Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તારાપુરની જીનલની રાષ્ટ્રકક્ષાના 'પ્રેરણા' શિબિર માટે પસંદગી:વડનગર કેન્દ્રમાં 7 દિવસીય નિવાસી તાલીમ લેશે

    9 hours ago

    આણંદ જિલ્લાના તારાપુર તાલુકાની ખાખસર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની જીનલ હર્ષદભાઈ મકવાણાની ભારત સરકારના 'પ્રેરણા' અનુભવજન્ય શિક્ષણ કાર્યક્રમ હેઠળ રાષ્ટ્રકક્ષાના શિબિર માટે પસંદગી કરવામાં આવી છે. જીનલ વડનગર ખાતેના 'પ્રેરણા' કેન્દ્રમાં ૧૦ મે, ૨૦૨૬ થી ૧૬ મે, ૨૦૨૬ દરમિયાન યોજાનારી છઠ્ઠી બેચની સાત દિવસીય નિવાસી તાલીમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ શરૂ કરવામાં આવ્યો છે. આ તાલીમમાં જીનલ દેશભરના અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્ર નિર્માણ સંબંધિત પાઠ શીખશે. જીનલની આ સિદ્ધિમાં શાળાના શિક્ષિકા સોનલબેન ચૌહાણ, આચાર્ય રાકેશકુમાર સોલંકી અને સંગીત રિસોર્સ પર્સન જગદીશભાઈ ગોહેલનો સહયોગ મહત્વનો રહ્યો છે. તેના માતા-પિતાનો સહકાર અને પ્રોત્સાહન પણ નિર્ણાયક સાબિત થયું છે. જીનલની આ સિદ્ધિ બદલ ખાખસર પ્રાથમિક શાળા પરિવાર, એસ.એમ.સી. અને ગ્રામજનોએ તેને અભિનંદન પાઠવ્યા છે. આણંદ જિલ્લાનું ગૌરવ વધારનાર જીનલને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વાપીના ડુંગરામાં મધરાતે આગ લાગી:25થી વધુ સ્ક્રેપના ગોડાઉન બળીને ખાખ, લાખોનું નુકસાન
    Next Article
    ‘Log baate karte rahenge’: Ajinkya Rahane responds to talk surrounding his future after 40-ball 67 for KKR vs MI in IPL 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment