારો મેળવીને ફરીથી હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. આ માટે તેણે હવન અને શુદ્ધિકરણ કરાવ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં સયાલીએ જણાવ્યું કે તેણે લાંબા સમય સુધી આતિફ તાસે સાથે રિલેશનશિપમાં રહ્યા પછી વર્ષ 2019માં તેની સાથે લગ્ન કર્યા હતા. સયાલીનો પરિવાર આ સંબંધની વિરુદ્ધ હતો, તેમ છતાં તે પરિવારની વિરુદ્ધ ગઈ અને ઇસ્લામ કબૂલ કરીને લગ્ન કર્યા. ધર્મ બદલીને તેનું નામ અતીજા કરી દેવામાં આવ્યું હતું. વીડિયોમાં તેણે કહ્યું કે તેનો પતિ આતિફ જબરદસ્તી અને દબાણ કરીને તેની પાસે કડક ઇસ્લામિક વસ્તુઓ કરાવતો હતો. તે તેનું શોષણ પણ કરતો હતો. ફરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું હિંદુ સંગઠનોની મદદથી સયાલી હવે ફરીથી હિંદુ બની ગઈ છે. આ પછી તેણે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી, જેમાં તેણે જણાવ્યું કે તેના લવ મેરેજ થયા હતા. લગ્ન માટે તેને ધર્મ બદલવો પડ્યો, ત્યારબાદ તેના નિકાહ થયા. મોડલનું કહેવું છે કે બાળક થયા પછી તેણે સંબંધમાં રહેવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેની સાથે આખો દિવસ ગાળાગાળી કરતો હતો અને કારણ વગર મારપીટ પણ થતી હતી. ‘લવ જેહાદની જાળમાં ફસાઈ’ પ્રેસ કોન્ફરન્સમાં મોડલને પૂછવામાં આવ્યું કે શું આ લવ જેહાદનો મામલો છે, તો જવાબમાં તેણે કહ્યું, હા, બિલકુલ. લોકો કહે છે કે તે પોતાની મરજીથી લગ્ન કરવા ગઈ હતી. પણ જ્યારે હું ગઈ હતી, ત્યારે મને સમજ નહોતી. હું ભરોસાથી ગઈ હતી. એક સારો માણસ છે એમ સમજીને ગઈ હતી. આટલો મોટો નિર્ણય લીધો હતો. મોડલે એ પણ જણાવ્યું છે કે ઇસ્લામ કબૂલ કર્યા પછી પણ તે હિંદુ ધર્મનું પાલન કરતી હતી, પરંતુ પછી ખુલ્લેઆમ તેનો વિરોધ થવા લાગ્યો. ત્યાં તેને કહેવામાં આવ્યું કે ઇસ્લામ સામે બીજા ધર્મની કોઈ કિંમત નથી. તેને નમાઝ પઢવાનું શીખવવામાં આવ્યું, પરંતુ તેમ છતાં લોકો તેની સાથે માનવતાથી વર્તતા નહોતા. પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મોડેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે તેમણે મુંબઈમાં પતિ આતિફ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારથી તે પુણેમાં રહી રહ્યા છે. પોતાની અને બાળકોની સુરક્ષા માટે તે મુંબઈ જઈ રહી નથી. આવા સંજોગોમાં પોલીસ તેનું નિવેદન નોંધાવવા પુણે આવશે. લગ્ન પહેલા હું મોડલ હતી, એવિએશનમાં માસ્ટર્સ કર્યું છે. હું 20-21 વર્ષની હતી, જ્યારે મારા લગ્ન થયા. લગ્નથી લઈને આજ સુધી હું ગૃહિણી હતી. લગ્નથી તેને 4 બાળકો થયા, જેના નામ પણ મુસ્લિમ હતા. બાળકોના નામ આરિસ, ફાતિમા, ખાલિદ અને ગાઝી હતા. પરંતુ પોતે હિંદુ ધર્મમાં પાછા ફર્યા પછી મોડલે બાળકોના નામ પણ બદલીને હિંદુ કરી દીધા છે.
    Click here to Read More
    Previous Article
    'ધુરંધર 2' સામે કોઈ પડવા નથી માગતું!:અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મોએ પોતાની રિલીઝ ડેટ બદલી, બોક્સઓફિસ પર 19 માર્ચે 'ધ વન એન્ડ ઓનલી' શૉ
    Next Article
    ઈરાનની ટોપ લીડરશિપ ખતમ, તો કેવી રીતે યુદ્ધ લડે છે?:7 ટુકડામાં તાકાત વહેંચી રાખી છે, દરેક પદ માટે 4 ઉત્તરાધિકારી પહેલેથી નક્કી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment