Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈતર વસાવાને 7 વર્ષની સજા, રાજકારણ ગરમાયું:કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે સરકાર પર પ્રહાર કર્યાં, ભાજપના સાંસદ ધવલ પટેલે કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો

    2 days ago

    રાજપીપળા સેશન્સ કોર્ટે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત 9 આરોપીઓને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. વન વિભાગના કર્મચારી પર હુમલો કરવા, હવામાં ફાયરિંગ અને ખંડણીના ગંભીર કેસમાં કોર્ટે આ ચુકાદો આપ્યો છે. આ ચુકાદાથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ ચુકાદા બાદ કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલે ચૈતર વસાવાના સમર્થનમાં આવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ન્યાયપાલિકા અને સરકારની ભૂમિકા સામે સવાલો ઉઠાવતા જણાવ્યું કે, "ન્યાયપાલિકાના ચુકાદા અંગે અમને પહેલેથી જ શંકા હતી. ભાજપ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર આદિવાસીઓ પર સતત અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે." અનંત પટેલે પોતાના પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે, "અમારા પર પણ જીવલેણ હુમલો થયો હતો, છતાં ગુનેગારોને સરળતાથી જામીન મળી ગયા હતા, જ્યારે જનતાના પ્રશ્નો ઉઠાવતા લોકપ્રતિનિધિઓને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે." તેમણે આશંકા વ્યક્ત કરી કે આગામી દિવસોમાં મનસુખભાઈ વસાવા કે દર્શનાબેન દેશમુખ જેવા આદિવાસી નેતાઓને પણ ખોટા કેસમાં ફસાવી શકાય છે. અનંત પટેલે સ્પષ્ટ કર્યું કે આ આખી આદિવાસી સમાજની લડાઈ છે અને તેઓ હંમેશા ચૈતર વસાવા સાથે જ રહેશે. બીજી તરફ, વલસાડ-ડાંગ બેઠકના ભાજપના સાંસદ ધવલ પટેલે કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો છે. તેમણે જણાવ્યું કે, "ચૈતર વસાવા અગાઉ પણ આવા જ આશરે 19 જેટલા ગંભીર ગુનાઓ આચરી ચૂક્યા છે. તેઓ તેમના આકા અરવિંદ કેજરીવાલના નકશે કદમ પર જ ચાલી રહ્યા હતા." સાંસદે વધુમાં જણાવ્યું કે, "ચૈતર વસાવા અને તેમના સાથીદારોએ ઓક્ટોબર 2023માં વન વિભાગના ઓન-ડ્યુટી કર્મચારીઓ પર જે હુમલો કર્યો હતો તે અત્યંત ગંભીર ગુનો હતો." તેમણે ભારપૂર્વક કહ્યું કે કાયદાની નજરમાં કોઈ નાનું-મોટું હોતું નથી અને આજે કોર્ટે આ ગુનાની જ સજા આપી છે. ભાજપ કાયદાની વ્યવસ્થાનું સંપૂર્ણ સન્માન કરે છે અને આવા ગુનેગારોને કડક સજા મળવી જ જોઈએ. શું છે સમગ્ર વિવાદ? વર્ષ 2023ના નવેમ્બરમાં ડેડિયાપાડા ખાતે સરકારી વન જમીન પરથી અતિક્રમણ હટાવવા બાબતે વિવાદ થયો હતો. આ બાબતની અદાવત રાખી ધારાસભ્ય ચૈતર વસાવાએ વન કર્મચારીઓને પોતાના ઘરે બોલાવી મારપીટ કરી, હવામાં ફાયરિંગ કરી નાણાં પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આજે કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. 7 વર્ષની સજા થવાના કારણે હવે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ રદ થવાના આરે છે. આ પણ વાંચો- MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા, વડોદરા જેલ હવાલે, સેશન્સ કોર્ટનો ચુકાદો
    Click here to Read More
    Previous Article
    જંગલેશ્વર ડિમોલિશનમાં રૂ.27 લાખની જ્યાફત:રાજકોટ મનપા, પોલીસના અધિકારીઓના ચા, નાસ્તો, ભોજનનો લાખોનો ખર્ચ બુધવારની સ્ટેન્ડિંગ બેઠકમાં મૂકાશે
    Next Article
    Pregnant Deepika Padukone Calls ICC's New Maternity Return Guidelines A 'Landmark Moment'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment